Ahmedabad : સાબરમતી નદીમાં પાણીની આવક વધતા રિવરફ્રન્ટ વૉક-વે અવર જવર માટે બંધ કરાયો

અમદાવાદની (Ahmedabad) સાબરમતી નદીમાં પાણી છોડાયું છે તેમજ આગામી સમયમાં પાણીની આવક વધી શકે તેમ છે. જેના પગલે કોપોરેશન દ્વારા સાવચેતીના ભાગરૂપે ત્રે 9 વાગ્યા બાદ રિવરફ્રન્ટ વૉક-વે બંધ કરવામાં આવશે.

Ahmedabad : સાબરમતી નદીમાં પાણીની આવક વધતા રિવરફ્રન્ટ વૉક-વે અવર જવર માટે બંધ કરાયો
Ahmedabad Riverfront WalkwayImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 9:15 PM

ગુજરાતના (Gujarat)અનેક જિલ્લાઓમાં સતત વધી રહેલા વરસાદ(Rain)અને ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં સતત પાણીની આવક વધી રહી છે. જેમાં નર્મદા ડેમમાંથીપણ પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ સાથોસાથ ધરોઇ ડેમમાંથી પણ અમદાવાદની (Ahmedabad) સાબરમતી નદીમાં પાણી છોડાયું છે તેમજ આગામી સમયમાં પાણીની આવક વધી શકે તેમ છે. જેના પગલે કોપોરેશન દ્વારા સાવચેતીના ભાગરૂપે ત્રે 9 વાગ્યા બાદ રિવરફ્રન્ટ વૉક-વે બંધ કરવામાં આવશે.

જેમાં હાલ સાબરમતી નદીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જયારે નર્મદા કેનાલ, સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે. નર્મદા કેનાલમાંથી 3000 ક્યુસેક પાણી છોડાયું છે.તેમજ સંત સરોવરમાંથી 12 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જેના લીધે આવતીકાલે વહેલી સવારે સાબરમતી નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળશે. જેના લીધે વૉક-વે પર સામાન્ય નાગરીકોની અવરજવર બંધ કરાશે. આ ઉપરાંત વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા છે. જયારએ નદીનું લેવલ 127 ફૂટ જાળવી રખાયું છે.

ગુજરાત અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના  પગલે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના પગલે ધરોઈ ડેમના કુલ 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે હાલ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં કાંઠા વિસ્તારના નીચાણ વાળા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયા બાદ નદીમાં પાણીની સપાટી 128 ફૂટ કરવામાં આવી છે. તેમજ ધરોઇ ડેમમાં પાણી અમદાવાદ પહોંચે તે પહેલા જ નદી ખાલી કરાવામાં આવી છે. તેમજ સાબરમતી નદી પરના વાસણા બેરેજના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઉત્તર ગુજરાતની જીવાદોરી સાબરમતી નદી  પર આવેલા ધરોઈ ડે માં પણ છેલ્લા ચોવીસ કલાકથી પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. સોમવાર મધ્યરાત્રીથી થઈ રહેલી પાણીની આવક ડેમની સપાટી સતત વધવા લાગી હતી. ધરોઈ ડેમ હવે તેની ભય જનક સપાટીથી નજીક છે. જેના પગલે ધરોઈ ડેમના 4 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા છે. દર કલાકે 80 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. દર કલાકે ધરોઈ ડેમમાંથી 17 હજાર 950 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યુ છે. તો ધરોઈ ડેમની જળ સપાટી 618.27 ફૂટ પર પહોંચી છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી 134.35 મીટર પર પહોંચી છે. ડેમમાં 6 લાખ 24 હજાર 418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 5 લાખ 63 હજાર 324 ક્યુસેક પાણીની ડેમમાંથી જાવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનથી 44 હજાર 532 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,792 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">