Ahmedabad : ગામડાની રોનક દર્શાવતી થીમ પર ગણપતિ, શહેરીજનોને ગ્રામ્ય સંસ્કૃતિથી વાકેફ કરાયા

અમદાવાદ (Ahmeabad) શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ ડબગરવાડમાં છેલ્લા 15 વર્ષથી ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2022) પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દર વર્ષે ડબગરવાડ વાસીઓ અલગ અલગ થીમ બનાવીને લોકો સુધી ધાર્મિક સંદેશો પહોંચાડી રહ્યા છે.

Ahmedabad : ગામડાની રોનક દર્શાવતી થીમ પર ગણપતિ, શહેરીજનોને ગ્રામ્ય સંસ્કૃતિથી વાકેફ કરાયા
કાલુપુરમાં ગામડાની રોનક દર્શાવતી થીમ પર ગણપતિ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 05, 2022 | 11:41 AM

ગુજરાતમાં (Gujarat) ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદવાસીઓ (Ahmedabad) ગણેશોત્સવની વિવિધ રૂપે ઉજવણી કરી રહ્યા છે. ક્યાંક ગણપતિ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે. તો ક્યાંક ધાર્મિક પ્રસંગો સાથે ગણપતિની પૂજા અર્ચના (Ganesh chaturthi 2022) કરવામાં આવેલી છે. તો હાલના સમયમાં હરણફાળ ગતિએ વિકાસ કરતા શહેરની સામે ગામડાઓની રોનક ગાયબ થઈ રહી છે. જે રોનક પરત લાવવા અને ગામડાઓનો વિકાસ થાય તે હેતુસર અમદાવાદ શહેરમાં વિવિધ પ્રકારની થીમો જોવા મળી રહી છે.

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ ડબગરવાડમાં છેલ્લા 15 વર્ષથી ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દર વર્ષે ડબગરવાડ વાસીઓ અલગ અલગ થીમ બનાવીને લોકો સુધી ધાર્મિક સંદેશો પહોંચાડી રહ્યા છે. સાથે જ માટીના અને ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવીને પુરસ્કાર પણ મેળવી રહ્યા છે. જે ડબગરવાડ વાસીઓએ આ વર્ષે ગામડું દર્શાવતી થીમ બનાવી છે. જેમાં ગામડા જેવા ઘર ગામડામાં થતી પ્રવૃત્તિઓ જેવી કે પથ્થરમાં લોટ દળવો સહિતની વિવિધ પ્રવૃત્તિઓ બતાવીને શહેરીજનોને ગામડાની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આયોજકોનું માનવુ છે કે, હાલ શહેર વિકાસ કરી રહ્યું છે જેના કારણે લોકો ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે અને ગામડાની રોનક છીનવાઈ રહી છે. જે પરિસ્થિતિ સુધારવા અને ખરેખર ગામડું શું કહેવાય અને ગામડાની મજા શું કહેવાય તે સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે આ થીમ બનાવી હોવાનું જણાવ્યું.

તો બીજી તરફ કાલુપુરમાં આવેલ કવિ દલપતરામ ચોક ખાતે પણ ગામડાની એક થીમ બનાવવામાં આવી છે. દલપતરામ ચોક ખાતે છેલ્લા 14 વર્ષથી ગણેશ પર્વની ઉજવણી કરાય છે. જ્યાં પણ અલગ અલગ થીમ બનાવીને લોકો સુધી ધાર્મિક સામાજિક સંદેશો પહોંચાડે છે. જ્યાં આ વર્ષે આયોજકો દ્વારા ગણપતિને ખેડૂત તરીકે દર્શાવવામાં આવ્યા છે. કેમકે આયોજકોનું માનવું છે કે ખેડૂત જગતનો તાત છે જે ખેડૂતને વધુ વરસાદ પડતા તેમજ ઓછો વરસાદ પડતા પાકને નુકસાન થાય છે. તેમજ ખેડૂત કડી મહેનત કરીને જ્યારે પાક ઉગાડે છે જે બાદ લોકો સુધી પાક પહોંચે છે અને લોકો તેનો આહાર કરી શકે છે અને જીવન જીવી શકે છે. જે ખેડૂતની પરિસ્થિતિને લોકો સુધી પહોંચાડવા માટે આ થીમ તેઓ બનાવી હોવાનું આયોજકો એ જણાવ્યું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ બંને થીમ એવી છે કે જે ગામડાઓની અને ખેડૂતની પરિસ્થિતિને દર્શાવે છે. તેમજ ભારતની સંસ્કૃતિને પણ ક્યાંક ઉજાગર કરે છે. જે થીમ બનાવનાર ડબગર વાળ અને દલપતરામ ચોકના આયોજકોએ છેલ્લા કેટલાક વર્ષથી અમદાવાદ શહેરમાં સર્વશ્રેષ્ઠ ગણપતિ અને થીમ બનાવવા પર એવોર્ડ પણ મેળવ્યા છે. અને આ વર્ષે પણ તેઓ એવી જ આશા રાખી રહ્યા છે કે તેઓને સારી થીમ બનાવવા અને માટીના ગણપતિની સ્થાપના કરવા બદલ એવોર્ડ મળે. જેથી તેમના પ્રોત્સાહનમાં વધારો થાય અને તેઓ દર વર્ષે કઈંક અલગ સંદેશો થીમ થકી સારી રીતે પહોંચાડી શકે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">