કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજના માટે ક્રેડાઇ ગુજરાત તરફથી મહત્વની જાહેરાત કરાઈ

ક્રેડાઈ ગુજરાત દ્વારા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા-વિચારણા બાદ ક્રેડાઈ ગુજરાત તરફથી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજના માટે ક્રેડાઇ ગુજરાત તરફથી મહત્વની જાહેરાત કરાઈ
CREDAI
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Jun 22, 2022 | 12:58 PM

કેન્દ્ર સરકાર (Central Government)   દ્વારા સંરક્ષણ વિભાગ માટે લાવવામાં આવેલી અગ્નિવીર યોજના (Agnivir scheme) માટે અનેક સંસ્થાઓ અને આગેવાનો પણ હવે આગળ આવી રહ્યા છે ત્યારે ક્રેડાઈ ગુજરાત (CREDAI Gujarat)  કેન્દ્ર સરકારની યોજનાને આવકારવામાં આવી અને તેમના તરફથી અગ્નીવીરો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત મુજબ અગ્નિપથનું સર્ટીફીકેટ ધરાવનાર યુવાનોને ક્રેડાઈ ગુજરાત તરફથી દર વર્ષે 3000 લોકોને રોજગારી આપવામાં આવશે. ક્રેડાઈ ગુજરાત દ્વારા ભાજપ (BJP) પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil) અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) સાથે ચર્ચા-વિચારણા બાદ ક્રેડાઈ ગુજરાત તરફથી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે આટલું જ નહીં પરંતુ લોકોને જે ગેરમાન્યતા છે કે અગ્નિવીર યોજનામાંથી નીકળેલા યુવાનોને માત્ર સિક્યુરિટી તરીકે નોકરી આપવામાં આવશે.

આ મામલે ક્રેડાઇ અમદાવાદના પ્રમુખ તેજસ જોશીએ TV9 સાથે વાત કરતા જણાવ્યું કે આ યોજનામાંથી આવેલા યુવાનોને તેમના રસના વિષયનો અભ્યાસ કરવામાં આવશે અને જે વિષયમાં તેઓ રસ ધરાવે છે તે મુજબ તેમને રોજગારી આપવામાં આવશે એટલે કે જો કોઈ યુવાન માર્કેટિંગ અથવા તો ડિઝાઇનિંગ અથવા અને કોઈ અન્ય કામમાં રુચિ ધરાવે છે તો સૌપ્રથમ તેને કોર્ષ કરાવવામાં આવશે અને ત્યારબાદ તેની યોગ્યતા મુજબ તેને રોજગાર પણ આપવામાં આવશે.

ક્રેડાઈ તરફથી એ પણ જણાવવામાં આવ્યું કે અગ્નીવીર યોજનામાં ગુજરાતએ કેન્દ્ર સાથે ખભેથી ખભા મિલાવીને ચાલવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ ડિગ્રી ધરાવતા 3000 જેટલા ઉમેદવારોને દર વર્ષે રોજગાર આપવામાં આવશે. જેમાં ગુજરાતભરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોજગારી આપવાની બાહેંધરી ભારત સરકાર અને ગુજરાત સરકારને આપવામાં આવી છે.આટલુ જ નહી ક્રેડાઈએ ભારતમાં સમાવિષ્ટ 26 રાજ્યોમાં પણ આ યોજના લાગુ કરશે જેના કારણે ભારતભરનું રિયલ એસ્ટેટ સેક્ટર વાર્ષિક 30,000 અગ્નિવીરોને રિયર એસ્ટેટ સેક્ટરમાં કાયમી ધોરણે રોજગારી આપે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ સાથે ક્રેડાઈ ગુજરાત દર વર્ષે 50,000 યુવાનોને પણ શારિરીક અને સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ ચાર વર્ષની ટ્રેનિંગમાં ભારત સરકાર આ યુવાનોને એક ખુબ જ સારૂ આર્થિક વળતર અને પેકેજ પણ આપશે, ત્યારબાદ યોગ્ય સ્કીલ ધરાવતા યુવાનોને પણ તેમની સ્કીલને આધારે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરવાની તક મળશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">