AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: નર્કાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે નરોડાવાસી, ચોમાસામાં ખોદાયેલા ખાડાઓથી મુશ્કેલીઓમાં વધારો

અમદાવાદના (Ahmedabad) નરોડામાં ખોદેલા રોડમાં, ખાડામાં ગટરના અને વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થતા સ્થાનિક વિસ્તારમાં બીમારી ફાટી નીકળી છે.

Ahmedabad: નર્કાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે નરોડાવાસી, ચોમાસામાં ખોદાયેલા ખાડાઓથી મુશ્કેલીઓમાં વધારો
નરોડામાં ચોમાસામાં ખોદાયેલા ખાડાથી લોકો પરેશાન
Darshal Raval
| Edited By: | Updated on: Jun 22, 2022 | 5:29 PM
Share

ગુજરાતમાં (Gujarat)  ચોમાસુ (Monsoon) શરુ થઇ ગયુ છે. જો કે અમદાવાદમાં (Ahmedabad) હજુ પણ ઠેક ઠેકાણે રોડ ખોદાયેલા જોવા મળે છે. અમદાવામાં નરોડામાં કેટલાક વિસ્તારમાં ખોદાયેલા ખાડા, ગંદકી , ખરાબ રસ્તાઓ જોવા મળી રહ્યા છે. ચોમાસુ નજીક છે ત્યારે અહીં બીમારી વધુ ફેલાવાનો પણ ડર છે. ખોદાયેલા ખાડાઓને કારણે પાણીની લાઇનમાં સમસ્યા સર્જાય છે. જેના કારણે લોકોને પીવાના શુદ્ધ પાણીની સમસ્યા પણ સર્જાય છે.

ખાડાઓમાં પાણી ભરાવાનું શરુ થયુ

અમદાવાદના નરોડામાં આવેલી વ્યાસવાડી નજીક કેનાલ પાસે RCC રોડ બનાવવાને લઈને 20 દિવસ પહેલા AMC દ્વારા રોડ ખોદી નાખવામાં આવ્યો હતો. AMCએ એ પણ ન વિચાર્યું કે ચોમાસુ નજીક છે અને કામ પૂર્ણ નહિ થાય તો સમસ્યા સર્જાઈ શકે છે. આ કજોડકામ બાદ AMC ત્યાં હાલ જોવા પણ નથી જઈ રહ્યું. તેના કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે રોડ ખોદી નખાતા લોકોને તેમના ઘરે જવામાં હાલાકી પડી રહી છે. તો ખોદેલા રોડમાં, ખાડામાં ગટરના અને વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થતા સ્થાનિક વિસ્તારમાં બીમારી ફાટી નીકળી છે. એટલું જ નહીં પણ રોડના ખોદકામને લઈને પાણીની લાઇનમાં સમસ્યા સર્જાતા લોકોને પીવાનું પાણી મળવામાં પણ સમસ્યા સર્જાય હોવાના લોકોના આક્ષેપ છે.

AMCએ ખોદેલા રોડ પર કપચી પાથરવાનું શરૂ કર્યું

નરોડામાં વ્યાસવાડી નજીક આવેલ કેનાલ પાસે જે ખોદકામ કરવા આવ્યું છે તે માત્ર એક કિલો મીટરની અંદર કરાયુ છે. આ કેનાલ પાસે થોડા દિવસ પહેલા પાણી વાલ્વનું કામ કરવા ખોદકામ કરતા લોકોને હાલાકી પડી હતી. જોકે કામ જલ્દી પૂર્ણ કરી દેવાયું હતુ, પણ આ રોડ તો ત્યાનું ત્યા જ છે. ત્યારે ચોમાસાનો વરસાદ થતા હવે AMCએ ખોદેલા રોડ પર કપચી પાથરવાનું શરૂ કર્યું છે. જેથી લોકોને લાગે કે કામગીરી થઈ રહી છે. પણ લોકો પણ જાણી ગયા કે AMC કોણીએ ગોડ ચોંટાડી રહ્યું છે. જેથી સ્થાનિક લોકોએ આ કામગીરી માટે સમય ખોટો પસંદ કર્યાનું જણાવી લોકોની સમસ્યા દૂર કરવા માગ કરી છે.

આ પહેલા નરોડા વિસ્તારમાં સાંઈ ચોક પાસે એક કિલો મીટરના રસ્તામાં હાલાકી સર્જાઇ હતી. જે ચાર વર્ષથી બન્યો નથી. આ રસ્તાની કામગીરીને લઇને AMC વિવાદમાં આવ્યું હતુ અને હવે તેજ વિસ્તાર પાસે આવેલી વ્યાસવાડી SRP તરફ જતા રોડના કામને લઈને AMC વિવાદમાં આવ્યું છે. કેમકે હાલમાં અહી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે હાલના કામને જોતા ચોમાસા દરમિયાન રસ્તાની કામગીરી પૂર્ણ ન થવાની શકયતા લોકોને  લાગી રહી છે. ત્યારે જોવાનું એ રહે છે વરસાદ સમયે AMC સ્થાનિકોની સમસ્યા ક્યારે અને કેવી રીતે દૂર કરશે.

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">