AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, રિક્ષાચાલકોએ 21 નવેમ્બરની અચોક્કસ મુદતની હડતાળ મોકુફ રાખી

અમદાવાદમાં 21 નવેમ્બરે રિક્ષા યુનિયને અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી હતી. જો કે આખરે રિક્ષા ચાલકોએ હડતાળનો આ નિર્ણય પાછો ખેંચ્યો છે.

અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, રિક્ષાચાલકોએ 21 નવેમ્બરની અચોક્કસ મુદતની હડતાળ મોકુફ રાખી
Rickshaw Drivers (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 5:56 PM
Share

ગુજરાતમાં(Gujarat) પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની સાથે જ સીએનજી(CNG) ગેસના ભાવમાં પણ વધારો થયો છે. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે સીએનજી ગેસના ભાવમાં પણ ઘટાડો કરવાની માંગ અમદાવાદના(Ahmedabad)  રિક્ષા ચાલક (Rikshaw Driver)  યુનિયનોએ કરી હતી.

તેમજ તેમની આ માંગણીને લઈને 21 નવેમ્બરે રિક્ષા યુનિયને અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી હતી. જો કે આખરે રિક્ષા ચાલકોએ હડતાળનો આ નિર્ણય પાછો ખેંચ્યો છે.

આ અંગે જણાવતા અમદાવાદ ઓટો રિક્ષાચાલક યુનિયનના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતું કે સીએનજીના ભાવ ઘટાડા અંગે અમે સરકારને રજૂઆત કરી છે. તેમજ હાલ કોરોના બાદ રિક્ષાચાલકોની આર્થિક સ્થિતિ સારી નથી. તેવા સમયે અચોક્કસ મુદતની હડતાળથી તેમના આર્થિક ઉપાર્જન પર નુકશાન થશે. જેના પગલે હાલ પૂરતા 21 નવેમ્બરના રોજની હડતાળને પરત ખેચીને તેને મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે આ અંગે અલગ અલગ રિક્ષાચાલક યુનિયનો સાથે વાતચીત કરી હતી. તેમજ તેના અંતે આ હડતાળ હાલ રિક્ષાચાલકો અને પેસેન્જરોના હિતમાં પરત ખેચવાનો નિર્ણય લીધો છે .

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં(Ahmedabad)  સીએનજીના ભાવ વધારાને(CNG Price Hike)  લઇને રિક્ષાચાલકો આજે 36 કલાકની હડતાળ કરી હતી. તેના મિશ્ર પ્રતિસાદ બાદ હડતાળની(Strike)જાહેરાત કરનારા રિક્ષા યુનિયનને હડતાલની સફળતા મળી હોવાનો દાવો કર્યો છે . તેમજ આ સફળતા બાદ તારીખ 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ અને જેલ ભરો આંદોલનની રીક્ષા ચાલકોએ જાહેરાત કરી હતી

સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિના કન્વીનર અશોક પંજાબી અને વિજય મકવાણા તેમજ અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે સીએનજીમાં ભાવવધારો પાછો ખેંચવા સાથે જ રિક્ષાચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા 15000 આર્થિક સહાય આપવા, પોલીસ દમન બંધ કરવા વગેરે રિક્ષાચાલકો ના પ્રશ્નો અંગે આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં રીક્ષાઓની ૩૬ કલાકની આપેલ હડતાળના એલાનને ૭૦ ટકા સફળતા મળી હતી.

તેમજ રોડ ઉપરની કોઈપણ રિક્ષાને રોકવામાં આવી નહોતી અને દવાખાના માટે તેમજ સિનિયર સીટીઝનો માટે અને ઇમરજન્સી સર્વિસ માટે છૂટ આપવામાં આવી હતી, સાથે જ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રતિભાવ નહીં મળતાં તારીખ 21 અચોક્કસ મુદતની હડતાળ યથાવત્ રાખી હતી.

આ  પણ વાંચો : ખેડા : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, આત્મનિર્ભર કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાયો

આ પણ વાંચો : અમરેલી : “ધારાસભ્ય અમરીશ ડેરને મારે ખખડાવા છે મારો અધિકાર છે” અમે ડેર માટે હજુ ખાસ જગ્યા રાખી છે : પાટીલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">