Agricultural Bill: કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા, આંદોલનથી દેશમાં અશાંતિનું વાતાવરણ ફેલાવાયું : દેવુસિંહ ચૌહાણ

કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 18 મહિના સુધી ખેડૂતોને વિશ્વાસમાં લેવાના પ્રયાસો કર્યા હોવાનું જણાવ્યું છે. પરંતુ, ખેડૂતો આખરે ન સમજતા આ નિર્ણય લેવાયો છે.

Agricultural Bill: કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા, આંદોલનથી દેશમાં અશાંતિનું વાતાવરણ ફેલાવાયું : દેવુસિંહ ચૌહાણ
Agricultural Bill:
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 3:03 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતાની સાથે જ દેશભરમાં ખેડૂતો અને રાજકીય આગોવાનોની અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેમાં કેટલાક નેતાઓ આ નિર્ણયને ખેડૂતોના હિતમાં ગણાવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન દેવુસિંહે ચૌહાણે જણાવ્યું છેકે કેટલાક આંદોલનજીવી લોકોએ દેશનું વાતાવરણ સતત બગાડયું છે. અને, દેશને અસ્થિર કરવાના પ્રયત્નોને કારણે વડાપ્રધાન મોદીએ આ નિર્ણય લીધો હોવાનું તેમણે ઉમેર્યું છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોના હિતોને ધ્યાનમાં લઇને કૃષિ કાયદાનો નિર્ણય લેવાયો હતો. અને, કેટલાક દેશ વિરોધી લોકોના કારણે ખેડૂતોને અયોગ્ય માર્ગે દોરવામાં આવ્યા. અને, વડાપ્રધાને આ નિર્ણય ભારે હૃદયે લીધો હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 18 મહિના સુધી ખેડૂતોને વિશ્વાસમાં લેવાના પ્રયાસો કર્યા હોવાનું જણાવ્યું છે. પરંતુ, ખેડૂતો આખરે ન સમજતા આ નિર્ણય લેવાયો છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે પહેલીવાર દેશમાં આ કાયદાને કારણે ખેડૂતોને ખુબ જ ફાયદો થઇ રહ્યો હતો. અને, પહેલીવાર દેશના ખેડૂતોના બેંકના ખાતામાં સીધા જ દોઢ લાખ કરોડ જમા થયા છે. પરંતુ, કેટલાક લોકો ખેડૂતોનું હિત ઇચ્છી રહ્યાં નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન, કૃષિ કાયદા બાબતે મોટી જાહેરાત

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PMએ તમામ દેશવાસીઓની માફી પણ માગી છે.

મોદીએ સંબોધન કરતાં કહ્યું, મારા વહાલા દેશવાસીઓ, આજે દેવદિવાળીનો પવિત્ર તહેવાર છે. આજે ગુરુનાનકજયંતીનો પવિત્ર તહેવાર પણ છે. હું વિશ્વના તમામ લોકોને અને તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. કે દોઢ વર્ષ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખૂલ્યો એ પણ ખૂબ જ આનંદદાયક બાબત છે. ગુરુનાનક દેવજીએ કહ્યું છે કે સંસારમાં સેવાનો મર્મ અપનાવવાથી જ જીવન સફળ થાય છે. અમારી સરકાર આ જ સેવા ભાવનાઓ સાથે દેશવાસીઓના જીવનને સરળ બનાવવા માટે કાર્યરત છે. ન જાણે કેટલી પેઢીઓ સપનાં સાકાર થતાં જોવા માગતી હતી, ભારત એને સાકાર કરવા પ્રયાસ કરી રહ્યો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">