AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: રાજ્યમાં શનિવારે ઘટેલી બે અકસ્માતની ઘટનામાં મોરારી બાપુએ 9 મૃતકોના પરિજનોને આપી 1 લાખની સહાય

Ahmedabad: દેશ -વિદેશમાં બનેલી અકસ્માત અને કુદરતી આપદાની ઘટનામાં મોરારી બાપુ દ્વારા સહાય નાની મોટી સહાય અચૂક કરવામાં આવે છે. જેમાં ગઈકાલે શનિવારે રાજ્યમાં ઘટેલી બે અકસ્મતાની ઘટનામાં મૃત્યુ પામેલા 9 મૃતકોના પરિજનોને બાપુએ 11 હજારની સહાય અર્પણ કરી છે.

Ahmedabad: રાજ્યમાં શનિવારે ઘટેલી બે અકસ્માતની ઘટનામાં મોરારી બાપુએ 9 મૃતકોના પરિજનોને આપી 1 લાખની સહાય
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 6:35 PM
Share

રામકથાકાર મોરારી બાપુ દેશમાં કે વિદેશમાં ઘટતી કુદરતી આપદા જેવી કે ભૂકંપ, પૂર જેવી ઘટનામાં પીડિતોને મદદરૂપ થવા માટે નાની મોટી સહાય અચૂક મોકલે છે. જ્યારે રાજ્યમાં ગઈકાલે શનિવારે (06.05.23) ઘટેલી બે ગોજારા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે કાર અને ડમ્પર વચ્ચે ગોજારા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. ત્યારે આ મૃતકોના પરિજનો પ્રત્યે મોરારી બાપુએ સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના પરિવારને 11 હજાર લેખે કુલ મળીને 66 હજારની સહાય અર્પણ કરી છે.

ભાણવડ નજીક થયેલા અકસ્માતમાં ત્રણ મૃતકોના પરિજનોને 33 હજારની મોકલી સહાય રાશિ

આ તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક એક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મૃતકોના પરિજનોને પણ મોરારીબાપુ દ્વારા 33 હજારની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે.

સર્બિયાના ગોળીબારમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિજનોનો સંપર્ક કરી મોકલશે સહાય

આ અગાઉ સર્બિયાની શાળામાં એક વિદ્યાર્થીએ આડેધડ અને અંધાધૂંધ ગોળીબાર કરી શિક્ષકો સહિત નવ લોકોના મોત થયા હતા. રામકથાના વિદેશ સ્થિત શ્રોતાએ દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેની વિગતો મળતા જ મોરારીબાપુ દ્વારા સહાય રાશિ પહોંચતી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: PM Modi ના માતા હીરા-બા ના નિધન પર મોરારી બાપુએ કહ્યું પરિવારને મારા ‘જય શ્રી રામ’, સાંભળો VIDEO

રવાન્ડામાં આવેલા ભયાનક પૂરના પીડિતોને સ્થાનિક ચલણમાં મોકલાઈ સહાય

આ ઉપરાંત આફ્રિકાના રવાન્ડામાં ભયાનક પુર આવવાથી 130 જેટલા લોકોના મોત નિપજયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા પૂજ્ય બાપુએ રવાન્ડા ખાતે રામકથા કરી હતી. રવાંડાની કુદરતી આપદાની ઘટનાની વિગતો પણ મેળવવામાં આવી છે અને નાઈરોબી – કેન્યા સ્થિત રામકથાના શ્રોતા દ્વારા રવાંડાના પુરગ્રસ્ત લોકોને પણ સ્થાનિક ચલણમાં સહાય અર્પણ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">