AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સેન્ટ્રલ જેલને ડીજીટલ બનાવવા કવાયત, કેદીઓ માટે ફોન કોલિંગ સેવા શરૂ કરાઇ

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં(Central Jail) સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને કેદીઓ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકશે..જેમાં કેદીના સગા દ્વારા જેલની એક વેબસાઈટ પર ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહે જે બાદ કેદી ને આપેલ કાર્ડમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે

Ahmedabad : સેન્ટ્રલ જેલને ડીજીટલ બનાવવા કવાયત, કેદીઓ માટે ફોન કોલિંગ સેવા શરૂ કરાઇ
Ahmedabad Central Jail Phone Calling Service
Mihir Soni
| Edited By: | Updated on: May 01, 2022 | 5:17 PM
Share

રાજ્યભરમાં પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની(Gujarat Foundation Day)ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં આ દિવસનાં ઉપલક્ષ્યમાં અમદાવાદની સેન્ટ્રલ જેલ(Central Jail) ખાતે જેલ વિભાગને ડીજીટલ(Digital) બનાવવા ખાસ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.ટેક્નોલોજીનાં આ યુગમાં જેલમાં બંધ કેદીઓ પોતાનાં પરિવારજનો અથવા વકીલો સાથે વાત કરી શકે તે હેતુથી પ્રિઝન કોલિંગ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે..જેમાં કેદીઓ પોતાનાં પરિવાર સાથે સરળતાથી ફોન પર વાત કરી શકશે. આની સાથે જ કેદીઓ જેલમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે તે હેતુથી ઈન્ડુસ કંપનીના સહયોગથી કેન્ટીન મેનેજમેન્ટ સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવી છે,જેમાં કેદીઓનો આધુનિક સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે.

કેદી જેલમાં કેન્ટીનમાં સ્માર્ટ કાર્ડ સ્વાઈપ કરી ખરીદી કરી શકશે

જે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને કેદીઓ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકશે.જેમાં કેદીના સગા દ્વારા જેલની એક વેબસાઈટ પર ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહે જે બાદ કેદી ને આપેલ કાર્ડમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.જે પૈસાથી કેદી જેલમાં કેન્ટીનમાં સ્માર્ટ કાર્ડ સ્વાઈપ કરી ખરીદી કરી શકે છે.

કૂપનનો કેદીઓ દૂરઉપયોગ કરતા હતા

ઉલ્લેખનીય છે કે હાલમાં કેદીઓને પૈસાની જરૂરિયાત હોય તો કેદી ના પરિવાર મની ડ્રાફ્ટ જેલમાં મોકલે જે બાદ પૈસા કેદીને આપવામાં આવે છે. જે પૈસાથી કેદી કુપન ખરીદી કેન્ટીનમાં ચીજ વસ્તુ ખરીદી કરી શકે. પરતું કેદી પાસે પૈસા આવવામાં ઘણો સમય નીકળી જતો હોય જેથી સ્માર્ટ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે.જોકે બીજુ કારણએ પણ સામે આવ્યું છે કે કૂપનનો કેદીઓ દૂર ઉપયોગ કરતા હતા જેથી જેલમાં આધુનિક સ્માર્ટ કાર્ડથી તમામ વસ્તુઓ ખરીદી શકે અને આખી સિસ્ટમ ટ્રાન્સફરસ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હાલ પ્રાથમિક ધોરણે આ પ્રોજેક્ટ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં શરૂ કરાયો છે, ત્યારે આગામી દિવસોમાં રાજ્યની અન્ય સેન્ટ્રલ જેલમાં પણ આ પ્રકારનું આયોજન કરવાનું નક્કી કરાયુ છે.

આ પણ વાંચો : Mehsana : વડનગર ખાતે ગુજરાત સ્થાપના દિન અંતર્ગત “ગુજરાત ગૌરવ દિવસની” ઉજવણી

આ પણ વાંચો : Surat: નિષ્ણાંતોની સુરત પ્રશાસનને ટકોર, જો સતત માઈક્રો મોનિટરીંગ થશે તો જ પ્રદુષણ નિયંત્રિત કરી શકાશે

Follow Us
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">