AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: કાળઝાળ ગરમીમાંથી વાહનચાલકોને મળશે આંશિક રાહત, આજથી 1 મહિના માટે શહેરના 123 ટ્રાફિક સિગ્નલ નક્કી કરેલા સમય માટે બંધ રહેશે

કુલ 180માંથી 123 ટ્રાફિક સિગ્નલ (Traffic signal)બપોરે 1થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે 57 સિગ્નલ પર ઊભા રહેવાના સમયમાં ઘટાડો કરાયો છે.

Ahmedabad: કાળઝાળ ગરમીમાંથી વાહનચાલકોને મળશે આંશિક રાહત, આજથી 1 મહિના માટે શહેરના 123 ટ્રાફિક સિગ્નલ નક્કી કરેલા સમય માટે બંધ રહેશે
Ahmedabad Traffic Signal (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 4:01 PM
Share

ગુજરાતમાં (Gujarat) ગરમીનો (Heat )ગ્રાફ દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) વાસીઓ માટે કાળજાળ ગરમીમાં (Summer) રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં અસહ્ય ગરમીના કારણે આજથી 1 મહિના માટે 123 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. કુલ 180માંથી 123 સિગ્નલ બપોરે 1થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે 57 સિગ્નલ પર ઊભા રહેવાના સમયમાં ઘટાડો કરાયો છે. જેથી 1 મિનિટની ચેઈન 30 સેકન્ડમાં અને 2 મિનિટની ચેઈન 1 મિનિટમાં પૂરી થશે. શહેરીજનો અને પોલીસ બંનેનો હકારાત્મક અભિપ્રાય આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

બપોરે 1થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો ખુલ્લા રહેશે

અમદાવાદમાં આગ ઝરતી ગરમીથી વાહનચાલકોને આંશિક રાહત મળશે. રાજકોટ બાદ અમદાવાદમાં પણ એક મહિના માટે ટ્રાફિક સિગ્નલો (Traffic Signal ) વાહન ચાલકોને નહીં નડે. જેમાં વધતી જતી કાળઝાળ ગરમીને લઈ ટ્રાફિક પોલીસે રાહદારીઓને રાહત આપતો મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં બપોરના સમયે 1થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો ખુલ્લા રહેશે. એટલે કે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ભર તડકામાં ઉભું રહેવું નહીં પડે. આ તડકામાં શેકાયા વગર જ વાહન ચાલકો સિગ્નલ પરથી પસાર થઈ શકશે. જ્યારે 57 સિગ્નલ પર ઊભા રહેવાના સમયમાં ઘટાડો કરાયો છે.

માત્ર 57 સિગ્નલ ચાલુ રાખવાનું નક્કી કરાયું

અમદાવાદ ટ્રાફિક શાખાના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, ગરમીમાં સિગ્નલ પર ઊભા રહેવું ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. એસજી હાઈવે ઉપર YMCAથી પ્રહલાદનગર, કર્ણાવતી ચાર રસ્તા, ઈસ્કોન ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા ઉપર હાઈકોર્ટના જજ સહિતના VVIPની અવરજવર રહેતી હોવાથી ત્યાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે તેમ હતી. જેથી આવા 57 સિગ્નલ ચાલુ રાખવાનું નક્કી કરાયું છે.

મહત્વનું છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમી વધવાની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ માટે હીટવેવ જાહેર કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા બદલાઈ છે. ઉતર-પશ્ચિમના સૂકા પવનો ફૂંકાવાના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ અને જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે.

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">