AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: અમદાવાદીઓને હવે ઘર આંગણે જ મળી રહેશે ગીરની પ્રખ્યાત કેસર કેરી, તાલાલાના ખેડૂતો દ્વારા મેમનગર ખાતે કરાયુ કેરી મેળાનું આયોજન

Ahmedabad: તાલાલાના ખેડૂતો દ્વારા મેમનગરમાં ગુરુકૂળ પાસે કેરી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેરી મેળાનું વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે રિબિન કાપી ઉદ્દઘાટન કરાવ્યુ. આ મેળામાં 60 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે.

Ahmedabad: અમદાવાદીઓને હવે ઘર આંગણે જ મળી રહેશે ગીરની પ્રખ્યાત કેસર કેરી, તાલાલાના ખેડૂતો દ્વારા મેમનગર ખાતે કરાયુ કેરી મેળાનું આયોજન
Darshal Raval
| Edited By: | Updated on: May 14, 2023 | 8:15 PM
Share

એક તરફ રાજ્યમાં કાળજાળ ગરમી પડી રહી છે. ત્યાં બીજી તરફ આ ગરમી વચ્ચે લોકોને રાહત આપતી એવી કેસર કેરી ખાવાની પણ સિઝન ચાલી રહી છે. જોકે કેટલાક વચેટીયાઓ દ્વારા બજારમાં કેરી વેચવાના કારણે ખેડૂતો અને લોકોને નુકસાન જતું હોય છે. ત્યારે આ નુકસાની ન જાય અને ખેડૂતોને અને ગ્રાહકોને સીધો ફાયદો મળે સારી કેરી મળે તે માટે તાલાલા ના કેટલાક ખેડૂતો દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું. જે મેળાનું આજે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે રીબીન કાપી શરૂઆત કરાવી.

અમદાવાદીઓને ઘર આંગણે જ મળી રહેશે ગીરની પ્રખ્યાત કેસર કેરી

અમદાવાદના મેમનગર ગુરુકુળ પાસે બે મહિના માટે કેરી મેળાનું આયોજન કરવામાં આવ્યું. મેળામાં 60 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જ્યાં સીધા ખેડૂતો તાલાલાની કેસર કેરીનો પાક લઈને આવશે અને ખેડૂતોથી સીધો ગ્રાહક સુધી તે પાક પહોંચશે. જ્યાં લોકોને 500 થી લઈને 1500 રૂપિયાની નાનાથી મોટા ફળની વિવિધ કેરીઓ મળી રહેશે.

તાલાલાના ખેડૂતો દ્વારા સીધુ વેચાણ થતુ હોવાથી વચેટિયાઓનો નફો બંધ થશે

આયોજક ખેડૂતો નું માનવું છે કે કેરીની સીઝન દરમિયાન ખેડૂતો પાસેથી વચેટિયાઓ કેરી ખરીદીને બજારમાં ઊંચા ભાવે વેચે છે. જેના કારણે લોકોને મોંઘી કેરી મળી રહે છે. જ્યારે ખેડૂતો દ્વારા સીધું વેચાણ કરવાથી વચેટીયાઓનો નફો બંધ થઈ જશે જેના કારણે ગ્રાહકોને ખેડૂતોના ભાવે જ સસ્તી કેરી મળી રહેશે. જેથી ખેડૂતોને પણ નુકસાન નહીં જાય અને ગ્રાહકોને સસ્તા ભાવે સારી કેરી એક જ સ્થળ પરથી મળી રહેશે.

આ પણ વાંચો: Rath Yatra 2023 : અમદાવાદમાં ભગવાનના મામેરાની તૈયારી, 3,700 સાડી અને 700 કુર્તા તૈયાર

ગ્રાહકોને ખેડૂતોના ભાવે જ સસ્તી કેરી મળી રહેશે

કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય અમિત ઠાકરે પણ વચેટિયાઓની બાબતે સરકાર કામ કરી રહી હોવાનું નિવેદન આપી. લોકો માટે સરકાર હરહંમેશ કાર્યરત હોવાનું જણાવ્યું. તો ચાલુ સિઝનમાં ગરમી દરમિયાન કમોસમી વરસાદ પણ પડ્યો હતો. જેના કારણે લોકોને ભીતી હતી કે આ સિઝનમાં કેરીની અછત સર્જાશે અને લોકોને મોંઘી કેરી મળશે. જો કે ખેડૂતોનું કહેવું હતું કે વરસાદના કારણે કેરીના પાકને વધુ નુકસાન થયું નથી. તેમજ કેરીનો ભાવ પણ ઓછો ચાલી રહ્યો છે. જોકે વચેટિયાઓના કારણે ભાવ વધી જતા હોવાથી લોકોને તેની અસર પડી રહી છે અને તેજ અસર દૂર કરવા માટે ખેડૂતો દ્વારા મેળાનું આયોજન કરીને લોકોને સસ્તા સારા ભાવે કેરી મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું.

ગુજરાત સહિત  અમદાવાદ શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">