અમદાવાદના સાબરમતીના કાળીગામમાં ગરનાળાનું કામ બંધ, ગામમાં વાહનોનો પ્રવેશ ન થવાથી સ્થાનિકોને હાલાકી
અમદાવાદના સાબરમતી કાળીગામથી રામનગર જવાનું ગરનાળાનું કામ બંધ રહેતા સ્થાનિકોની હાલાકી વધી ગઈ છે. ગરનાળું બંધ રહેતા કાળીગામના સ્થાનિકોને 10-12 કિલોમીટર ફરીને જવું પડે છે. ગરનાળું બંધ રહેતા ગામમાં મેડિકલ સુવિધાઓ પણ મળી શકતી નથી. એટલે સુધી કે, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ ગામમાં આવવામાં મુશ્કેલી નડી રહી છે. છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી ગરનાળુ […]
અમદાવાદના સાબરમતી કાળીગામથી રામનગર જવાનું ગરનાળાનું કામ બંધ રહેતા સ્થાનિકોની હાલાકી વધી ગઈ છે. ગરનાળું બંધ રહેતા કાળીગામના સ્થાનિકોને 10-12 કિલોમીટર ફરીને જવું પડે છે. ગરનાળું બંધ રહેતા ગામમાં મેડિકલ સુવિધાઓ પણ મળી શકતી નથી. એટલે સુધી કે, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ ગામમાં આવવામાં મુશ્કેલી નડી રહી છે. છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી ગરનાળુ બંધ છે. અનેક નેતાઓ અધિકારીઓને રજૂઆત કરાઈ હોવા છતાં યોગ્ય કામગીરી નથી કરાતી. સ્થાનિકોને ચિંતા છે કે, જ્યારે શાળાઓ ખુલશે ત્યારે વિદ્યાર્થીઓની સ્થિતિ વધુ બગડશે. રેલવે દ્વારા મંથર ગતિએ કામગીરી કરાતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. ત્યારે ગરનાળુ વહેલી તકે શરૂ થાય તેવી ગ્રામજનોની માગ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો