Ahmedabad: આરોગ્ય વિભાગની અવ્યવસ્થા આવી સામે, ટેસ્ટિંગ ડોમ પર ટીમ રીશેષમાં ગયા બાદ પરત આવતી ન હોવાનો શહેરીજનોનો આક્ષેપ
અમદાવાદ: એક તરફ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં હાઈટાઈમ પોઝિટીવ કેસો નોંધાઈ રહ્યા છે. તેની વચ્ચે આરોગ્ય વિભાગની અવ્યવસ્થા સામે આવી હોવાનો શહેરીજનોનો આક્ષેપ છે.
અમદાવાદ: એક તરફ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં હાઈટાઈમ પોઝિટીવ કેસો નોંધાઈ રહ્યા છે. તેની વચ્ચે આરોગ્ય વિભાગની અવ્યવસ્થા સામે આવી હોવાનો શહેરીજનોનો આક્ષેપ છે. પહેલી લહેર વખતે લોકો ભયના કારણે ટેસ્ટિંગ કરાવતા ન હતા. જોકે હવે તે ભય દૂર થતાં અને લોકો જાગૃત બનતા ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. તેની વચ્ચે AMCના આરોગ્ય વિભાગની અવ્યવસ્થા સામે આવી હોવાનો લોકોનો આક્ષેપ છે.
લોકોના આક્ષેપ છે કે તેઓ ટેસ્ટિંગ કરવા માટે ટેસ્ટિંગ ડોમ પર જાય છે. જ્યાં ટોકન પ્રમાણે નંબર આપે છે અને ટેસ્ટિંગ કરે છે. જેમાં બપોર બાદ ટીમ આવે ન આવે તેવી સ્થિતિ સર્જાય છે અને જો ટીમ આવે તો ફરી પરિસ્થિતિ તેની તે જ બને છે. ત્યારે બપોરે ટીમ ગયા બાદ આવવાના કોઈ ઠેકાણા નહીં હોવાને કારણે ટેસ્ટિંગ માટે લોકોએ ગરમી વચ્ચે કલાકો રાહ જોવી પડે છે.
જેના કારણે લોકોમાં ડિહાઈડ્રેશનની પણ અસર સર્જાઈ શકે છે. સાથે જ ગરમીમાં રહેવાથી કોરોના પણ પોઝિટિવ આવવાની શક્યતાઓ લોકો સેવી રહ્યા છે. મોટેરા ગામ, જનતાનગર રોડ, ન્યુ સી જી રોડ, પ્રભાતચોકના રહીશોનો આ આક્ષેપ છે. તેમજ શહેરના અન્ય વિસ્તારમાં પણ આવી જ કંઈક પરિસ્થિતિ છે, જેને સુધારવાની જરૂરિયાત દેખાઈ રહી છે.
કારણ કે હાલમાં નાગરિક જાગૃત બની ટેસ્ટિંગ કરાવી રહ્યા હોય ત્યારે તેની સામે તે પ્રકારની વ્યવસ્થાની પણ માંગ ઉઠે તે પણ સ્વભાવિક બાબત છે તો સાથે શહેરીજનોએ ટેસ્ટિંગ ડોમ પર રિશેષનો ટાઈમ પણ લખવાની પણ માંગ કરી છે, જેથી કોઈએ ગરમી વચ્ચે વધુ રાહ જોવાનો વારો ન આવે અને કોઈ અગવડતા ઉભી રહ્યા વગર ટેસ્ટિંગ થઈ શકે.
આ પણ વાંચો: રેમડેસિવીર ઈન્જેકશન વિના નિરાશ થઈને પરત ફરતા કોરોનાગ્રસ્તોના પરીવારજનો