AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : રથયાત્રાના દિવસે કેટલા વાગે કયા સ્થળે થશે રથના દર્શન ? જાણો શું હશે રથયાત્રા સુધીનો સમગ્ર કાર્યક્રમ

રથયાત્રાને લઇને અત્યારે જોરશોરથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલ એટલે કે 18 જૂને નેત્રોત્સવ વિધિ યોજાવાની છે. ત્યાર બાદ રોજ જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરના પરિસરમાં રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

Ahmedabad : રથયાત્રાના દિવસે કેટલા વાગે કયા સ્થળે થશે રથના દર્શન ? જાણો શું હશે રથયાત્રા સુધીનો સમગ્ર કાર્યક્રમ
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 17, 2023 | 1:37 PM
Share

Ahmedabad : 20 જૂન અષાઢી બીજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ વર્ષે ભગવાન જગન્નાથ નવા રથ પર સવાર થઇને નગર ચર્યાએ નીકળવાના છે. રથયાત્રાને લઇને અત્યારે જોરશોરથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલ એટલે કે 18 જૂને નેત્રોત્સવ વિધિ યોજાવાની છે. ત્યાર બાદ રોજ જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરના પરિસરમાં રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જે નીચે મુજબ છે.

આ પણ વાંચો-Ahmedabad : અષાઢી બીજે આ રીતે નીકળશે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે

રથયાત્રા પૂર્વેના ત્રણ દિવસના તમામ કાર્યક્રમો

  • 18 જૂન- સવારે 8 વાગે ભગવાનની નેત્રોત્સવ વિધી યોજાશે
  • 18 જૂન – સવારે 9.30 વાગે ધ્વજારોહણમાં મુખ્ય અતિથિ સી.આર.પાટીલ હાજર રહેશે
  • 18 જૂન -11 વાગે સંતોનું સન્માન યોજાશે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહેશે
  • 19 જૂન – સવારે 10 વાગે સોનાવેશના દર્શન થશે અને ગજરાજ પૂજન થશે
  • 19 જૂન -સવારે 10.30 વાગે રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ
  • 19 જૂન -બપોરે 2.30 વાગે કોંગ્રેસ કમિટીની મંદીર મુલાકાત
  • 19 જૂન -સાંજે 5 વાગે શહેર શાંતિ સમિતિની મુલાકાત
  • 19 જૂન -સાંજે 6.30 વાગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પૂજા અને આરતી કરાશે
  • 19 જૂન -સાંજે 8 વાગે મહાઆરતી
  • 20 જૂન – મંગળવારે રથયાત્રા યોજાશે
  • 20 જૂન – સવારે 4 વાગે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ હાજર રહેશે
  • 20 જૂન – સવારે 5 વાગે ભગવાન જગન્નાથના પ્રિય આદિવાસી નૃત્ય, રસ ગરબા,ભગવાનના પાટા ખોલવાની વિધિ
  • 20 જૂન -સવારે 5.45 વાગે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે
  • 20 જૂન -સવારે 7 વાગે પહિંદ વિધિ બાદ રથયાત્રાનો શુભારંભ

રથયાત્રા અમદાવાદના રસ્તાઓ પરથી થશે પસાર

  • સવારે 7 કલાકે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ
  • 9.00 કલાકે AMC
  • 9.45 કલાકે રાયપુર ચકલા
  • 10.30 કલાકે ખાડિયા ચાર રસ્તા
  • 11.15 કલાકે કાલુપુર સર્કલ
  • બપોરે 12 કલાકે સરસપુર
  • 1.30 કલાકે સરસપુરથી પરત
  • 2.00 કલાકે કાલુપુર સર્કલ
  • બપોરે 2.30 કલાકે પ્રેમ દરવાજા
  • 3.15 કલાકે દિલ્હી ચકલા
  • 3.45 કલાકે શાહપુર દરવાજા
  • 4.30 કલાકે આર.સી. હાઇસ્કૂલ
  • 5.00 કલાકે ઘી કાંટા
  • 5.45 કલાકે પાનકોર નાકા
  • 6.30 કલાકે માણેક ચોક
  • 8.30 કલાકે નિજ મંદિર પરત

રથયાત્રામાં કોણ કોણ જોડાશે ?

રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે. તો 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે. 30 અખાડા, 18 ભજન મંડળી,3 બેન્ડબાજા પણ રથયાત્રામાં જોડશે. અધોધ્યા, નાસિક,ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો આવશે. રથયાત્રામાં દરમિયાન 3000 કિલો મગ, 500 કિલો જાબું, 500 કિલો કાકડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">