AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા માત્ર 29 કેસ નોંધાયા, 63 દર્દીઓ સાજા થયા

ગુજરાતમાં હાલ કોરોના એક્ટિવ કેસની સંખ્યા 492 છે . જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 486 લોકો સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોનાના લીધે અત્યાર સુધી 19939 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા માત્ર 29 કેસ નોંધાયા, 63 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update
| Updated on: Mar 15, 2022 | 8:43 PM
Share

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવા તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયના કોરોનાના કેસના સતત ઘટાડો જોવા મળી રહ્યો છે . જેમાં 15 માર્ચના રોજ કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના 63 દર્દીઓ સાજા થયા છે.ગુજરાતમાં આજે  રાજય ભરમાં 63 દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયન આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે અત્યાર સુધી 12,12,250 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે . તેમજ રાજયમાં કોરોના રિકવરી રેટ 99. 07 ટકા થયો છે.ગુજરાતમાં કોરોનાના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 14, વડોદરામાં 04, બનાસકાંઠામાં 02, સુરતમાં 02, આણંદમાં 01, દાહોદમાં 01, ગાંધીનગરમાં 01, કચ્છમાં 01, સાબરકાંઠામાં 01, સુરત ગ્રામીણમાં 01, સુરેન્દ્રનગરમાં 01 અને બાકીના જિલ્લા અને શહેરોમાં કોરોનાના એક પણ કેસ નોંધાયો નથી.ગુજરાતમાં હાલ કોરોના એક્ટિવ કેસની સંખ્યા 492 છે . જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 486 લોકો સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોનાના લીધે અત્યાર સુધી 19939 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી અપાશે

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત બુધવાર 16 મી માર્ચ 2022 થી ગુજરાતમાં 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળાએથી સવારે 9 કલાકે આ રાજ્યવ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે. કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારની માર્ગદર્શીકા મુજબ રાજ્યમાં આવતીકાલથી આ રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવાની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગે પૂર્ણ કરી છેરાજ્યના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવામાં આવશે. 12 થી 14 વર્ષની વય જૂથના અંદાજે 23  લાખ બાળકોને કોવિડ-19ની વેક્સિનના બે ડોઝ આ અભિયાન અંતર્ગત અપાશે.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

આ પણ  વાંચો : Gandhinagar : કોંગ્રેસના અમદાવાદના બે ધારાસભ્યોએ હિજાબ અંગેના કર્ણાટકના હાઈકોર્ટના ચુકાદાને આવકાર્યો

આ પણ  વાંચો : ગુજરાત વિધાનસભા ગૃહમાં વીજળી અને સિંચાઈના પાણીનો મુદ્દો ગુંજ્યો, કોંગ્રેસે વોકઆઉટ કર્યું

Follow Us
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">