AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: દીવાલ પડતાં 3 લોકોનાં મોત, 2 ગંભીર રીતે ઘાયલ

દાવાદમાં વૈશ્ણોદેવી વિસ્તારમાં એસ.પી. રિંગરોડ નજીક એક દીવાલની આડશમાં શેડ બનાવી એક પરિવાર રહેતો હતો. આજે સવારે ભારે વરસાદ પડતાં આ છાજલીવાળા ઝુંપડામાં આઠ લોકોએ આશરો લીધો હતો.

Ahmedabad: દીવાલ પડતાં 3 લોકોનાં મોત, 2 ગંભીર રીતે ઘાયલ
Ahmedabad 3 death, 2 seriously injured in wall collapse
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 12:19 PM
Share

અમદાવાદ (Ahmedabad) સરદાર પટેલ રિંગ રોડ (Sardar Patel Ring Road) પાસે એક દીવાલ ધરાશાઈ થઈ ગઈ હતી જેમાં એક જ પરિવારના ત્રણ માણસોનાં મોત (Death) થયાં છે જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વરસાદથી બચવા દીવાલને અડીને છાપરું બનાવી તેમાં રહેતા પરિવાર પર આ દીવાલ તૂટી પડી હતી. દીવાલમાંથી ઇંટો પડવા લાગતાં પરિવાર બહાર નીકળવા જતો હતો જ્યારે જ દીવાલ પડી ગઈ હતી અને પાંચ લોકો દટાઈ ગયાં હતાં. જેમાંથી 2ને બચાવી લાવાય હતા.

અદાવાદમાં વૈશ્ણોદેવી વિસ્તારમાં એસ.પી. રિંગરોડ નજીક એક દીવાલની આડશમાં શેડ બનાવી એક પરિવાર રહેતો હતો. આજે સવારે ભારે વરસાદ પડતાં આ છાજલીવાળા ઝુંપડામાં આઠ લોકોએ આશરો લીધો હતો. જોકે થોડા સમય બાદ દીવાલમાંથી ઇંટો પડવા લાગતાં દીવાલ પડી જશે તેવા ભયે અંદર રહેલા લોકો વરસતા વરસાદમાં બહાર નીકળવાનું વિચારી રહ્યા હતા ત્યાં જ આ દીવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. દરમિયાન 3 લોકો બહાર નીકળી ગયા હતા તેથી તેનો બચાવ થયો છે જ્યારે 3 લોકો દીવાલ નીચે દટાઈ જવાથી તેના મોત થયાં હતાં અને 2 માણસો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે મૃત્યુ પામેલા ત્રણેય માણસોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. આ તમામ લોકોના પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહ પરિવારના અન્ય લોકોને સોંપવામાં આવશે.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">