AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : AMC દ્વારા BRTS ઉડાન પ્રોજેકટ શરૂ, એરપોર્ટ પર ઓટો-ટેક્સી ચાલકોની મનમાની સામે મુસાફરોને રાહત

અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થનારી આ બસનું એક મુસાફર દીઠ ભાડું ફક્ત 50 રૂપિયા જ રાખવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં મુસાફરો આ સુવિધાનો લાભ લઇ શકે. આજે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ સેવાને ફ્લેગઓફ કરી હતી.

Ahmedabad : AMC દ્વારા BRTS ઉડાન પ્રોજેકટ શરૂ, એરપોર્ટ પર ઓટો-ટેક્સી ચાલકોની મનમાની સામે મુસાફરોને રાહત
Dipen Padhiyar
| Edited By: | Updated on: Oct 18, 2021 | 6:22 PM
Share

AMC દ્વારા BRTS ઉડાન પ્રોજેકટ શરૂ કર્યો, એરપોર્ટથી મુસાફરોને 50 રૂપિયામાં મળશે એસી બસની સુવિધા

અમદાવાદ એરપોર્ટ પર રીક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો દ્વારા મુસાફરો પાસેથી થતી લૂંટ બંધ થશે. હવાઈ માર્ગે મુસાફરી કરનારા મુસાફરને ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિધા મળી રહે તે ઉદ્દેશથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS ઉડાન પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત અમદાવાદ એરપોર્ટથી ઇસ્કોન સુધી BRTS શટલ સેવાનો ફરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. એરપોર્ટથી ઓપરેટ થનારી આ બસ સેવામાં હાઈ એન્ડ એસી કલાસ તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ રહેશે. જેથી મુસાફરોની સુરક્ષા અને સલામતી પણ જળવાઈ રહેશે. આ BRTS બસ અમદાવાદ એરપોર્ટથી આરટીઓ, રાણીપ, મેમનગર, વાળીનાથ ચોક, સોલા રોડ, જયમંગલ, પ્રગતિનગર, અખબારનગર, શિવરંજની, જોધપુર, ઈસરો, સ્ટારબજાર અને ઇસ્કોન સુધીના સ્ટેશનો આવરી લેશે.

એરપોર્ટથી શરૂ થયેલી આ સેવા અંતર્ગત મુસાફરોને 15 થી 30 મિનિટના અંતરે BRTS બસ મળી રહેશે. જેનાથી અમદાવાદ એરપોર્ટ પર આવનારા મુસાફરોને ટ્રાન્સપોર્ટેશન માટે મુશ્કેલી નહિ પડે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ પર ઓલા-ઉબેર અને ટેક્સી તથા હોતી સર્વિસના ડ્રાઈવરોની મનમાનીના કારણે મુસાફરો પરેશાન હતા. ઓટો અને ટેક્સી ડ્રાઇવરો દ્વારા મુસાફરો પાસેથી મનફાવે તેમ ભાડાં ઉઘરાવી લૂંટ ચલાવવામાં આવતી હતી. જેની અનેક ફરિયાદો એરપોર્ટને મળી હતી. જેને કારણે અદાણી ઓથોરિટી દ્વારા મુસાફરોની ફરિયાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થનારી આ બસનું એક મુસાફર દીઠ ભાડું ફક્ત 50 રૂપિયા જ રાખવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં મુસાફરો આ સુવિધાનો લાભ લઇ શકે. આજે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ સેવાને ફ્લેગઓફ કરી હતી. અગાઉ કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધી બીઆરટીએસની શટલ સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ સેવા ખોટ કરતા બંધ કરી દેવામાં આવી હતી. ત્રણ વર્ષ બાદ ફરીથી આ સેવાનો પ્રારંભ થયો છે.

મુસાફરો મળી રહે તે માટે આગમન ગેટની બહાર બીઆરટીએસ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. મુસાફરોને પ્રસ્થાન સમયે ડ્રોપ ઓફ અને આગમન સમયે પિક અપની સુવિધા આપવામા આવશે. આગામી દિવસોમાં પૂર્વ અમદાવાદને એરપોર્ટ સુધી જોડતો રૂટ પણ શરૂ કરવામાં આવશે.

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">