AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં 4 વ્યક્તિના મોત

ભયંકર અકસ્માતને કારણે મૃતદેહો ગાડીમાં ફસાઇ ગયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

Breaking News : સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં 4 વ્યક્તિના મોત
સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માત
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 12:15 PM
Share

સુરેન્દ્રનગરમાં લીંબડી-રાજકોટ હાઇવે પર ગંભીર અકસ્માત થયો છે. ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતા 4 વ્યક્તિના ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા છે. આયા ગામના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ભયંકર અકસ્માતને કારણે મૃતદેહો ગાડીમાં ફસાઇ ગયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આજે વહેલી સવારે સુરેન્દ્રનગરમાં ધુમ્મસભર્યુ વાતાવરણ હતુ. જેના કારણે લીંબડી-રાજકોટ હાઇવે પર એક ટ્રકની પાછળ ઇકો કાર ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત થયા છે. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે જે ચાર લોકોના મોત થયા હતા તે ચારેયના મૃતદેહ ગાડીમાં જ ફસાયેલા રહ્યા હતા. જે પછી ક્રેનની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે આ પરિવાર મોડાસા પાસેના ઓલ્વા ગામના રહેવાસી હતો. આ પરિવાર ઠાકોર સમાજનો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. પરિવારના એક સભ્યનું વાલ્વનું ઓપરેશન કરાવેલુ હતુ અને તેઓ દવા લેવા મોડાસા જતા હતા. જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અત્યારે તમામ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ છે.

(વિથ ઇનપુટ-સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">