Ahmedabad : સીમનો ખાડો બન્યો કાળ ! વિરમગામ તાલુકામાં બે યુવાનોના ડૂબી જવાથી મોત
મહાદેવપુરા-વાસવા ગામની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી છે. ગામની સીમમાં ખાડામાં આ યુવાનો નાહ્વા પડ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના (Tragdy) ઘટી હતી.
વિરમગામ તાલુકામાં (Viramgam Taluka) બે યુવાનોનું ડૂબી જતાં મોત થયા હોવાના સમચાર મળી રહ્યા છે.મહાદેવપુરા-વાસવા ગામની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી છે. મળતી માહિતી મુજબ ગામની સીમમાં ખાડામાં આ યુવાનો નાહ્વા પડ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના (Tragdy) ઘટી હતી.
2 youth dead due to drowning in viramgam, #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/AD6Q52o6Lz
— Tv9 Gujarati (@tv9gujarati) June 5, 2022
ભરૂચના એક જ પરિવારના પાંચ લોકોના ડૂબવાથી મોત
ગયા રવિવારે નર્મદાના (Narmada) માંડણ ગામે આવેલ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના (Bharuch) એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા હતા, જેમાં એક મહિલાનો ગઈ રાતે જ મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે આજે વધુ 4 મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક વધીને પાંચ પર પહોંચ્યો છે. NDRF ની ટિમના પ્રયત્નો બાદ તેઓ પરિવારમાંથી એકપણ સભ્યને બચાવી શક્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે, રવિવારે નર્મદા જિલ્લાના માંડણ ગામે કરજણ નદી (Karjan River) માં એક જ પરિવારના પાંચ લોકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ છતાં જ રાજપીપળા (Rajpipala) નગરપાલિકાની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડૂબી ગયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો જ્યારે અન્ય ચાર લોકોની શોધખોળ રાત સુધી કરવામાં આવી હતી.હાલ વધુ ચાર મૃતદેહ મળી આવાત મૃત્યુઆંક વધીને પાંચ પર પહોંચ્યો હતો.મળતી માહિતી મુજબ ગયા રવિવારે રજાના દિવસે ભરૂચ જિલ્લાનો આ પરિવાર માંડણના નદી કિનારે ફરવા આવ્યો હતો, જે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.