Gir somnath Result: ઊનાના દેલવાડા ગામે સાસુ વહુ વચ્ચે ખરાખરીનો જંગ, ટુંક સમયમાં ખબર પડશે કે કોણે બાજી મારી

Gram Panchayat Election : ગીર સોમનાથના દેલવાડા ગામે સરપંચ પદ માટે સાસુ-જીવીબેન બામણીયા અને વહુ પૂજાબેન બામણીયા એ સામ સામે સરપંચ પદ માટે ઊમેદવારી કરી છે. બંને જીત માટે મક્કમ છે. જો કે મતદારો કોને જીત અપાવશે તે તો પરિણામ જ જણાવશે.

Gir somnath Result: ઊનાના દેલવાડા ગામે સાસુ વહુ વચ્ચે ખરાખરીનો જંગ, ટુંક સમયમાં ખબર પડશે કે કોણે બાજી મારી
Election fight between mother-in-law and daughter-in-law
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 2:55 PM

Gram Panchayat Election : ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લામાં ઉના (Una) તાલુકાનાં દેલવાડા ગામે સરપંચ પદ માટે સાસુ અને વહુ બન્નેએ સામસામે ચૂટણી(Election)માં ઝંપલાવ્યુ છે. ધીમે ધીમે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. ત્યારે સાસુ વહુમાંથી દેલવાડા ગ્રામપંચાયત (Delwada Gram Panchayat) માં સરપંચ પદની ખુરશી પર કોણ બેસશે તેના પર સૌની નજર છે. સાસુ વહુએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કટ્ટર વિરોધીની જેમ પોત પોતાનો પ્રચાર કર્યો હતો. જો કે પ્રજાએ સરપંચ પદ તરીકે કોની પસંદગી કરી છે તે થોડા જ સમયમાં જાહેર થઇ જશે.

દેલવાડા ગામમાં સાસુ અને વહુ બન્નેએ સામ સામે સરપંચ પદ માટે ઝંપલાવ્યુ છે. ત્યારે એ જાણવું જરૂરી બનશે કે મતદારોનો ઝુકાવ કોના તરફી રહેશે ? એક જ ઘરના બે સભ્યો ચૂંટણીમાં સામ સામે પડતા આખા જીલ્લામાં દેલવાડા ગામની ચૂંટણી ચર્ચાસ્પદ બની. જો કે મતદારોનું કહેવુ છે કે, ખરા અર્થમાં ગામનો વિકાસ કોણ કરશે તેને ધ્યાને આપીને જ મત આપ્યો છે.

વર્ષોથી ગામમાં એક જ પરિવારનું શાસન

સાસુ વહુના આ જંગને બીજી રીતે લઇએ તો એવુ પણ લાગી રહ્યુ છે કે જાણે આ બંને લોકોને સરપંચનું પદ પોતાના ઘરે જ રાખવુ છે. ઘણા વર્ષથી આ એક જ પરિવાર દેલવાડામાં શાશન કરી રહ્યો છે. પણ વિકાસ કાંઈ થયો હોય તેવું લાગતું નથી. દેલવાડામાં વર્તમાન સરપંચ વિજયભાઇ બાંભણીયા છે. જે પૂર્વ યુવા ભાજપના પ્રદેશમાંથી અને વર્તમાન કિશાન મોરચાના ભાવનગર જીલ્લાના પ્રભારી છે. આ વર્ષે સામાન્ય સ્ત્રી અનામત સીટ હોવાથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયભાઇ બાંભણિયાના પત્નિ પૂજાબેન વિજયભાઇ બાંભણીયાએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી. તેમજ ગ્રામ પંચાયતના 16 વોર્ડના સભ્યોની પેનલ સાથે મજબૂત દાવેદારી કરી. જ્યારે તેની સામે પૂજાબેનના સાસુ જીવીબેન લાખાભાઇ બાંભણીયાએ પણ સરપંચ તરીકે દાવેદારી નોંધાવી અને તમામ વોર્ડમાં સભ્યોની પણ પેનલ બનાવી. જીવીબેનના પતિ લાખાભાઈ પણ દેલવાડાના સરપંચ રહી ચૂક્યા હતા. જો કે અત્યારે તેઓ હયાત નથી પણ તેમનું સપનું હતું કે, મહિલા અનામત સીટ આવે ત્યારે તેમના પત્ની સરપંચ બને. આ વખતે લાખાભાઈનું સપનું સાકાર કરવા માટે જ જીવીબેન ચૂંટણીમાં ઝંપલાવ્યુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અન્ય ત્રણ મહિલાઓની દાવેદારી

દેલવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ સીવાય અન્ય ત્રણ મહીલાઓએ પણ સરપંચની દાવેદારી નોંધાવી છે પરંતુ ઉડીને આંખે વળગે તેવી સાસુ અને વહુની ઉમેદવારી ચર્ચાનો વિષય બન્યો. ત્યારે દેલવાડાની સત્તા સાસૂ જીવીબેન ને મળશે કે વહૂ પૂજા બેનને તે તો થોડા જ સમયમાં ખબર પડી જશે.

આ પણ વાંચો: GATE Exam 2022: ગેટ 2022 પરીક્ષાનું સમયપત્રક આવી ગયું છે, આ તારીખે મળશે એડમિટ કાર્ડ

આ પણ વાંચો: આ શાળાઓમાં ભણાવવામાં આવશે ભગવત ગીતા, 25 ડિસેમ્બરથી શરૂ થશે વર્ગો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">