Ahmedabad: પશ્ચિમ રેલવે અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ અને વડોદરા વચ્ચે 3 જોડી ટ્રેન દોડાવશે, જાણો તમામ વિગતો

યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, અમદાવાદ - વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટેની તમામ વિગતો નીચે દર્શાવી છે.

Ahmedabad: પશ્ચિમ રેલવે અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ અને વડોદરા વચ્ચે 3 જોડી ટ્રેન દોડાવશે, જાણો તમામ વિગતો
Railway File ImageImage Credit source: File image
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 03, 2022 | 8:22 PM

Ahmedabad: યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, અમદાવાદ – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટેની તમામ વિગતો નીચે દર્શાવી છે.

ટ્રેનની વિગતો નીચે મુજબ છે

1. ટ્રેન નંબર 19418/19417 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ

ટ્રેન નંબર 19418 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન તારીખ 6 જૂન 2022 થી આગામી સૂચના સુધી દરરોજ અમદાવાદથી 23:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:55 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19417 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ એક્સપ્રેસ તારીખ 9 જૂન 2022 થી આગામી સૂચના સુધી દરરોજ 12:50 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને બીજા દિવસે 03:05 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મણિનગર, મહેમદાવાદ ખેડા રોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, પનૌલી, કોસંબા, કીમ, સાયણ, ગોઠણગામ, કોસાડ, ઉત્રાણ, સુરત, ઉધના, ભેસ્તાન, સચિન, મરોલી, નવસારી, બેડછા, અંચેલી, અમલસાડ, બીલીમોરા, જોરાવાસણ, ડુંગરી, વલસાડ, અતુલ, પારડી, ઉદવાડા, વાપી, કરમબેલી, ભીલાડ, સંજાણ, ઉમરગામ રોડ, ઘોલવડ, દહાણુ રોડ, વાનગાંવ, બોઈસર, પાલઘર, કેલવે રોડ, સફાલે, વૈતરણા, વિરાર, વસઈ રોડ અને  બોરીવલી `સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 19418 બારેજડી, કનીજ, નૈનપુર, મિયાગામ, કરજણ અને પાલેજ સ્ટેશન પર રોકાશે. તથા ટ્રેન નંબર 19417 દાદર, અંધેરી, નાબીપુર અને વરેડિયા સ્ટેશનો પર પણ રોકાશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

2. ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ

ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 6 જૂન 2022 થી આગળની સૂચના સુધી દરરોજ અમદાવાદથી દરરોજ 14:00 કલાકે ઉપડશે અને 16:45 કલાકે વડોદરા પહોંચશે,  તેવી જ રીતે, ટ્રેન નંબર 19035 વડોદરા – અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 6 જૂન 2022 થી આગળની સૂચના સુધી વડોદરાથી દરરોજ 18:20 કલાકે ઉપડશે અને 20:45 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં મણિનગર, બારેજડી, મહેમદાવાદ ખેડા રોડ, નડિયાદ, કણજરી બોરિયાવી, આણંદ, વાસદ અને બાજવા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં જનરલ ક્લાસ, સેકન્ડ સીટિંગ અને એસી ચેર કાર કોચ હશે. ટ્રેન નંબર 19036 રણોલી સ્ટેશન પર પણ રોકાશે.

3. ટ્રેન નંબર 09312/09273 અમદાવાદ-વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ

ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ તારીખ 5 જૂન, 2022 થી આગળની સૂચના સુધી અમદાવાદથી દરરોજ 17:00 કલાકે ઉપડશે અને 20:05 કલાકે વડોદરા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09273 વડોદરા – અમદાવાદ મેમુ સ્પેશિયલ તારીખ 05 મે 2022 થી આગળની સૂચના સુધી વડોદરાથી દરરોજ 10:15 કલાકે ઉપડશે અને 13:35 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મણિનગર, વટવા, ગેરતપુર, બારેજડી, કનિલ, નૈનપુર, મહેમદાવાદ ખેડા રોડ, ગોઠજ, નડિયાદ, ઉતરસંડા, કણજરી બોરીયાવી, આણંદ, વડોદ, અડાસરોડ, વાસદ, નંદેસરી, રણોલી અને બાજવા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ કોચ અનારક્ષિત રહેશે.

ટ્રેન નંબર 19036/19035 માટે બૂકિંગ તારીખ 04 જૂન 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનો પરિચાલન સમય,સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈને જોઈ શકે છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">