Surat : હજીરામાં અદ્યતન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ઉભું કરાશે, જમીન ફાળવવા સરકારની મંજૂરી

આ સેન્ટરનો હજીરા વિસ્તારના તમામ ઉદ્યોગકારોને લાભ મળશે. હજીરાના ઉદ્યોગો સમૂહમાં મળીને આ સેન્ટરનું નિર્માણકાર્ય કરશે તથા નહી પ્રોફીટ નહી લોસના ધોરણે સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે .

Surat : હજીરામાં અદ્યતન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ઉભું કરાશે, જમીન ફાળવવા સરકારની મંજૂરી
Government approves allotment of land for Disaster Management Center
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 11:58 AM

મહાકાય ઉદ્યોગોથી (Industries) ધમધમતા સુરતના હજીરા વિસ્તારમાં કુદરતી અથવા તો કૃત્રિમ આફતો સામે પહોંચી વળવા માટે ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર ( DPMC ) બનાવવા માટે હજીરા નોટીફાઇડ એરિયા દ્વારા વર્ષ 2011 માં હજીરાને અડીને આવેલા દરિયાકાંઠાના સુવાલી (Suvali) ખાતે જગ્યા ફાળવવાની રાજ્ય સરકાર સમક્ષ માગણી કરવામાં આવી હતી.

ગુજરાત ભાજપ અધ્યક્ષ અને સુરત નવસારીના સાંસદ સી.આર.પાટીલની દરમિયાનગીરીને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હજીરાના આ ઉદ્યોગોની માંગણીઓને ગ્રાહ્ય રાખી જગ્યાની ફાળવણી કરવા મંજૂરી આપી દેવામાં આવી છે.

આશરે 50 હજાર ચોમી જમીનમાં 2 વર્ષમાં સેન્ટર ઉભું કરાશે

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

હજીરા એરિયા એસોસિયેશન ના પ્રેસિડેન્ટ હેમંત દેસાઇ દ્વારા સી.આર. પાટીલની રૂબરૂ મુલાકાત લઇ હજીરા વિસ્તારના ઉદ્યોગો વતી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી . લગભગ 50 હજાર સ્કવેર મીટર વિસ્તારમાં આગામી બે વર્ષમાં ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર ( ડીપીએમસી ) નું નિર્માણ કરવામાં આવશે.

આ સેન્ટરનો હજીરા વિસ્તારના તમામ ઉદ્યોગકારોને લાભ મળશે. હજીરાના ઉદ્યોગો સમૂહમાં મળીને આ સેન્ટરનું નિર્માણકાર્ય કરશે તથા નહી પ્રોફીટ નહી લોસના ધોરણે સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ સેન્ટરમાં રાહત , બચાવના તમામ અદ્યતન સાધનો , સ્ટાફ ઉપલબ્ધ કરાશે. ઇન્ડસ્ટ્રીઝ અને દરિયામાં પણ આફતના સમયે અગ્નિશમન સહિતની રાહત પહોંચાડી શકાય એવા સાધનો સાથે નિષ્ણાંત બચાવ ટુકડી કાયમી ધોરણે તૈનાત કરશે.

સુંવાલીમાં તૈયાર થનાર રાજ્યનું પ્રથમ ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરમાં હોસ્પિટલથી હેલિપેડ સુધીની સુવિધાઓ આપવામાં આવશે. ઉપરાંત ઇમરજન્સી આ સારવાર માટે ટ્રોમા સેન્ટર સાથેની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. એરએમ્બ્યુલન્સ માટે હેલીપેડની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવશે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યૂટની પણ સ્થાપના કરાશે. આ સેન્ટરના ખુલવાથી હજીરાના ઉદ્યોગગૃહો ઉપરાંત સુરત શહેરને પણ આપત્તિઓ સામે લડવા મદદ મળી રહેશે.

સેન્ટરમાં આવનાર આધુનિક સુવિધાઓની હાઈલાઇટ્સ

-બર્ન્સ વોર્ડ સાથેની હોસ્પિટલ -ડિઝાસ્ટર મેનેજમેન્ટને લાગતી ઇન્સ્ટિટ્યૂટ -સ્ટાફ ક્વાર્ટર્સ -હેલિપેડ એર એમ્બ્યુલન્સ -24×7 ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ -મરીન કન્ટ્રોલ રૂમ

આ પણ વાંચોઃ

સુરતમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કોરોનાના કેસ, સરકારી કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં

આ પણ વાંચોઃ

પૂનમે ભક્તોની ભીડ ઉમટવાની સંભાવનાને પગલે રાજ્યના કેટલાક મંદિરો રહેશે બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">