અમદાવાદ કોર્પોરેશને કોરોનાથી થયેલા મૃત્યુના પ્રમાણપત્ર મેળવવા ફોર્મ વિતરણ શરૂ કર્યું

અમદાવાદમાં અરજદારોને આ ફોર્મ નજીકના સિવિક સેન્ટર ખાતેથી મળી રહેશે. આ સિવાય જન્મ-મરણ નોંધણી વોર્ડ ઓફિસ અને હેડ ઓફિસમાંથી પણ ફોર્મ મળશે.

અમદાવાદ કોર્પોરેશને કોરોનાથી થયેલા મૃત્યુના પ્રમાણપત્ર મેળવવા ફોર્મ વિતરણ શરૂ કર્યું
Ahmedabad Corporation Office (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 9:47 PM

કેન્દ્ર સરકારે કોરોના (Corona) દર્દીના મોતને લઈ તૈયાર કરેલી ગાઈડલાઈન રાજ્ય સરકારોને મોકલી આપી છે. જે મુજબ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના 30 દિવસમાં થયેલું મૃત્યુ કોરોનાથી (Corona Death) થયું ગણાશે આ સાથે કોરોનાથી મૃત્યું પામેલા 95 ટકાથી વધુ મૃતકોના અરજદારો માટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જાહેર કરાયેલી રૂપિયા 50 હજારની સહાય મેળવવાનો માર્ગ મોકળો બની ગયો છે.

જ્યારે  અમદાવાદ,(Ahmedabad) મહાનગરપાલિકામાં કોરોનાથી થયેલા મૃત્યુનું પ્રમાણપત્ર  (Death Certificate)મેળવવા માટેના ફોર્મનું વિતરણ શરૂ કરી દેવાયું છે.

સૌથી પહેલા એ જાણી લો કે આ ફોર્મ ક્યાં મળશે. અરજદારોને આ ફોર્મ નજીકના સિવિક સેન્ટર ખાતેથી મળી રહેશે. આ સિવાય જન્મ-મરણ નોંધણી વોર્ડ ઓફિસ અને હેડ ઓફિસમાંથી પણ ફોર્મ મળશે.. આરોગ્ય ભવનની મુખ્ય કચેરી ખાતેથી પણ ફોર્મ મળશે. આ સિવાય www.ahmedabadcity.gov.in પરથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ ફોર્મ મેળવી લીધા પછી સૌથી પહેલો સવાલ એ થાય કે હવે પછીની કામગીરી શું હશે.. તો આ પ્રક્રિયા પણ વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ.. કોરોનાથી મૃત્યું થયું હોય અને પ્રમાણપત્ર ન મળ્યું હોય તો અરજી કરવી પડશે.. MCCD એટલેકે મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથના કારણ સામે અસંતોષ હોય તો પરિશિષ્ટ–3 હેઠળ અરજી કરવાની રહેશે. હોસ્પિટલના ડેથ સર્ટિમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ ન હોય તો પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરવી પડશે..

અરજદારે પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરી MCCDની નકલ મેળવવાની રહેશે.. સ્મશાનની પહોંચમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ ન હોય તો પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરવાની રહેશે. પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરી MCCDની નકલ મેળવવાની રહેશે.

કોરોના દર્દીનું ઘરે મોત થયું હોય તો ડૉક્ટરે કરેલી સારવારની વિગતો રજૂ કરવી પડશે. દર્દીના લેબોરેટરી અને રેડિયોલોજી પરીક્ષણના પુરાવા પણ રજૂ કરવાના રહેશે.. સહાય મેળવવા અરજદારે પોતાનો ઓળખનો પુરાવો રજૂ કરવાનો રહેશે.જે વિસ્તારની હોસ્પિટલમાં મોત થયું હોય તે વિસ્તારની કચેરીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે.

રૂપિયા 50 હજારની સહાય લેવા માટે અરજદારોએ પ્રથમ મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ મેળવવા માટે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. આ પ્રમાણપત્ર સ્થાનિક કક્ષાએથી અપાશે. જો આ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના ન હોય તો તેવા કિસ્સામાં અલગ ફોર્મ, જરૂરી દસ્તાવેજો સાથે ભરવાનું રહેશે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિ તમામ દસ્તાવેજોથી ચકાસણી કરીને કોવિડ-19થી થયેલા મોતનો સત્તાવાર દસ્તાવેજ ઇશ્યૂ કરશે.

આ પણ વાંચો : અમરેલીમાં સી.આર.પાટીલના નિવેદન બાદ કોંગ્રેસનો પલટવાર, કહ્યું ભાજપનો જુથવાદ છુપાવવાનો  કિમીયો

આ પણ વાંચો : ગીર સોમનાથ : 20 માછીમારો પાકિસ્તાન જેલમાંથી માદરે વતન પહોંચ્યા, વેરાવળ ખાતે પરિવારજનો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">