Ahmedabad: 15 દિવસથી કોર્પોરેશને ડેથ સર્ટિફિકેટ આપવાનું કર્યું બંધ, નરોડાના હંસપુરા ગામના લોકો પરેશાન

નરોડા પાસે આવેલા હંસપુરા ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરનારને કોર્પોરેશને ડેથ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી છે. હંસપુરાના સ્મશાનમાં થયેલી અંતિમવિધિ કોર્પોરેશને માન્ય ન રાખી મૃતકોની ડેથ સર્ટિફિકેટ નથી આપ્યા.

Ahmedabad: 15 દિવસથી કોર્પોરેશને ડેથ સર્ટિફિકેટ આપવાનું કર્યું બંધ, નરોડાના હંસપુરા ગામના લોકો પરેશાન
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 13, 2021 | 11:05 PM

Ahmedabad: નરોડા પાસે આવેલા હંસપુરા ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરનારને કોર્પોરેશને ડેથ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી છે. હંસપુરાના સ્મશાનમાં થયેલી અંતિમવિધિ કોર્પોરેશને માન્ય ન રાખી મૃતકોની ડેથ સર્ટિફિકેટ નથી આપ્યા. છેલ્લા 15 દિવસથી કોર્પોરેશને ડેથ સર્ટિફિકેટ આપવાનું બંધ કરી દીધુ છે. ડેથ સર્ટિફિકેટ નહીં આપતા મૃતકોના પરિવાર જનોને અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

નરોડાના હંસપુરા ગામના લોકોનો કોર્પોરેશનના અધિકારીઓનો વિચિત્ર અનુભવ થઈ રહ્યો છે. ગામના લોકો ગામના સ્મશાનમાં મૃતકની અંતિમવિધિ કરે તો કોર્પોરેશન મૃતકને ડેથ સર્ટિફિકેટ આપવાની ના પાડે છે. સ્મશાનમાં કરેલી અંતિમવિધિ કોર્પોરેશન માન્ય રાખતું નથી. છેલ્લા 15 દિવસથી ગામના સ્મશાનમાં જે લોકોની અંતિમવિધિ કરવામાં આવી તેમને ડેથ સર્ટિફિકેટ આપવાની કોર્પોરેશને ના પાડી દીધી છે.

ગામના માજી સરપંચ બુધાજી ઠાકોરનું 5 મેના રોજ અવસાન થતાં ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમના પૌત્ર સતીશ ઠાકોર ડેથ સર્ટિફિકેટ લેવા ગયા તો કોર્પોરેશને સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી. એવી જ રીતે ગામમાં રહેતા જીગ્નેશ ઠાકોરના દાદી ઈશાબેન ઠાકોરનું 6 મેના રોજ અવસાન થતાં ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરી હતી.

જીગ્નેશને પણ કોર્પોરેશન દ્વારા તેમના દાદીનું ડેથ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી છે. છેલ્લા એક અઠવાડિયામાં છ મૃતકોના કોર્પોરેશને ડેથ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી છે. ડેથ સર્ટિફિકેટ ન મળવાથી બેન્ક એકાઉન્ટ, વીમા પોલિસીના નાણાં અને વારસાઈ કરવામાં મુશ્કેલી ઉભી થઈ છે.

1946માં સરકારે અંતિમવિધિ માટે હંસપુરા ગામને આ જમીન ફાળવી હતી. 74 વરસથી આજ સ્મશાનમાં ગામના લોકોની અંતિમવિધિ થતી હતી અને કોર્પોરેશન ડેથ સર્ટિફિકેટ પણ આપતું હતું. ગામના લોકોનો આક્ષેપ છે કે સ્મશાનની આસપાસની જમીન પર બિલ્ડરો કબ્જો કરવા માંગતા હોવાથી કોર્પોરેશને અહીં અંતિમવિધિ કરવા પ્રતિબંધ મૂક્યો છે.

સ્મશાનની જગ્યાએ બિલ્ડરોના દબાણથી કોર્પોરેશન બગીચો બનાવવા ઈચ્છે છે. જેથી આસપાસની સ્કીમો અને જમીનોના સારા ભાવ આવે. કોર્પોરેશને અહીં જૂનું સ્મશાન તોડી નાખ્યું છે. જેથી લોકો ખુલ્લી જગ્યામાં જ અંતિમવિધિ કરે છે. ગામ લોકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન અહીં બગીચો કરવા દબાણ કરે છે. ગામના લોકોની માંગ છે કે આ 74 વર્ષ જૂનું સ્મશાન છે અને અહીં સ્મશાન જ બનવું જોઈએ.

કોર્પોરેશનના અધિકારીઓ યેન કેન પ્રકારે બિલ્ડરોના દબાણથી અહીં સ્મશાન બંધ કરવા ઈચ્છે છે. કોઈપણ પ્રકારના લેખિત આદેશ વિના જ અધિકારીઓ ગામના લોકોનો દબાણ કરે છે. ડેથ સર્ટિફિકેટ ના આપવા છતાં ગામના લોકો અહીં જ અંતિમવિધિ કરે છે. ત્યારે હવે ગામના લોકોએ આ બાબતે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સુધી ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 2000થી વધુ નર્સની તાત્કાલિક સીધી ભરતી કરાશે, અનાથ બનેલા બાળકોને મહિને 4000 ચૂકવાશે

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">