AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ ઇન્દિરા બ્રિજ નજીક ફ્લેટમાં ભયંકર આગ, જીવ બચાવવા ચોથા માળેથી યુવતીની છલાંગ, જુઓ Video

અમદાવાદના ઇન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ સોસાયટીની C અને D વિંગના ફ્લેટોમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. એક ફ્લેટના એસીમાં લાગેલી આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી આસપાસના અન્ય ફ્લેટોમાં પ્રસરી ગઈ હતી.

Breaking News : અમદાવાદ ઇન્દિરા બ્રિજ નજીક ફ્લેટમાં ભયંકર આગ, જીવ બચાવવા ચોથા માળેથી યુવતીની છલાંગ, જુઓ Video
Sachin Kolte
| Edited By: | Updated on: Apr 29, 2025 | 9:03 PM
Share

અમદાવાદના ઇન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ સોસાયટીના ફ્લેટમાં અત્યાર સુધીમાં તમામ ફ્લેટમાંથી કુલ 27 લોકોને બચાવવામાં આવ્યા છે, જયારે 5 લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી આપતાં, ફાયર બ્રિગેડના જવાનોએ અલગ-અલગ ફ્લેટોમાં તપાસ શરૂ કરી છે.

ઇન્દિરા બ્રિજ સર્કલ નજીક આગ લાગવાને કારણે આશરે દોઢ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બિલ્ડિંગ ઇન્દિરા સર્કલની સાથે લાગેલું છે.

ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને હાલ કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી. ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 27 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ ઘટના વખતે ફાયર બ્રિગેડની સાથે 108 એમ્બ્યુલન્સની પાંચ ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આત્રેય ઓર્ચિડ સોસાયટીના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગ્યા બાદ તે અન્ય ફ્લેટોમાં પણ પ્રસરી ગઈ હતી. આ દરમ્યાન બાજુના ફ્લેટોમાં હાજર રહેવાસીઓ બાલ્કનીમાં આવી ગયા હતા, જેમને ઝૂલા (હાર્ટનેસ) દ્વારા સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

આજ સાંજના સમયે આત્રેય ઓર્ચિડ સોસાયટીના ચોથા માળે આગ ભભૂકી હતી. આગ લાગવાનું કારણ એસીમાં તકલીફ હોવાનું અનુમાનવામાં આવી રહ્યું છે. ગણતરીની મિનિટોમાં આગ પાંચમા માળ સુધી ફેલાઈ હતી. આશરે આઠ જેટલા ફ્લેટો આગની ઝપટમાં આવતા રહીશો વચ્ચે ભય અને બૂમાબૂમ જોવા મળી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">