AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગલૂડિયાની સુરક્ષાના સાયકોલોજીકલ કારણથી માદા શ્વાનના કરડવાની ઘટના વધી!

જે શ્વાન હડકાયું હોય તે દસેક દિવસમાં મોતને ભેટે છે જો આવું લાગતું હોય તો તેવા શ્વાનને અલાયદું રાખવું જોઈએ. જે શ્વાન હડકાયું થયું હોય તો તે સ્ટેબલ રહેતુ નથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગ્યા કરતું હોય છે આ સ્થિતિમાં રક્ષણ મેળવવા શ્વાન સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ.

Ahmedabad: ગલૂડિયાની સુરક્ષાના સાયકોલોજીકલ કારણથી માદા શ્વાનના કરડવાની ઘટના વધી!
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 26, 2023 | 2:10 PM
Share

અમદાવાદ સહિત રાજયભરમાં રખડતાં શ્વાન લોકોને બચકાં ભરી લેતા હોય તેવી ઘટનામાં ખૂબ જ વધારો થયો છે, છેલ્લા થોડા દિવસોમાં આ આંકડો ચિંતાજનક રીતે વધ્યો છે. ત્યારે AMCના આંકડા મુજબ વર્ષ 2022માં પણ શ્વાન કરડવાના કેસ ખૂબ નોંધાયા હતા. વર્ષ 2022માં કુલ 58 હજાર 125 કેસ કૂતરાં કરડી જવાના નોંધાયા હતા.

શ્વાન સાથે માનવીય વ્યવહાર જરૂરી

અચાનક આ પ્રકારની ઘટનાઓ વધવા અંગે વેટરનરી તબીબોએ જણાવ્યું હતું કે શ્વાનના આ પ્રકારના વર્તન પાછળ એક સાયકોલોજી કામ કરે છે. વળી ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાના સમયગાળામાં માદા શ્વાન બચ્ચાઓને જન્મ આપતા હોવાથી તેમના રક્ષણને લઈને થોડા વધારે આક્રમક બનવાથી આવા બનાવો વધે છે.

શ્વાનની સાયકોલોજી હોય છે કે કઈ ગાડી તેના પગ કે તેની આસપાસના શ્વાનના પગ ઉપર ફરી વળી હોય તો તે બીજી કારને કે વાહનને જોતા જ દોટ મૂકે છે. જે શ્વાન હડકાયું હોય તે દસેક દિવસમાં મોતને ભેટે છે જો આવું લાગતું હોય તો તેવા શ્વાનને અલાયદું રાખવું જોઈએ. જે શ્વાન હડકાયું થયું હોય તો તે સ્ટેબલ રહેતુ નથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગ્યા કરતું હોય છે આ સ્થિતિમાં રક્ષણ મેળવવા શ્વાન સાથે માનવીય વ્યવહાર કરવો જોઈએ.

એક જ દિવસમાં શ્વાનના હુમલાની જીવલેણ ઘટનાઓ બની

રાજ્યમાં શ્વાનનો હાહાકાર મચ્યો છે અને સાબરકાંઠામાં બે વર્ષના બાળક ઉપર હુમલો કર્યો હતો તો સુરતમાં બે બાળકીઓ પર હુમલો થયો હતો અને જામનગરમાં પણ શ્વાને 4 લોકોને નિશાન  બનાવ્યા હતા. સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફરીથી શ્વાને ઘર પાસે રમતી બે બાળકીઓને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. શ્વાને બાળકીઓને માથા ઉપર, ગાલ તેમજ પગ ઉપર બચકાં ભરતા ગંભીર ઈજાઓ થઈ છે. વારંવાર થતા શ્વાનના હુમલાને લીધે નાના બાળકોના વાલીઓમાં ભય ફેલાઈ ગયો છે અને હવે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

તો જામનગરમાં ધુતારપર-ધુળશિયા સીમ વિસ્તારમાં શ્વાને કેટલાક લોકો પર બચકા ભર્યા. જેના કારણે બે બાળક, વૃદ્ધા સહિત ચાર વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને હાલ જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જ્યારે બીજી તરફ સાબરકાંઠામાં જિલ્લાના ઈડર તાલુકાના ગોરલ ગામે 2 વર્ષના બાળકને શ્વાને બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધો છે. બાળકને શ્વાને હુમલો કરતા માતાએ આખરે બે પગ ખેંચીને બાળકને શ્વાનના મોંઢામાંથી છોડાવી લઈને બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યા સુધીમાં બાળકના ચહેરા અને શરીર પર અનેક ઘા કરી દીધા હતા. માસૂમ બાળકના ચહેરાની એટલી હદે વિચલીત કરી દે તેવા ઘા કર્યા હતા કે, બાળકને જીવ બચવા બાદ પણ તેના માસૂમ ચહેરા પરથી નિશાન મટવા મુશ્કેલ બની રહેશે.

Follow Us
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
g clip-path="url(#clip0_868_265)">