AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ભગવાન જગન્નાથજીની આજે થશે નેત્રોત્સવ વિધિ, ભક્તોમા ઉત્સાહનો માહોલ

Ahmedabad: અમદાવાદમાં જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ થશે. આ વિધિમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનનો લાભ લેશે. મામાના ઘરે ભગવાન જગન્નાથજીએ મીઠાઈ અને જાંબુ વધુ આરોગ્યા હોવાથી તેમને આંખો આવે છે.

Ahmedabad: ભગવાન જગન્નાથજીની આજે થશે નેત્રોત્સવ વિધિ, ભક્તોમા ઉત્સાહનો માહોલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 1:00 AM
Share

Ahmedabad : ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે રવિવારે  નેત્રોત્સવની વિધિ યોજાશે. અમદાવાદના જમાલપુર સ્થિત પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં નેત્રોત્સવ વિધિ સમયે મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેશે. ભગવાન જગન્નાથ, બલભદ્રજી, બહેન સુભદ્રાજી પંદર દિવસ સરસપુરમાં મામાના ઘરે રહ્યાં બાદ પરત ફર્યા છે. ત્યારે પ્રભુનો મંદિરના ગર્ભગૃહમાં ભગવાનનો પ્રવેશ કરાવવામાં આવશે. પ્રભુએ મોસાળમાં રોકાણ સમયે મિષ્ટાનો અને જાંબુ વધુ આરોગ્યા હોવાથી આંખો આવે છે.

જેથી ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે પાટા બાંધી દેવામાં આવે છે. આ પ્રભુની આંખે પાટા બાંધવાની વિધિ જ નેત્રોત્સવ વિધિ તરીકે ઓળખાય છે. અષાઢી બીજે રથયાત્રાના દિવસે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવશે. નેત્રોત્સવ વિધિ બાદ અંદાજે સવારે સાડા નવ કલાકે ધ્વજારોહણ વિધિ થશે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે.

રથયાત્રાને લઈને શહેરમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારથયાત્રાના રૂટ પર સુરક્ષાનું નિરીક્ષણ કર્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુરક્ષા અંગે માહિતી આપી. પોલીસ કમિશનર દ્વારા રૂટ પર નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. ખાસ કરીને બેરિકેટિંગ મુકવાના લોકેશનના સૂચનો કરવામાં આવ્યા છે.

રથયાત્રાના દર્શને આવતા લોકો બેરિકેટની પાછળ ઉભા રહે તેવી પોલીસે અપીલ કરી છે. જ્યારે કે શ્રદ્ધાળુઓની ભીડ પર નજર રાખવા માટે કુલ 25 વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. ઇમરજન્સી માટે 16 જેટલી એમ્બ્યુલન્સ પણ તૈનાત રહેશે. જ્યારે કે 17 જન સહાયતા કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે.

મંદિર પર રાત્રે બે વાગ્યાથી રહેશે VIP બંદોબસ્ત

રથયાત્રામાં ટ્રાફિકને લઇને પણ અલગ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મંદિર પર રાત્રે 2 વાગ્યાથી વીઆઇપી બંદોબસ્ત રહેશે. જ્યારે કે રથયાત્રામાં જનારા ટ્રકનું પાર્કિંગ ફૂલ બજાર પાસે રહેશે. 100 જેટલી ટ્રકોને ત્યાંથી નંબર ફાળવી રવાના કરવામાં આવશે. સરસપુર ખાતે પણ કોઇ મુશ્કેલી ન પડે તે રીતે પાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે. રથયાત્રાના રૂટ પર 27 જેટલા રસ્તાઓ બંધ કરાયા છે. વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે રોડ પર ડાયવર્ઝન કરાયું છે.

આ પણ વાંચો : Rath Yatra 2023: 30,000 કિલો મગ સહિત આ વસ્તુઓમાંથી તૈયાર થશે પ્રસાદ, 18 ગજરાજ અને 30 અખાડા વધારશે ભગવાન જગન્નાથની રથયાત્રાની શોભા

અફવા ફેલાવતા તત્વોને લઈને સોશિયલ મીડિયા પર પણ સાઈબર પોલીસની બાઝ નજર

અસામાજિક તત્વો રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી માહોલ બગાડવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે પોલીસે અફવાઓથી દૂર રહેવા અને સોશિયલ મીડિયા પર આવતી આ પ્રકારની માહિતીઓ પર ધ્યાન ન આપવા લોકોને અપીલ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
g clip-path="url(#clip0_868_265)">