AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: એક તો બહારની ગરમી અને એમાં 6 દિવસથી AC બંધ ! કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ આમને સામને આવી જવાથી માહોલ ગરમ

Ahmedabad: અદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની કેબિનમાં 6 દિવસથી એસી બંધ થતા ઉકળી ઉઠ્યા હતા. ગરમીને કારણે અકળાયેલા નેતાઓએ અધિકારીઓનો ઉધડો લીધો અને જણાવ્યુ કે અધિકારીઓની કેબિનમાં સેન્ટ્રલ એસી અને સ્પિલીટ એસીની સવલતો સહિતની સવલતો છે જ્યારે જનતાની સમસ્યા સાંભળતા નેતાઓના એસી 6-6 દિવસથી બંધ છે.

Ahmedabad: એક તો બહારની ગરમી અને એમાં 6 દિવસથી AC બંધ ! કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ આમને સામને આવી જવાથી માહોલ ગરમ
Jignesh Patel
| Edited By: | Updated on: Apr 11, 2023 | 9:32 AM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચોથા માળે સેન્ટ્રલ AC  VRV સિસ્ટમ બંધ થતા નેતાઓ પરસેવે રેબજેબ થઈ ગયા. 6 દિવસ થી AC બંધ હોવાથી નેતાઓ અધિકારીઓ પર વીફર્યા. તમામ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની કેબિનમાં AC બંધ થતાં ઉકળી ઉઠ્યા હતા.

કોર્પોરેશન દ્વારા બે દિવસ યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ કોર્પોરેશનના ચેરમેન ડેપ્યુટી ચેરમેન સહિતના પદાધિકારીઓની ઓફિસના AC 6 દિવસ થી બંધ હોવાના કારણે પરેશાન થઈ ગયા. અધિકારીઓની ઓફિસમાં સેન્ટ્રલ AC સિસ્ટમ સહિત સ્પલિટ AC પણ લગાવવામાં આવ્યા છે. અધિકારીઓને ગરમીથી બચાવવા માટે એક જ કેબિનમાં બબ્બે પ્રકારના એસીની સવલત સામે નેતાઓ રોષે ભરાયા.

AMC અધિકારીઓ તેમજ કમિટીઓના ચેરમેન આમને સામને આવી ગયા. કોર્પોરેશન દ્વારા યેલો એલર્ટની જાહેરાત કરાઈ તો બીજી તરફ એસી બંધ થતા ગરમીના પ્રકોપમાં કમિટીના ચેરમેન ઉકળી ઉઠ્યા હતા.

અમદાવાદ શહેરમાં ગરમી પારો વધી રહ્યો છે. લોકો ગરમીમાં પરેશાન થઇ રહ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આવતીકાલથી બે દિવસ યલો એલર્ટની આગાહી કરાઈ છે. પરંતુ અમદાવાદ મહાનગર પાલિકાની ઓફિસમાં બેસતા ચેરમેન અને ડે પ્યુટી ચેરમેનની ઓફિસમાં એસી બંધ થતા, એએમસીના પદાધિકારીઓ લાલઘૂમ થયા છે. એએમસીની મુખ્ય બિલ્ડીંગ શહેરના મધ્ય વિસ્તાર ખમાસામાં આવેલી છે. અહીં કમિશનર, મેયર અને ચેરમેન સહિત વિપક્ષ અને ઉચ્ચ અધિકારીઓની બેઠક વ્યવસ્થા છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી એએમસી બિલ્ડીગના ચોથા માળે આવેલા ફ્લોર પર આવેલી તમામ ઓફિસમાં સેન્ટ્રલ એસી બંધ થતા તમામ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન અકળાયા હતી.

એક ચેરમેને તો અધિકારીઓને ખખડાવતા કહ્યું હતું કે એએમસીના કમિશનર અને ડેપ્યુટી કમિશનર ઓફિસમાં બે બે એસી મુકાય છે. એક સેન્ટ્રલ એસી હોય છે અને બીજી સ્પ્લીટ એસી પણ મુકાયા છે. તો પછી પદાધિકારીઓની ઓફિસમાં કેમ સ્પ્લીટ એસી મુકાતા નથી. છેલ્લા એસ સપ્તાહથી એસી રિપેર કરવા માટે સતત સુચનાઓ અપાઇ છે છતા પણ કોઇ યોગ્ય જવાબ મળતો નથી.

આ પણ વાંચો: Breaking News: Gujarat weather : યલો એલર્ટની આગાહી! ગરમીનો પારો વધી શકે છે? જાણો શું છે હવામાન વિભાગની આગાહી

ગરમીના કારણે એક કમિટીના ચેરમેને તો ત્યાં સુધી જણાવ્યુ કે જો એસી સત્વેર રિપેર નહી થાય તો અધિકારીઓની જ ઓફિસ ચેમ્બરમાં લઈ જઇ કાઉન્સિલર તરીકે લોકોની સમસ્યા સાંભળવા સુધીની ચીમકી ઉચ્ચારી.

અમદાવાદ શહેરની દાણાપીઠ ખાતેની એએમસીની મુખ્ય બિલ્ડીગમાં છ ફ્લોર આવેલા છે. જેમા ચોથા ફ્લોરમાં એએસમીના 12 કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન તેમજ કોંગ્રસ અને ભાજપ પક્ષની ઓફિસ આવેલી છે. પણ ઓફિસમાં સેન્ટ્રલ એસી બંધ થતા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ગરમીમાં અકળાયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">