AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payment: UPI કરતા સમયે કપાય ગયા છે પૈસા, પરંતુ રિસીવરને કે તમને નથી મળ્યા તો પરત મેળવવા ફક્ત આટલું કરો

UPI Transaction Error: કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે જ્યારે સામેવાળી વ્યક્તિને પૈસા ન તો મળતા હોય છે અને ન તો તે તમારા ખાતામાં પરત આવ્યા હોય છે. આવી સ્થિતિમાં શું કરવું તે અંગે લોકોમાં અસમંજસની સ્થિતિ છે. આજે અમે તમને જણાવીશું કે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ.

UPI Payment: UPI કરતા સમયે કપાય ગયા છે પૈસા, પરંતુ રિસીવરને કે તમને નથી મળ્યા તો પરત મેળવવા ફક્ત આટલું કરો
UPI Transactions (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 9:53 AM
Share

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે. ડિજિટલ પેમેન્ટ (Digital Payment)માં પણ UPI દ્વારા પેમેન્ટ કરનારા લોકોની સંખ્યા વધારે છે. યુપીઆઈ (UPI)વડે પેમેન્ટ કરવું એકદમ સરળ અને સુવિધાજનક છે, પરંતુ ઘણી વખત તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, આવી સ્થિતિમાં બેંકો અથવા વેપારીઓ તમને 2-3 દિવસ રાહ જોવાનું કહે છે. સામાન્ય રીતે આ 2-3 દિવસમાં તમારા પૈસા પરત આવે છે અથવા વેપારીના ખાતામાં જાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે જ્યારે સામેવાળી વ્યક્તિને પૈસા ન તો મળતા હોય છે અને ન તો તે તમારા ખાતામાં પરત આવ્યા હોય છે. આવી સ્થિતિમાં શું કરવું તે અંગે લોકોમાં અસમંજસની સ્થિતિ છે. આજે અમે તમને જણાવીશું કે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ.

NPCI સમસ્યાનો ઉકેલ લાવશે

NPCI (National Payment Corporation of India) UPI વ્યવહારો માટે મધ્યસ્થી તરીકે કામ કરે છે. એટલે કે UPIની તમામ ચુકવણી આ સિસ્ટમ હેઠળ થાય છે. જો તમારા પૈસા ઉપર જણાવેલ પરિસ્થિતિમાં ક્યારેય ફસાઈ જાય તો તમે NPCI દ્વારા તમારા પૈસા પાછા મેળવી શકો છો. આવા નિષ્ફળ અથવા એરર ટ્રાંજેક્શન માટે તમારે તાત્કાલિક NPCI નો સંપર્ક કરવો જોઈએ. નીચે અમે સમજાવીશું કે તમે NPCI ને ફરિયાદ કેવી રીતે કરી શકો.

આ રીતે ફરિયાદ કરો

જો તમારો ટ્રાન્ઝેક્શન 3-4 દિવસ પછી પણ અટકી જાય તો તમારે તાત્કાલિક NPCI નો સંપર્ક કરવો જોઈએ. NPCI નિયત સમયે તમારી સમસ્યાનું નિરાકરણ કરશે. તમે નીચે જણાવેલ પદ્ધતિઓ દ્વારા NPCI નો સંપર્ક કરી શકો છો.

1. ફોન દ્વારા

તમે તમારા ટ્રાન્ઝેક્શન વિશે NPCIને તેના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો. તમારે 18001201740 પર કોલ કરવાનો રહેશે. આ પછી, તમારા ટ્રાન્ઝેક્શન નંબર સાથે ફરિયાદ નોંધો.

2. પોર્ટલની મદદથી

NPCI સાથે ફરિયાદ નોંધાવવાની બીજી રીત પોર્ટલ દ્વારા છે. આ માટે તમારે NPCI ના પોર્ટ પર જવું પડશે. ત્યાં Get In Touch ના વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમારી સામે એક પેજ ખુલશે જેમાં એક પ્રકારનું ફોર્મ બનશે. તમારે તેમાં તમારું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને તમારી સમસ્યા વગેરે ભરવાનું રહેશે. તે પછી સબમિટ કરો.

3. ટ્વિટર દ્વારા

જો તમે ટ્વિટરનો ઉપયોગ કરો છો, તો તમારા માટે ફરિયાદ નોંધાવવા માટે પણ આ એક સારો વિકલ્પ છે. આ માટે તમારે પહેલા ટ્વિટર પર જઈને NPCIને ફોલો કરવાનું રહેશે. NPCI ને અનુસર્યા પછી તેના પ્રોફાઇલ પેજ પર જાઓ. હવે સૌથી ઉપરના મેસેજ આઇકોન પર ક્લિક કરો. તે પછી તમારી સમસ્યા જણાવો. તમારી ફરિયાદ નોંધવા માટે, તમારે તમારું નામ, મોબાઇલ નંબર, UPI ID, ટ્રાન્ઝેક્શન નંબર, રિસીવર બેંક, સેંડર બેંક અને કેટલીક અન્ય માહિતી પ્રદાન કરવી પડશે. આ પછી તમારી ફરિયાદ નોંધવામાં આવશે.

આ પણ વાંચો: Rahu Ketu Transit 2022: આ વખતે હોળી પર ગ્રહોનું મોટુ પરિવર્તન, આ રાશિઓની લાઈફ થશે ખુબ રંગીન

આ પણ વાંચો: PM Kisan: અટકી શકે છે 11માં હપ્તાના બે હજાર, 31 માર્ચ પહેલા પૂરૂ કરી લો આ કામ

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
g clip-path="url(#clip0_868_265)">