AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાથનો નેત્રોત્સવ : ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ ધામધૂમ પૂર્વક સંપન્ન, 2 વર્ષ બાદ યોજાયેલી વિધિમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી.મહત્વનું છે કે, જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ પહેલા પાટીલ દ્વારા પ્રભુની પૂજા-અર્ચના કરવામાં આવી.

નાથનો નેત્રોત્સવ : ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ ધામધૂમ પૂર્વક સંપન્ન, 2 વર્ષ બાદ યોજાયેલી વિધિમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 10:53 AM
Share

રથયાત્રા પૂર્વે (jagannath rathyatra) આજે મંદિરમાં(Jagannath Temple)  પરંપરાગત વિધિ યોજાઈ.જેમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ (CRPaatil) હાજર રહ્યા હતા.ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી.મહત્વનું છે કે, જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ પહેલા પાટીલ દ્વારા પ્રભુની પૂજા-અર્ચના કરવામાં આવી. આજના દિવસની ધાર્મિક વિધિ પર નજર કરીએ તો,પરોઢીયે રત્નવેદી ઉપર ભગવાનની પ્રતિષ્ઠા કરાય, જ્યારે 8 વાગે નેત્રોત્સવનો (Netrotsav) વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો.

જેમાં પરંપરાગત ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવની વિધિ શરૂ થઈ.જ્યારે સવારે 10 કલાકે મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યુ. મહત્વનું છે કે, બપોરે 12 કલાકે મંદિરમાં ભંડારો યોજાશે.

બે વર્ષ બાદ ભક્તો સાથે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે. આ રથયાત્રા પૂર્વે આજે મંદિરમાં પરંપરાગત વિધિ યોજાઈ.જમાલપુર ખાતે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી.પ્રભુ મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા અને મામાના ઘરે કેરી અને જાંબુ ખાતા પ્રભુને આંખો આવી હતી. નેત્રોત્સવ વિધિ દરમિયાન હર્ષોલ્લાસ સાથે નિયમોનું પણ પાલન કરવામાં આવ્યુ હતુ.

પેરામોનિટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરાશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા  માટે શહેર પોલીસ સજ્જ છે. અમદાવાદ પોલીસે રથયાત્રા રૂટ પર બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. રથયાત્રાના રૂટ પર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ પગપાળા નીકળ્યા હતા અને સુરક્ષા  વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મુસ્લીમ સમુદાયે હાર પહેરાવીને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતુ.મહત્વનું છે કે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે આ વર્ષે પહેલીવાર પેરામોનિટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરાશે.હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો ખડેપગે રહેશે.તો સાથે જ પેરા મિલિટરી ફોર્સ સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત રહેશે.

Follow Us
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">