અમદાવાદ ચાંદખેડા વોર્ડના નારાજ ભાજપ કાર્યકરો રજૂઆત કરવા ખાનપુર ઓફીસ પહોંચ્યા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે BJPએ અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેની બાદ ટિકિટ વહેંચણીને લઈને સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે BJPએ અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેની બાદ ટિકિટ વહેંચણીને લઈને સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. તેમજ દાવેદારી કરનારા કાર્યકરોને ટિકિટ ન મળતા તેવો સમર્થકો સાથે અમદાવાદમાં BJPના ખાનપુર કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જેમાં ચાંદખેડા વોર્ડમાં જીગીશા પ્રજાપતિના બદલે કલ્પનાબેનને ઉમેદવાર બનાવતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ આ કાર્યકરો શહેર કાર્યાલય ખાતે પ્રમુખ જગદીશ પટેલ અને BJP પ્રદેશ ઉપ પ્રમુખ આઈ.કે. જાડેજાને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો: VADODARA: MS યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ ઘટાડવાની માંગ સાથે ABVPનું વિરોધ પ્રદર્શન
Latest Videos
Latest News