AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: CMOના અધિકારીની ઓળખ આપી ધાક જમાવનાર ઝડપાયો, લવકુશ ત્રિવેદીએ GSTના અધિકારીને આપી હતી ધમકી

Ahmedabad: CMOના અધિકારીની ઓળખ આપી જીએસટીના અધિકારીને ધમકી આપનાર ઠગબાજની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ સોશિયલ મીડિયામાં પોતાના નેતાઓ સાથેના ફોટા પણ રાખ્યા હતા. લવકુશ ત્રિવેદીએ સીએમઓના અધિકારી તરીકેની ઓળખ આપી જીએસટી અધિકારી પર રોફ જમાવ્યો, VIP સુવિધાઓ મેળવી અને લોકોને ધાક ધમકી પણ આપી હતી.

Ahmedabad: CMOના અધિકારીની ઓળખ આપી ધાક જમાવનાર ઝડપાયો, લવકુશ ત્રિવેદીએ GSTના અધિકારીને આપી હતી ધમકી
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 21, 2023 | 10:32 PM

Ahmedabad: ગુજરાતમાંથી વધુ એક કિરણ પટેલ ઝડપાયો છે કિરણ પટેલનું નામ સાંભળતા જ મહા ઠગ તરીકેની ઓળખ સામે આવે છે અને આવો જ એક વધુ ઠગબાજની પોલીસે ધરપકડ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી તેમજ અન્ય નેતાઓ અને અધિકારીઓ સાથે અલગ અલગ જગ્યાઓ પર ફોટોમાં દેખાતો આ વ્યક્તિ કે જે પોતાની ઓળખ કોઈ વાર ભાજપના કાર્યકર્તા તરીકે તો અધિકારીઓ પાસે CMOના ઉચ્ચ અધિકારીની ઓળખ આપી અને પોતાની ભલામણો કરાવતો હતો.

GST અધિકારીનો ફોન કરી રોફ જમાવતા ફુટ્યો ભાંડો

આ ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે આરોપી લવકુશ ત્રિવેદીના કાકા કે જે ઊંઝા ખાતે રહે છે અને ધંધો કરે છે, ત્યાં GST વિભાગ દ્વારા સ્થળ તપાસને લઈને લવકુશ દ્વારા GSTના અધિકારીને ફોન કરવામાં આવ્યો હત અને કેસને આગળ નહીં વધારવા માટે કહેવામાં આવ્યું હતું.

જે ફોનમાં લવકુશ દ્વારા પોતાની ઓળખ CMOના અધિકારી તરીકે બતાવી હતી. જોકે GSTના અધિકારીને શંકા જતા તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ એ લવકુશની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા હતા.

Viral Video : 'એકે હજારા' રીંછે વાઘને ભગાડયો, વીડિયો જોઈ ચોંકી જશો
પંચાયતના સચિવ રિયલ લાઈફમાં કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
ગુરુ પૂર્ણિમાના દિવસે આટલી વસ્તુઓ ઘરે લાવો એટલે તમારું જીવન ધન્ય-ધન્ય
ચોમાસામાં બગડી શકે છે ખાદ્યતેલ, આ 7 ભૂલો મોંઘી સાબિત થશે
આ ખરાબ આદતો બદલી દો, નહીંતર તમારા ફોનને ખરાબ થવામાં વધુ સમય નહીં લાગે
Shravan Somvar : શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તારીખ અને પૂજાવિધિનો સમય

CMOના અધિકારીની ઓળખ આપી અંગત કામો માટે ભલામણ કરતો

આરોપી લવકુશ ત્રિવેદીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ જિલ્લામાં રહે છે. લવકુશ પોતે સાણંદ ખાતે રહે છે અને કર્મકાંડ તેમજ સિક્યુરિટી સર્વિસ પ્રોવાઈડરનાં વ્યવસાય સાથે સંકળાયેલો છે.

આરોપી લવકુશની પૂછપરછમાં સામે આવ્યું કે તેને પોતાના સોશિયલ મીડિયા ઉપર અનેક નેતાઓ અને અધિકારી સાથેનાં ફોટો રાખ્યા હતા. જેથી અન્ય લોકોને તે ભાજપ પક્ષ સાથે ઘરોબો ધરાવતો હોવાનું જણાવતો હતો. બીજી તરફ તે ગુજરાત અને ગુજરાત બહારના અધિકારીઓને CMOના અધિકારી તરીકેની ઓળખ આપી અલગ અલગ કામો માટે ભલામણ કરતો હતો.

લવકુશ ત્રિવેદીના નેતાઓ અને આગેવાનો સાથે સંબંધો હતા

અમુક જગ્યાએ કોન્ટ્રાક્ટરોને પણ અમુક કામો માટે સૂચના આપતો હતો. વધુ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે VIP સુવિધાઓ મેળવવા પણ તે પોતાને CMOના અધિકારી તરીકે ઓળખાવતો હતો. એટલે કે કોઈ સર્કિટ હાઉસ કે અન્ય કોઈ સુવિધાઓ માટે પોતે પોતાની જાતને અધિકારી ગણાવતો હતો.

બીજી તરફ તે ટ્રુ કોલરમાં પણ પોતાને CMOના અધિકારી હોવાનું ઓળખ રાખી હતી. લવકુશ ત્રિવેદીને નેતાઓ અને આગેવાનો સાથે સંબંધો હતા. જેનો ફાયદો ઉઠાવી તે પોતાના અંગત કામો કરાવવામાં માહિર હતો. અધિકારીઓ પાસે પણ આ લવકુશ ત્રિવેદીની અલગ છાપ હતી અને તે પોતાને CMOના જ અધિકારી તરીકે ઓળખ આપતો હતો.

આ પણ વાંચો : Anand: કલેક્ટરની ક્લીપ વાયરલ કરનારા નાયબ મામલતદાર જેડી પટેલના કૌભાંડો આવ્યા બહાર! જુઓ Video

મહત્વનું છે કે હાલ તો સાયબર ક્રાઇમ દ્વારા GSTના અધિકારીની એક ફરિયાદ ઉપરથી લવકુશ ત્રિવેદીની ધરપકડ કરી છે. જોકે હવે સાયબર ક્રાઇમની ટીમ આ લવકુશ ત્રિવેદી દ્વારા અન્ય કઈ કઈ જગ્યા ઉપર ખોટી ઓળખ આપી અથવા તો કોઈ ધાક ધમકી આપી કે છેતરપિંડી કરી સહિતના ગુનાઓ આચાર્ય છે, તેની તપાસ કરવામાં આવશે.

તપાસ દરમિયાન જરૂર જણાશે તો લવકુશ ત્રિવેદી ઉપર અન્ય ફરિયાદ પણ નોંધવામાં આવી શકે છે. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કે લવકુશ ત્રિવેદીના સંપર્કમાં કોણ કોણ નેતાઓ અને અધિકારીઓ હતા.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
g clip-path="url(#clip0_868_265)">