Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવાની પ્રક્રિયા શરુ કરાઈ, ભક્તોની સુવિધા માટે હાથ ધરાયો પ્રયાસ

રિવરફ્રન્ટ પર આવેલી આર્મીની જગ્યા અને ટ્રસ્ટની જગ્યાની અદલા બદલી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. મંદિર તરફથી એક કાગળ લખીને આર્મીને આપવામાં આવ્યો છે અને આર્મીએ આ કાગળને આગળ ફોરવર્ડ પણ કર્યો છે. રાજ્ય સરકાર, AMC, આર્મી તથા કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ જ મંદિર ખસેડવામાં આવશે.

Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવાની પ્રક્રિયા શરુ કરાઈ, ભક્તોની સુવિધા માટે હાથ ધરાયો પ્રયાસ
Ahmedabad Efforts are being made to move Camp Hanuman Temple to the riverfront
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 1:09 PM

અમદાવાદ (Ahmedabad) માં આર્મી કેન્ટોન્મેન્ટ (Army Cantonment) ની વચ્ચે આવેલાં કેમ્પ હનુમાન (Camp Hanuman) મંદિરને રિવરફ્રન્ટ ખસેડવા પ્રક્રિયા શરુ કરાઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જ આ પ્રયાસ હાથ ધરાયો છે. ટ્રસ્ટ મંડળે કેન્દ્ર સરકાર (Central Government) સમક્ષ રિવરફ્રન્ટ પાસે આવેલ આર્મીની જગ્યા મંદિર માટે આપવા માગણી કરી છે. અત્યારે કેમ્પ હનુમાનના દર્શન કરવા જતા તમામ લોકોએ પરમીશન લેવી પડે છે. સુરક્ષાની દ્રષ્ટ્રીએ કેન્ટોન્મેન્ટમાં જવા માટે પરમિશન જરૂરી હોવાથી ભકતોને મુશ્કેલી પડે છે. જો મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવામાં આવે તો હજારો ભક્તોને દર્શનમાં સરળતા થઈ શકે છે.

હાલ મંદિર પ્રવેશ, પ્રસાદ, હવન કરવામાં ખુબ સમસ્યા થાય છે. કેમ્પમાં જતા લોકોને મર્યાદિત સમયમાં જ પાછા નીકળી જવાનું હોવાથી તહેવારોની દિવસોમાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત કોઈ ઉત્સવ કરવાનો હોય ત્યારે પણ સમસ્યા થાય છે. આથી મંદિરને કેન્ટોન્મેન્ટમાંથી બાહર લાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

અત્યારે જે જગ્યા પર કેમ્પ હનુમાન મંદિર છે તે જગ્યા મંદિર ટ્રસ્ટની છે અને તે કેન્ટોન્મેન્ટની વચ્ચે આવેલી છે. રિવરફ્રન્ટ પર આવેલી આર્મીની જગ્યા અને ટ્રસ્ટની જગ્યાની અદલા બદલી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર મંદિરને ખસેડવામાં આવે તો ભક્તોને સમયની સમસ્યા નડશે નહીં અને શાંતિથી દર્શન કરી શકશે. હાલમાં દર્શનનો સમય ઓછો પડતો હોવાથી ભક્તોની લાગણી છે કે તેમને વધુ સમય આપવામાં આવે. મંદિરમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી આર્મીની સુરક્ષાના ઉદ્દેશથી પણ આ નિર્ણય લેવામાં આવે તેવી માગણી કરાઈ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મંદિરના ઉપટ્રસ્ટી પાર્થિવ અધ્યારૂનું કહેવું છે કે આર્મી દ્વારા સુરક્ષાના કારણોસર ક્યારેક ગેટ બંધ કરી દેવામાં આવે છે. આવા સમયે ભક્તો દર્શન કરી શકતા નથી અને પરેશાન થાય છે. આર્મીની સુરક્ષા જળવાય અને ભક્તો 24 કલાક દર્શન કરી શકે તે માટે મંદિર ખસેડવામાં આવશે. રિવર ફ્રન્ટ પર સુરેન્દ્ર પટેલ દ્વારા જગ્યા નક્કી કરવામાં આવી છે. રિવર ફ્રન્ટ પરની આ જગ્યા પર મંદિર લઈ જવામાં આવશે. મંદિર તરફથી કાગળ લખીને આર્મીને આપવામાં આવ્યો છે અને આર્મીએ આ કાગળને આગળ ફોરવર્ડ પણ કર્યો છે. રાજ્ય સરકાર, AMC, આર્મી તથા કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ જ મંદિર ખસેડવામાં આવશે.

તેમણે જણાવ્યું કે હનુમાન જયંતી બાદ ટ્રસ્ટીઓની બેઠક મળશે જે બાદ ફરીથી પ્રસાદ વિતરણ શરૂ થશે. કોરોનાને કારણે બે વર્ષથી મંદિરમાં પ્રસાદ વિતરણ બંધ હતું જે હવે ફરી શરૂ કરાશે. છેલ્લા 6 મહિનાથી પ્રસાદ વિતરણનું કામ ટ્રસ્ટી મંડળે હાથમાં લીધું છે.

આ પણ વાંચોઃ Surat: રૂપિયા 23.60 લાખના 502 ગ્રામ સોનાના ડસ્ટ પાઉડરની ચોરી, 6 આરોપી પકડાયા

આ પણ વાંચોઃ ‘નર્મદે-સર્વદે’: ગુજરાતમાં આ વખતે ઉનાળામાં પણ પાણીની સમસ્યા નહીવત રહેશે, સરદાર સરોવર ડેમની સપાટી 120.08 મીટરે પહોંચી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
g clip-path="url(#clip0_868_265)">