ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 620 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 422 દર્દી થયા સ્વસ્થ
ગુજરાતમાં કોરોના વાઈરસના છેલ્લાં 24 કલાકમાં વધુ 620 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 422 દર્દીને કોરોના વાઈરસના સંક્રમણમાંથી સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 20 દર્દીના મોત થયા છે. સૌથી વધારે 9 દર્દીના મોત અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]
ગુજરાતમાં કોરોના વાઈરસના છેલ્લાં 24 કલાકમાં વધુ 620 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 422 દર્દીને કોરોના વાઈરસના સંક્રમણમાંથી સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 20 દર્દીના મોત થયા છે. સૌથી વધારે 9 દર્દીના મોત અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.
આ પણ વાંચો : વડોદરામાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO
રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસ 32 હજારને પાર
કોરોના વાઈરસના કેસમાં છેલ્લાં 4 દિવસથી વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં પ્રતિદિવસ 600થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 620 નવા પોઝિટિવ કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 32,643 થઈ ગઈ છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 23,670 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 1,848 લોકોનો જીવ ગયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો