AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી ગેસે સીએનજીના ભાવમાં 1. 63 રૂપિયા અને પીએનજીના ભાવમાં રૂપિયા 70 નો વધારો ઝીંકયો

નેચરલ ગેસના ભાવમાં વધારો આવ્યા બાદ અદાણી ગેસ દ્વારા 2 અને 6 ઓક્ટોબરે વધારો કરાયો હતો.ત્યારબાદ એક સપ્તાહમાં આ ત્રીજો વધારો કરાયો છે.

અદાણી ગેસે સીએનજીના ભાવમાં 1. 63 રૂપિયા અને પીએનજીના ભાવમાં રૂપિયા 70 નો વધારો ઝીંકયો
Adani Gas hikes CNG by Rs 1.63 and PNG by Rs 70
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 8:33 AM
Share

નેચરલ ગેસના ભાવ વધ્યા બાદ અદાણી સહિતની ગેસ કંપનીઓ બેફામ રીતે CNG-PNGના ભાવ વધારવા લાગી છે.. અદાણી ગેસે ચાલુ મહિને સતત ત્રીજીવાર ગેસનો ભાવ વધાર્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં 1.63 રૂપિયા અને PNGના ભાવમાં 70 રૂપિયાનો વધારો ઝીંક્યો છે.. જેના કારણે મધ્યવર્ગ પર ખર્ચનો બોજો વધી ગયો છે. CNGનો ભાવ રૂ.59.86થી વધીને રૂ.61.49 થયો છે. જ્યારે ઘર વપરાશના પીએનજીમાં 1.60 MMBTU સુધીના વપરાશ માટે રૂ.70નો વધારો કરાતા નવો ભાવ 1 હજાર 60 રૂપિયા રહેશે

જ્યારે 1.60 MMBTUથી વપરાશ વધે તો તેમાં 84 રૂપિયાનો વધારો કરાતા નવો ભાવ 1 હજાર 273 રૂપિયા રહેશે. મહત્વનું છે કે 1 ઓક્ટોબરે નેચરલ ગેસના ભાવમાં વધારો આવ્યા બાદ અદાણી ગેસ દ્વારા 2 અને 6 ઓક્ટોબરે વધારો કરાયો હતો..ત્યારબાદ એક સપ્તાહમાં આ ત્રીજો વધારો કરાયો છે. ગુજરાત ગેસના પીએનજીનો ભાવ રૂ.29 પડે છે જ્યારે અદાણી પીએનજીનો ભાવ રૂ.45થી 50 વચ્ચે પડશે.

ઉલ્લેખનીય છે કે, નેચરલ ગેસના ભાવમાં વધારો આવ્યા બાદ,, હવે રાજ્યમાં અદાણી અને ગુજરાત ગેસે CNGના ભાવમાં વધારો ઝીંકવાનું શરૂ કરી દીધુ છે. જેમાં 6 ઑક્ટોબરના રોજ અદાણી ગેસે સીએનજીમાં પ્રતિ કિલોગ્રામ દીઠ 1 રૂપિયાનો વધારો ઝીંકતા સીએનજી કિલોદીઠ 59.86 રૂપિયા થઈ ગયો હતો.છેલ્લે અદાણી ગેસના સીએનજીનો ભાવ પ્રતિ કિલોદીઠ 56.30 રૂપિયા હતો. પરંતુ તે તે ભાવ વધીને 59.86 રૂપિયા થયો છે.

મતલબ એક સપ્તાહમાં 3.56 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અદાણી ગેસે પીએનજીના ભાવમાં પણ વધારો કર્યો છે. 1.60 MMBTU સુધી વપરાશ હશે તો 991.20 રૂપિયા ભાવ રહેશે. જે 154 રૂપિયાનો વધારો સૂચવે છે. પરંતુ જો 1.60 MMBTU કરતા વપરાશ વધુ હશે તો 1189.44નો ભાવ લાગુ પડશે. જે 184.80 રૂપિયાનો વધારો સૂચવે છે.

અદાણીની પાછળ પાછળ ગુજરાત ગેસે પણ CNG ભાવમાં 2.50 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. CNG ભાવ 54.45 રૂપિયા હતો. તેમાં 2.50 રૂપિયાનો વધારો થતા ટેક્સ સાથે 58.10 રૂપિયા ભાવ થયો હતો.

આ પણ વાંચો : પીએમ મોદીના હસ્તે ગતિશકિત- નેશનલ માસ્ટર પ્લાન લોન્ચ કરાશે, રાજ્યકક્ષાનો કાર્યક્રમ સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મહાત્મા મંદિરમાં યોજાશે

આ પણ વાંચો : JAMNAGAR : ગુગળી બ્રાહ્મણ 505 મહિલા મંડળ છેલ્લા 75 વર્ષથી પ્રાચીન ગરબાથી માતાની કરે છે આરાધાના

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">