AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: દીવાલ પડતાં 3 લોકોનાં મોત, 2 ગંભીર રીતે ઘાયલ

દાવાદમાં વૈશ્ણોદેવી વિસ્તારમાં એસ.પી. રિંગરોડ નજીક એક દીવાલની આડશમાં શેડ બનાવી એક પરિવાર રહેતો હતો. આજે સવારે ભારે વરસાદ પડતાં આ છાજલીવાળા ઝુંપડામાં આઠ લોકોએ આશરો લીધો હતો.

Ahmedabad: દીવાલ પડતાં 3 લોકોનાં મોત, 2 ગંભીર રીતે ઘાયલ
Ahmedabad 3 death, 2 seriously injured in wall collapse
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 12:19 PM
Share

અમદાવાદ (Ahmedabad) સરદાર પટેલ રિંગ રોડ (Sardar Patel Ring Road) પાસે એક દીવાલ ધરાશાઈ થઈ ગઈ હતી જેમાં એક જ પરિવારના ત્રણ માણસોનાં મોત (Death) થયાં છે જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વરસાદથી બચવા દીવાલને અડીને છાપરું બનાવી તેમાં રહેતા પરિવાર પર આ દીવાલ તૂટી પડી હતી. દીવાલમાંથી ઇંટો પડવા લાગતાં પરિવાર બહાર નીકળવા જતો હતો જ્યારે જ દીવાલ પડી ગઈ હતી અને પાંચ લોકો દટાઈ ગયાં હતાં. જેમાંથી 2ને બચાવી લાવાય હતા.

અદાવાદમાં વૈશ્ણોદેવી વિસ્તારમાં એસ.પી. રિંગરોડ નજીક એક દીવાલની આડશમાં શેડ બનાવી એક પરિવાર રહેતો હતો. આજે સવારે ભારે વરસાદ પડતાં આ છાજલીવાળા ઝુંપડામાં આઠ લોકોએ આશરો લીધો હતો. જોકે થોડા સમય બાદ દીવાલમાંથી ઇંટો પડવા લાગતાં દીવાલ પડી જશે તેવા ભયે અંદર રહેલા લોકો વરસતા વરસાદમાં બહાર નીકળવાનું વિચારી રહ્યા હતા ત્યાં જ આ દીવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. દરમિયાન 3 લોકો બહાર નીકળી ગયા હતા તેથી તેનો બચાવ થયો છે જ્યારે 3 લોકો દીવાલ નીચે દટાઈ જવાથી તેના મોત થયાં હતાં અને 2 માણસો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે મૃત્યુ પામેલા ત્રણેય માણસોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. આ તમામ લોકોના પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહ પરિવારના અન્ય લોકોને સોંપવામાં આવશે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">