AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પત્નીની મશ્કરી કરવા બાબતે પતિ સાથે થઈ બોલાચાલી, મસ્તીખોરોએ યુવતીના પતિની કરી નાખી હત્યા

Ahmedabad: શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે વધુ કથળી રહી છે. સરદાર નગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. કેટલાક યુવકોએ પત્નીની મશ્કરી કરતા પતિ સાથે બોલાચાલી થઈ હતી. આ વાતની અદાવત રાખી યુવકોએ ચાકુના ઘા મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો.

Ahmedabad : પત્નીની મશ્કરી કરવા બાબતે પતિ સાથે થઈ બોલાચાલી, મસ્તીખોરોએ યુવતીના પતિની કરી નાખી હત્યા
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 22, 2023 | 8:34 PM
Share

Ahmedabad: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાનો છેડ ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. ગુનાહિત તત્વોને જાણે કાયદાનો કે પોલીસનો ડર જ ન રહ્યો તેમ છાશવારે હત્યા જેવા ગંભીર ગુના આચરતા જરા પણ અચકાતા નથી. સરદારનગરમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમા પત્નીની મશ્કરી કરતા કેટલાક યુવકોને તેના પતિએ અટકાવતા તેની સાથે બોલાચાલી થઈ હતી. આ વાતની અદાવત રાખી યુવકોએ પતિને બોલાવી ચાકુના ઘા જીંકયા હતા. જેમા પતિનું મોત નિપજ્યુપ છે. ઉલ્લેખનીય છે કે યુવતીનો પતિ અને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

બોલાચાલી બાદ યુવકોએ પતિને ચાકુના ઘા મારી કરી હત્યા

સમગ્ર ઘટનાની હકીકત અનુસાર શહેરના સંતોષીનગરના નાકા પર ગત 18 જૂને ગોપાલ ઠાકોર નામના યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલો પરમાર નામના બે યુવકોએ ગોપાલ ઠાકોરને છરી મારીને હત્યા નીપજાવી હતી. જોકે હત્યા પાછળનું કારણ અલગ હતું. મૃતક ગોપાલ ઠાકોરની પત્ની સાંજના સમયે તેની માતાના ઘરે હતી ત્યારે માતાનાં ઘરે કામ કરતા કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલુ પરમાર ત્યાં આવ્યા હતા અને કિરણ ઉર્ફે ટીકડી તવર મહિલાની મશ્કરી કરતો હતો. તેથી તેના પતિ ગોપાલ ઠાકોરે પત્નીની મશ્કરી કરવાની ના પાડી હતી, જે દરમિયાન બંને આરોપીઓ અને પતિ ગોપાલ ઠાકોર વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ બંને શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad: સનાથલ બ્રિજ પર ગાબડા પડવા મુદ્દે ઔડાએ બ્રિજ બનાવનાર કંપનીને ફટકારી નોટિસ, SVNIT કરશે બ્રીજની ગુણવત્તાની ચકાસણી

આરોપીઓ અને મૃતક યુવકનો ગુનાહિત ઈતિહાસ

થોડીવાર બાદ મહિલાનો પતિ ગોપાલ ઠાકોર ઘરની બહાર ખાટલા ઉપર બેઠો હતો, તે વખતે કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલો પરમાર ત્યાં આવ્યા હતા અને ગોપાલને બોલાવીને બહાર રોડ ઉપર લઈ ગયા હતા. થોડી વાર બાદ સંતોષીનગરના રોડ ઉપર કિરણ ઉર્ફે ટીકડી તવરે ગોપાલ ઠાકોરને પકડી રાખ્યો અને હિતેશ ઉર્ફે લાલો પરમારે પોતાના હાથમાં રહેલી છરીથી ગોપાલ ઠાકોરના પીઠના ભાગે છરીના ઘા માર્યા હતા. જેના કારણે ગોપાલ ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલાની જાણ ગોપાલની પત્ની અને પરિવારને થતાં તેઓ ત્યાં પહોંચતા બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

હોસ્પિટલ પહોંચતા જ ગોપાલ ઠાકોરનું મોત

ગોપાલ ઠાકોરને હોસ્પિટલમાં લઈ જવાતા તેનું મોત નિપજ્યું હતું. જે બાદ સમગ્ર મામલે સરદારનગર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. જોકે ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ ફરાર થઈ જતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલો પરમારની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં કિરણ ઉર્ફે ટીકડી તવર અગાઉ પ્રોહીબિશનના ગુનામાં ઝડપાયો છે તેમજ મૃતક ગોપાલ પણ અગાઉ પાકીટ ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">