AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે ? એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આજે જાહેર કરાશે, AMCની ફાઈલ CM કાર્યાલય પહોંચી

Ahmedabad News : આ ફાઇલમાં જય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડેલ્ફ કન્સલ્ટિંગ એજન્સીની ક્ષતિઓ અંગે પણ ઉલ્લેખ છે. CM કાર્યાલયના આદેશ બાદ AMC સત્તાવાર નિર્ણય જાહેર કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બ્રિજ તોડી પાડવાનો કમિટીનો અભિપ્રાય હોવાની ચર્ચા છે.

Ahmedabad : હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે ? એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આજે જાહેર કરાશે, AMCની ફાઈલ CM કાર્યાલય પહોંચી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 4:08 PM
Share

અમદાવાદના હાટકેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે હવે AMC એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આજે જાહેર કરે તેવી શક્યતા છે. હાટકેશ્વર બ્રિજ મામલે AMCની ફાઈલ CM કાર્યાલય પહોંચી છે. ફાઈલમાં અત્યાર સુધીના તમામ રિપોર્ટ જોડવામાં આવ્યાં છે.

આ પણ વાંચો-Weather Breaking : ગુજરાતમાં વધશે ગરમીનો પારો, 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં અપાયુ યલો એલર્ટ

AMC એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આજે જાહેર કરે તેવી શક્યતા

શુક્રવારે CM કાર્યાલયથી કોઇ નિર્ણય ન આવતા AMC દ્વારા રિપોર્ટ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. જો કે આજે એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ જાહેર થઇ શકે છે. આ ફાઇલમાં જય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડેલ્ફ કન્સલ્ટિંગ એજન્સીની ક્ષતિઓ અંગે પણ ઉલ્લેખ છે. મુખ્યપ્રધાન કાર્યાલયના આદેશ બાદ AMC સત્તાવાર નિર્ણય જાહેર કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બ્રિજ તોડી પાડવાનો કમિટીનો અભિપ્રાય હોવાની ચર્ચા છે. જવાબદાર અજય કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે.

ખરાબ ગુણવત્તાનું મટીરીયલ વાપરવાનો આક્ષેપ

અમદાવાદના હાટકેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. અમદાવાદમાં 2017માં 40 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ AMCના ભ્રષ્ટ અધિકારીઓના પાપે પાંચ જ વર્ષમાં તોડવો પડે તેવી સ્થિતિમાં છે. બ્રિજમાં વપરાયેલા માલની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે તેનું સમારકામ થઇ શકે તેમ નથી.

બ્રિજની ક્ષમતા 20 ટકા સુધીની જ હોવાનું સામે આવ્યું હતુ

એક રિપોર્ટ પ્રમાણે આ બ્રિજની ક્ષમતા 20 ટકા સુધીની જ હોવાનું સામે આવ્યું છે. બીજી રીતે સમજીએ તો, જે બ્રિજના 1 મિલીમીટર જગ્યા ઉપર 4.5 કિલો વજન સહન થવું જોઈતું હતું, તે માત્ર 1 કિલો વજન સહન કરતા જ તૂટી જાય છે. બ્રિજને મજબૂતી આપવા માટે M45 ગ્રેડની કોન્ક્રિટ વાપરવી જોઈએ તેના બદલે M15ના ગ્રેડની કોન્ક્રિટ વપરાઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">