Ahmedabad: ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસની અમદાવાદ ક્રાઈમબ્રાંચે મુંબઈથી કરી ધરપકડ

અવિનાશ દાસ પોતાની ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાંચે તેને પકડી પાડ્યો હતો. અગાઉ બે વખત ક્રાઇમ બ્રાંચ અવિનાશ દાસને પકડવા મુંબઈ ગઈ હતી પણ ત્યારે તે હાથમાં આવ્યો નહોતો.

Ahmedabad: ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસની અમદાવાદ ક્રાઈમબ્રાંચે મુંબઈથી કરી ધરપકડ
Film director Avinash Das was arrested
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 3:12 PM

ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસની અમદાવાદ (Ahmedabad) ક્રાઈમબ્રાંચે મુંબઈથી ધરપકડ કરી છે. અવિનાશ દાસ (Avinash Das) પોતાની ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાંચે તેને પકડી પાડ્યો હતો. અગાઉ બે વખત ક્રાઇમ બ્રાંચ અવિનાશ દાસને પકડવા મુંબઈ ગઈ હતી પણ ત્યારે તે હાથમાં આવ્યો નહોતો. અવિનાશ દાસ સામે ક્રાઈમબ્રાંચમાં ગુનો નોંધાયો છે. જેમાં તેણે IAS ઓફિસર પૂજા સિંધલનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  (Union Home Minister Amit Shah) સાથેનો ફોટો શેર કર્યો હતો. આ વિવાદીત પોસ્ટ કરવા મામલે ગુનો નોંધાયો હતો.

અમદાવાદની સેશન્સ કોર્ટે ગત 7 જૂને મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતા અવિનાશ દાસને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કર્યા પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમને તેની ધરપકડ કરવા માટે મુંબઈ મોકલવામાં આવી હતી,  જોકે ઝારખંડ-કેડર IAS અધિકારી પૂજા સિંઘલ કે જેમની મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેની સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની કહેવાતી એક તસવીર શેર કરવા બદલ દાસ પર કેસ કરવામાં આવ્યો હતો. જેમાં શાહ અને સિંઘલ 2017માં રાંચીમાં એક જાહેર કાર્યક્રમમાં એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે, જેથી કથિત રીતે લોકોને ગેરમાર્ગે દોરવા અને શાહની પ્રતિષ્ઠાને બદનામ કરવાનો પ્રયાસ ગણાવાયો હતો.

દાસ પર તેના ફેસબુક એકાઉન્ટ પર ત્રિરંગો પહેરેલી મહિલાની મોર્ફ કરેલી તસવીર શેર કરીને રાષ્ટ્રધ્વજનું કથિત અપમાન કરવા બદલ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. દાસ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 469, આઈટી એક્ટની કલમ 67 અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો

આગોતરા જામીનનો ઇનકાર કરતી વખતે, એડિશનલ સેશન્સ જજ દિલીપકુમાર ઠક્કરે અવલોકન કર્યું હતું કે ત્રિરંગામાં લપેટાયેલી નગ્ન મહિલાનો ફોટો અપલોડ કરવાથી દાસની માનસિક વિકૃતિ અને ભારતીય સંસ્કૃતિનું અપમાન તેમજ દેશના લોકોમાં નફરતની લાગણી જન્મી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો દાસને આગોતરા જામીન આપવામાં આવે છે, તો તે દેશમાં સાયબર ક્રાઈમને વેગ આપશે અને આવા લોકોને રાષ્ટ્રીય સન્માન તેમજ દેશના રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનના આવા ગુનામાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરશે. રાષ્ટ્રધ્વજ તેમજ ભારતના કેન્દ્રીય ગૃહમંત્રીની છબીને ખરાબ કરે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">