AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: દીવાલ પડતાં 3 લોકોનાં મોત, 2 ગંભીર રીતે ઘાયલ

દાવાદમાં વૈશ્ણોદેવી વિસ્તારમાં એસ.પી. રિંગરોડ નજીક એક દીવાલની આડશમાં શેડ બનાવી એક પરિવાર રહેતો હતો. આજે સવારે ભારે વરસાદ પડતાં આ છાજલીવાળા ઝુંપડામાં આઠ લોકોએ આશરો લીધો હતો.

Ahmedabad: દીવાલ પડતાં 3 લોકોનાં મોત, 2 ગંભીર રીતે ઘાયલ
Ahmedabad 3 death, 2 seriously injured in wall collapse
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 12:19 PM
Share

અમદાવાદ (Ahmedabad) સરદાર પટેલ રિંગ રોડ (Sardar Patel Ring Road) પાસે એક દીવાલ ધરાશાઈ થઈ ગઈ હતી જેમાં એક જ પરિવારના ત્રણ માણસોનાં મોત (Death) થયાં છે જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વરસાદથી બચવા દીવાલને અડીને છાપરું બનાવી તેમાં રહેતા પરિવાર પર આ દીવાલ તૂટી પડી હતી. દીવાલમાંથી ઇંટો પડવા લાગતાં પરિવાર બહાર નીકળવા જતો હતો જ્યારે જ દીવાલ પડી ગઈ હતી અને પાંચ લોકો દટાઈ ગયાં હતાં. જેમાંથી 2ને બચાવી લાવાય હતા.

અદાવાદમાં વૈશ્ણોદેવી વિસ્તારમાં એસ.પી. રિંગરોડ નજીક એક દીવાલની આડશમાં શેડ બનાવી એક પરિવાર રહેતો હતો. આજે સવારે ભારે વરસાદ પડતાં આ છાજલીવાળા ઝુંપડામાં આઠ લોકોએ આશરો લીધો હતો. જોકે થોડા સમય બાદ દીવાલમાંથી ઇંટો પડવા લાગતાં દીવાલ પડી જશે તેવા ભયે અંદર રહેલા લોકો વરસતા વરસાદમાં બહાર નીકળવાનું વિચારી રહ્યા હતા ત્યાં જ આ દીવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. દરમિયાન 3 લોકો બહાર નીકળી ગયા હતા તેથી તેનો બચાવ થયો છે જ્યારે 3 લોકો દીવાલ નીચે દટાઈ જવાથી તેના મોત થયાં હતાં અને 2 માણસો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે મૃત્યુ પામેલા ત્રણેય માણસોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. આ તમામ લોકોના પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહ પરિવારના અન્ય લોકોને સોંપવામાં આવશે.

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">