AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ કોર્પોરેશને કોરોનાથી થયેલા મૃત્યુના પ્રમાણપત્ર મેળવવા ફોર્મ વિતરણ શરૂ કર્યું

અમદાવાદમાં અરજદારોને આ ફોર્મ નજીકના સિવિક સેન્ટર ખાતેથી મળી રહેશે. આ સિવાય જન્મ-મરણ નોંધણી વોર્ડ ઓફિસ અને હેડ ઓફિસમાંથી પણ ફોર્મ મળશે.

અમદાવાદ કોર્પોરેશને કોરોનાથી થયેલા મૃત્યુના પ્રમાણપત્ર મેળવવા ફોર્મ વિતરણ શરૂ કર્યું
Ahmedabad Corporation Office (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 9:47 PM
Share

કેન્દ્ર સરકારે કોરોના (Corona) દર્દીના મોતને લઈ તૈયાર કરેલી ગાઈડલાઈન રાજ્ય સરકારોને મોકલી આપી છે. જે મુજબ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના 30 દિવસમાં થયેલું મૃત્યુ કોરોનાથી (Corona Death) થયું ગણાશે આ સાથે કોરોનાથી મૃત્યું પામેલા 95 ટકાથી વધુ મૃતકોના અરજદારો માટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જાહેર કરાયેલી રૂપિયા 50 હજારની સહાય મેળવવાનો માર્ગ મોકળો બની ગયો છે.

જ્યારે  અમદાવાદ,(Ahmedabad) મહાનગરપાલિકામાં કોરોનાથી થયેલા મૃત્યુનું પ્રમાણપત્ર  (Death Certificate)મેળવવા માટેના ફોર્મનું વિતરણ શરૂ કરી દેવાયું છે.

સૌથી પહેલા એ જાણી લો કે આ ફોર્મ ક્યાં મળશે. અરજદારોને આ ફોર્મ નજીકના સિવિક સેન્ટર ખાતેથી મળી રહેશે. આ સિવાય જન્મ-મરણ નોંધણી વોર્ડ ઓફિસ અને હેડ ઓફિસમાંથી પણ ફોર્મ મળશે.. આરોગ્ય ભવનની મુખ્ય કચેરી ખાતેથી પણ ફોર્મ મળશે. આ સિવાય www.ahmedabadcity.gov.in પરથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે

આ ફોર્મ મેળવી લીધા પછી સૌથી પહેલો સવાલ એ થાય કે હવે પછીની કામગીરી શું હશે.. તો આ પ્રક્રિયા પણ વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ.. કોરોનાથી મૃત્યું થયું હોય અને પ્રમાણપત્ર ન મળ્યું હોય તો અરજી કરવી પડશે.. MCCD એટલેકે મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથના કારણ સામે અસંતોષ હોય તો પરિશિષ્ટ–3 હેઠળ અરજી કરવાની રહેશે. હોસ્પિટલના ડેથ સર્ટિમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ ન હોય તો પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરવી પડશે..

અરજદારે પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરી MCCDની નકલ મેળવવાની રહેશે.. સ્મશાનની પહોંચમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ ન હોય તો પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરવાની રહેશે. પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરી MCCDની નકલ મેળવવાની રહેશે.

કોરોના દર્દીનું ઘરે મોત થયું હોય તો ડૉક્ટરે કરેલી સારવારની વિગતો રજૂ કરવી પડશે. દર્દીના લેબોરેટરી અને રેડિયોલોજી પરીક્ષણના પુરાવા પણ રજૂ કરવાના રહેશે.. સહાય મેળવવા અરજદારે પોતાનો ઓળખનો પુરાવો રજૂ કરવાનો રહેશે.જે વિસ્તારની હોસ્પિટલમાં મોત થયું હોય તે વિસ્તારની કચેરીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે.

રૂપિયા 50 હજારની સહાય લેવા માટે અરજદારોએ પ્રથમ મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ મેળવવા માટે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. આ પ્રમાણપત્ર સ્થાનિક કક્ષાએથી અપાશે. જો આ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના ન હોય તો તેવા કિસ્સામાં અલગ ફોર્મ, જરૂરી દસ્તાવેજો સાથે ભરવાનું રહેશે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિ તમામ દસ્તાવેજોથી ચકાસણી કરીને કોવિડ-19થી થયેલા મોતનો સત્તાવાર દસ્તાવેજ ઇશ્યૂ કરશે.

આ પણ વાંચો : અમરેલીમાં સી.આર.પાટીલના નિવેદન બાદ કોંગ્રેસનો પલટવાર, કહ્યું ભાજપનો જુથવાદ છુપાવવાનો  કિમીયો

આ પણ વાંચો : ગીર સોમનાથ : 20 માછીમારો પાકિસ્તાન જેલમાંથી માદરે વતન પહોંચ્યા, વેરાવળ ખાતે પરિવારજનો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">