Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વિરાટનગરમાં વીર જવાન મહિપાલસિંહની શહીદ યાત્રા, સંતાનના આગમન સમયે જ પિતાની વિદાય, જુઓ Video

જમ્મુ-કાશ્મીરમાં મહિપાલસિંહ ફરજ પર હતા જે દરમ્યાન આતંકીઓ સાથેની અથડામણમાં તેઓ શહીદ થયા. અમદાવાદમાં તેમની શહીદ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Ahmedabad: વિરાટનગરમાં વીર જવાન મહિપાલસિંહની શહીદ યાત્રા, સંતાનના આગમન સમયે જ પિતાની વિદાય, જુઓ Video
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Aug 06, 2023 | 7:01 PM

મા ભોમની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વિરાટનગરના (Viratnagar) વીર જવાન શહીદ મહિપાલસિંહ વાળાને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી. ગુજરાતના સપૂતને શ્રદ્ધાંજલિ આપવા જાણે કે આખું અમદાવાદ ઉમટી પડ્યું. શહીદ મહિપાલસિંહ વાળાની અંતિમ યાત્રામાં જંગી જનમેદની ઉપસ્થિત રહી. અબાલવૃદ્ધ સૌ કોઇ સપૂતના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા. આ દરમિયાન ‘શહીદ જવાન અમર રહો’ના ગગનભેદી નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાન જગદીશ વિશ્વકર્મા સહિતના રાજકીય આગેવાનોએ શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી. સેનાના જવાનો દ્વારા શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ સમયે મહિપાલસિંહના પત્ની અને માતા સહિતના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ઉપસ્થિત સૌ કોઇની આંખો ભીની થઇ.

દીકરીના જન્મ પર સરકાર આપશે 1.5 લાખ રૂપિયા
IPL 2025ના તે ખેલાડીઓ જેમને BCCI તરફથી મળે છે પેન્શન
Nita Ambani New Look : નીતા અંબાણીનો પરંપરાગત સાડીમાં નવો લુક, જુઓ Photos
AC નું આયુષ્ય કેટલું હોય છે અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?
SBI માંથી 30 લાખની હોમ લોન લેવા પગાર કેટલો હોવો જોઈએ ?

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે લડતાં-લડતાં શહીદ થયેલા 25 વર્ષીય મહિપાલસિંહનો પાર્થિવ દેહ વિરાટનગરમાં તેમના નિવાસસ્થાને પહોંચતા મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે ઉમટ્યા. મહિપાલસિંહ અમર રહોના નાદ સાથે સમગ્ર વિરાટનગર ગુંજી ઉઠ્યું. આ દરમિયાન નાનકડા બાળકે હાથમાં તિરંગા અને શૌર્યગીત સાથે શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

મહિપાલસિંહ પાંચેક વર્ષ પહેલાં ભારતીય સેનામાં જોડાયા હતા. શરૂઆતમાં તેમણે જબલપુરમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ ગુવાહાટી અને ચંડીગઢમાં ફરજ બજાવી હતી અને 6 મહિના પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું. તેઓ સેનાની વિશેષ ટુકડી 34 રાઈફલમાં સેવા આપતા હતા.

આ પણ વાંચો : શહીદ જવાન મહિપાલસિંહને શ્રદ્ધાંજલિ આપવા વિરાટનગરમાં ઉમટી વિરાટ જનમેદની, CMએ પણ આપી શ્રદ્ધાંજલિ, જુઓ Video

શહીદ મહિપાલસિંહ એક મહિના પહેલાં જ અમદાવાદ આવ્યા હતા. મહિપાલસિંહનાં લગ્ન ત્રણેક વર્ષ પહેલાં થયાં હતા. તેમની પત્ની હાલમાં ગર્ભવતી છે અને તેમના 9 મહિના પૂર્ણ થઈ ગયા છે. આજે સવારે જ તેઓને પ્રસૂતિનો દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એકતરફ મહિપાલસિંહનાં પત્ની હોસ્પિટલમાં છે અને બીજીતરફ આજે આ દુઃખદ સમાચાર આવતા પરિવારજનો ઉપર ખૂબ જ આભ તૂટી પડ્યું છે. તેમના પરિવારમાં તેમની પત્ની, માતા મોટાભાઈ અને બે બહેનો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
g clip-path="url(#clip0_868_265)">