Ahmedabad: શહીદ જવાન મહિપાલસિંહને શ્રદ્ધાંજલિ આપવા વિરાટનગરમાં ઉમટી વિરાટ જનમેદની, CMએ પણ આપી શ્રદ્ધાંજલિ, જુઓ Video

અમદાવાદમાં શહીદ જવાન મહિપાલસિંહની આજે અંતિમયાત્રા નીકળશે. અમદાવાદ એરપોર્ટથી લઈને વિરાટનગર સુધી શહીદ જવાન મહિપાલસિંહની અંતિમયાત્રા કાઢવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 6:20 PM

અમદાવાદના વિરાટનગર વિસ્તારના જવાને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે લડતાં-લડતાં શહીદ થયેલા 25 વર્ષીય મહિપાલસિંહનો પાર્થિવ દેહ વિરાટનગરમાં તેમના નિવાસસ્થાને લવાયો છે. તેમના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમના પરિવારને સાંત્વના પાઠવવા મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે ઉમટી પડ્યા હતા.

તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ શહીદ મહિપાલસિંહના નિવાસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ આપી હતી. મહિપાલસિંહ પાંચેક વર્ષ પહેલાં ભારતીય સેનામાં જોડાયા હતા. શરૂઆતમાં તેમણે જબલપુરમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ ગુવાહાટી અને ચંડીગઢમાં ફરજ બજાવી હતી અને 6 મહિના પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું. તેઓ સેનાની વિશેષ ટુકડી 34 રાઈફલમાં સેવા આપતા હતા.

શહીદ મહિપાલસિંહ એક મહિના પહેલાં જ અમદાવાદ આવ્યા હતા. મહિપાલસિંહનાં લગ્ન ત્રણેક વર્ષ પહેલાં થયાં હતા. તેમની પત્ની હાલમાં ગર્ભવતી છે અને તેમના 9 મહિના પૂર્ણ થઈ ગયા છે. આજે સવારે જ તેઓને પ્રસૂતિનો દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad : આ પરિવાર 73 વર્ષ જૂની ‘લાલપરી’ માં જશે ભારતથી લંડન, 16 દેશોમાંથી 12 હજાર કિમીનો કરશે પ્રવાસ, જુઓ Video

એક તરફ મહિપાલસિંહનાં પત્ની હોસ્પિટલમાં છે અને બીજી તરફ આજે આ દુઃખદ સમાચાર આવતા પરિવારજનો ઉપર ખૂબ જ આભ તૂટી પડ્યું છે. પરિવારજનોમાં ભારે આક્રંદ છે. આંખમાંથી આંસુ સૂકાતા નથી. તેમના પરિવારમાં તેમની પત્ની, માતા મોટાભાઈ અને બે બહેનો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">