Ahmedabad: પોલીસ હેડક્વાર્ટર ખાતે વ્યાજખોરો વિરૂદ્ધ મેગા લોકદરબાર, ‘મે વી હેલ્પ’ કાર્યક્રમ અંતર્ગત નવતર અભિગમ

લોક દરબારમાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, બેંકના અધિકારીઓ લોકોને જરૂરી માર્ગદર્શન આપશે. જો કોઈ વ્યક્તિ કે વેન્ડરને નાની રકમની લોન જોઈતી હશે તો તેને લોન અપાવવામાં પણ પોલીસ મદદરૂપ બનશે.

Ahmedabad: પોલીસ હેડક્વાર્ટર ખાતે વ્યાજખોરો વિરૂદ્ધ મેગા લોકદરબાર, ‘મે વી હેલ્પ' કાર્યક્રમ અંતર્ગત નવતર અભિગમ
mega drive against vyajkhor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 12:00 PM

સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરૂદ્ધ ચુસ્ત પગલાં ભરી વ્યાજખોરોનો ભોગ બનનાર લોકોને ન્યાય અપાવવા માટે ખાસ ઝુંબેશ ચાલુ છે. ત્યારે અમદાવાદ પોલીસ હેડકવાર્ટર ખાતે વ્યાજખોરો વિરૂદ્ધ આજે મેગા લોક દરબાર યોજાશે. અહીં શહેરના અલગ અલગ ઝોન મુજબ લોકો વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ કરી શકશે. આ ઉપરાંત સાંજે લોક દરબારમાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, બેંકના અધિકારીઓ લોકોને જરૂરી માર્ગદર્શન આપશે. જો કોઈ વ્યક્તિ કે વેન્ડરને નાની રકમની લોન જોઈતી હશે તો તેને લોન અપાવવામાં પણ પોલીસ મદદરૂપ બનશે.

28, 29 અને 30 જાન્યુઆરી સુધી ‘મે વી હેલ્પ’ કાર્યક્રમ યોજાશે

વ્યાજખોરના ત્રાસને કારણે ઘણા પરિવાર મોતને ભેટતા હોય છે અથવા તો સામૂહિક આપઘાત કરતા હોય છે આવી સમસ્યાને ડામવા માટે પોલીસે આ ડ્રાઈવ શરૂ કરી છે. 31 જાન્યુઆરી સુધી આ સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે. ત્યારે પોલીસ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને મદદ કરવા મેગા લોકદરબાર આયોજિત કરી રહી છે. મેગા  લોકદરબારની મુખ્ય બાબતો આ પ્રમાણે છે.

  • દરેક પોલીસ સ્ટેશન દીઠ ત્રણ કાર્યક્રમ યોજવામાં આવશે
  • અમદાવાદ શહેરમાં કુલ 48 જેટલા પોલીસ સ્ટેશન કાર્યરત
  • બેંક અધિકારીને સાથે રાખીને સ્ટ્રીટ વેન્ડરની મુલાકાત લેશે
  • નવતર અભિયાનમાં ટ્રાફિક પોલીસકર્મીઓ પણ સહાયક બનશે.
  • ઝોન મુજબ પીડિતો ફરિયાદ કરી શકશે
  • વ્યાજના વિષચક્રથી બચાવવા પોલીસ અધિકૃત રીતે લોન અપાવશે

જાણો કેવી રીતે  રીતે ચાલે છે વ્યાજનું વિષચક્ર

નોંધનીય છે કે વ્યાજખોરના ત્રાસને કારણે ઘણા પરિવાર મોતને ભેટતા હોય છે અથવા તો સામૂહિક આપઘાત કરતા હોય છે આવી સમસ્યાને  ડામવા માટે પોલીસે આ  ડ્રાઈવ શરૂ કરી છે. જરૂરિયાત મંદોને મોટા વ્યાજ સાથેં નાણાંનું ધિરાણ આપવામાં આવે છે અને ગ્રાહકને જરૂર હોય  તેટલે તે વ્યાજખોરે આપેવા વ્યાજે રકમ લે છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

વ્યાજખોરો ગ્રાહક પાસેથી 10-20 ટકા વ્યાજ વસુલી કરે છે જોકે શરાફી વ્યાજમાં 1 ટકાથી 2.5 ટકા સુધી વ્યાજ સર્વ સામાન્ય હોય છે. વ્યાજખોર પાસે લાયસન્સ હોવાથી તે ગ્રાહકના ખાતામાં RTGSથી પૈસા નાંખે છે. RTGSથી પૈસા નાંખતા તે કાયદાકીય રીતે તે સાચો પુરવાર થાય છે. વ્યાજના માત્ર 2 ટકા ગ્રાહક પાસેથી ખાતામાં વસુલ કરે છે અન્ય ઉપરના વ્યાજની ટકાવારી બ્લેકમાં રોકડના રૂપમાં વસુલે છે. રોકડ નાણાંનો કોઈ પુરાવો ન રહેતા બેફામ વ્યાજ વસુલે છે અને નાણાં આપ્યા બાદ અનેક ગણા રૂપિયા વસુલવાનું શરૂ કરે છે.

વ્યાજખોરો 10 હજાર આપી રોજના રૂપિયા 500 સુધી વસુલે છે વ્યાજ

નાણાં આપવામાં વિલંબ કરતા ધિરાણકારો પર દબાણ કરે છે ,વ્યાજ આપવામાં મોડું થાય તો ગ્રાહક પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ લે છે. ગ્રાહક કંટાળીને પોલીસ પાસે જાય તો પણ લાયસન્સ હોવાથી વ્યાજખોર બચી જાય છે. તેમજ વ્યાજ ચૂકવી ન શકનાર ગ્રાહકોને ધિકાણકારો ધમકીઓ આપે છે અને નાણાંના બદલામાં ધિરાણદાર મિલકત પર ગેરકાયદે કબજો કરે છે, વ્યાજ ન ચુકવી શકનારાઓના પરિવારની મહિલાઓ પાસે અભદ્ર માંગણી પણ થાય છે. વ્યાજે લીધેલા રૂપિયાથી પણ ઘણીવાર વધુ વ્યાજ વસુલી લેવામાં આવે છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">