AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સાણંદના ઝાપ ગામે નારીશક્તિએ જગાવી સ્વચ્છતાની મશાલ, સ્વચ્છતાને જ બનાવ્યો પોતાનો ધર્મ અને કર્મ

સાણંદ તાલુકાના ઝાપ ગામે કાર્યરત 'જય ચામુંડા સ્વસહાય જૂથ'ની મહિલાઓ દરરોજ સવારે ઝાપ ગામના રોડ રસ્તાઓ, મુખ્ય ચોક, તળાવનો કિનારો વગેરે જાહેર જગ્યાઓ સહિત તમામ સ્થળોની સફાઈ કરે છે. આ સખી મંડળના ત્રણેય બહેનો ગામની સાફ-સફાઈ કરી રૂપિયા ૩૦૦૦નું માસિક વેતન મેળવે છે.

Ahmedabad: સાણંદના ઝાપ ગામે નારીશક્તિએ જગાવી સ્વચ્છતાની મશાલ, સ્વચ્છતાને જ બનાવ્યો પોતાનો ધર્મ અને કર્મ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 3:52 PM
Share

Ahmedabad: આપણા દેશમાં મહિલાઓ ઘરના ફળિયાથી માંડી રસોડા સુધી ઘરના ખૂણે-ખૂણે સ્વચ્છતાની તકેદારી રાખતા જ હોય છે. પરંતુ અહીં અમદાવાદના સાણંદ તાલુકાના એક એવા ગામની મહિલાઓની વાત છે જેમનો સ્વચ્છતા યજ્ઞ માત્ર તેમના ઘર પૂરતો સીમિત નથી. તેમણે સમગ્ર ગામની સ્વચ્છતાને જ પોતાનો ધર્મ અને પોતાનું કર્મ બનાવી દીધું છે.

સાણંદ તાલુકાના ઝાપ ગામે કાર્યરત ‘જય ચામુંડા સ્વસહાય જૂથ’ની મહિલાઓ દરરોજ સવારે ઝાપ ગામના રોડ રસ્તાઓ, મુખ્ય ચોક, તળાવનો કિનારો વગેરે જાહેર જગ્યાઓ સહિત તમામ સ્થળોની સફાઈ કરે છે. આ સખી મંડળના ત્રણેય બહેનો ગામની સાફ-સફાઈ કરી રૂપિયા 3000નું માસિક વેતન મેળવે છે.

આ પણ વાંચો: Ahmedabad: અમદાવાદમાં જાહેરમાં હોસ્પિટલો દ્વારા મેડિકલ વેસ્ટ ફેંકતા રોગચાળો ફેલાવાનો ભય, સ્થાનિકોમાં રોષ, જુઓ video

મંગુબેન અમરશીભાઈ, શારદાબેન મનુભાઈ અને લીલાબેન બુધાભાઈ નામની આ ત્રણેય મહિલાઓની સ્વચ્છતાની કામગીરીની જિલ્લા સ્તર પર નોંધ લેવાઈ છે. જેના પરિણામે તેમને વહીવટી તંત્ર તરફથી 20 હજારનું રિવોલવિંગ ફંડ પણ આપવામાં આવ્યું છે.

ગામના સરપંચ રાજુભાઇ ગોહેલ જણાવે છે કે, ‘જય ચામુંડા સ્વસહાય જૂથ’ની મહિલાઓ ગામને સ્વચ્છ અને સુખડ રાખે છે. આ મહિલાઓ ગ્રામજનોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં મોટું યોગદાન આપી રહ્યા છે આ પ્રકલ્પ દ્વારા ગામને ગુણવત્તા યુક્ત સેવા અને ગામની સ્વા સહાય જૂથની મહિલાઓને ઘર આંગણે રોજગારી મળી રહી છે. ગામની સ્વચ્છતા માટે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપતા ત્રણેય બહેનો સંતોષની લાગણી અનુભવે છે જ્યારે તેમને મળતા મહેનતાણાથી તેમના પરિવારનો નિભાવ પણ સરળ બની રહ્યો.

ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા અને નારી ઉત્થાન પર ખૂબ ભાર આપ્યો હતો. સાથોસાથ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ ગાંધીજયંતી બાદ “સ્વચ્છતા હી સેવા” ઉપક્રમ શરૂ કરાયો છે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની આસપાસની ગંદકી દૂર કરી સ્વચ્છતા રાખવા કટિબદ્ધ બને. ત્યારે જાપ ગામના સખી મંડળની આ બહેનો તમામ લોકો માટે પ્રેરણાની અનોખી મશાલ બની છે.

અમદાવાદ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">