Ahmedabad: રાજ્યમાં શનિવારે ઘટેલી બે અકસ્માતની ઘટનામાં મોરારી બાપુએ 9 મૃતકોના પરિજનોને આપી 1 લાખની સહાય

Ahmedabad: દેશ -વિદેશમાં બનેલી અકસ્માત અને કુદરતી આપદાની ઘટનામાં મોરારી બાપુ દ્વારા સહાય નાની મોટી સહાય અચૂક કરવામાં આવે છે. જેમાં ગઈકાલે શનિવારે રાજ્યમાં ઘટેલી બે અકસ્મતાની ઘટનામાં મૃત્યુ પામેલા 9 મૃતકોના પરિજનોને બાપુએ 11 હજારની સહાય અર્પણ કરી છે.

Ahmedabad: રાજ્યમાં શનિવારે ઘટેલી બે અકસ્માતની ઘટનામાં મોરારી બાપુએ 9 મૃતકોના પરિજનોને આપી 1 લાખની સહાય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 6:35 PM

રામકથાકાર મોરારી બાપુ દેશમાં કે વિદેશમાં ઘટતી કુદરતી આપદા જેવી કે ભૂકંપ, પૂર જેવી ઘટનામાં પીડિતોને મદદરૂપ થવા માટે નાની મોટી સહાય અચૂક મોકલે છે. જ્યારે રાજ્યમાં ગઈકાલે શનિવારે (06.05.23) ઘટેલી બે ગોજારા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે કાર અને ડમ્પર વચ્ચે ગોજારા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. ત્યારે આ મૃતકોના પરિજનો પ્રત્યે મોરારી બાપુએ સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના પરિવારને 11 હજાર લેખે કુલ મળીને 66 હજારની સહાય અર્પણ કરી છે.

ભાણવડ નજીક થયેલા અકસ્માતમાં ત્રણ મૃતકોના પરિજનોને 33 હજારની મોકલી સહાય રાશિ

આ તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક એક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મૃતકોના પરિજનોને પણ મોરારીબાપુ દ્વારા 33 હજારની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે.

સર્બિયાના ગોળીબારમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિજનોનો સંપર્ક કરી મોકલશે સહાય

આ અગાઉ સર્બિયાની શાળામાં એક વિદ્યાર્થીએ આડેધડ અને અંધાધૂંધ ગોળીબાર કરી શિક્ષકો સહિત નવ લોકોના મોત થયા હતા. રામકથાના વિદેશ સ્થિત શ્રોતાએ દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેની વિગતો મળતા જ મોરારીબાપુ દ્વારા સહાય રાશિ પહોંચતી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ છે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

આ પણ વાંચો: PM Modi ના માતા હીરા-બા ના નિધન પર મોરારી બાપુએ કહ્યું પરિવારને મારા ‘જય શ્રી રામ’, સાંભળો VIDEO

રવાન્ડામાં આવેલા ભયાનક પૂરના પીડિતોને સ્થાનિક ચલણમાં મોકલાઈ સહાય

આ ઉપરાંત આફ્રિકાના રવાન્ડામાં ભયાનક પુર આવવાથી 130 જેટલા લોકોના મોત નિપજયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા પૂજ્ય બાપુએ રવાન્ડા ખાતે રામકથા કરી હતી. રવાંડાની કુદરતી આપદાની ઘટનાની વિગતો પણ મેળવવામાં આવી છે અને નાઈરોબી – કેન્યા સ્થિત રામકથાના શ્રોતા દ્વારા રવાંડાના પુરગ્રસ્ત લોકોને પણ સ્થાનિક ચલણમાં સહાય અર્પણ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">