દુબઈથી દાહોદમાં આવેલા 3 લોકો કોરોના પોઝિટિવ, સેમ્પલ ઓમિક્રોનની તપાસ માટે મોકલવામાં આવ્યા

Dahod: દાહોદમાં દુબઈ પરત આવેલા 3 લોકોનો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 9:52 AM

Dahod: દુબઈથી દાહોદમાં (Dubai to dahod) આવેલ 3 ઇસમો કોરાના પોઝિટીવ (Corona Positive) નીકળ્યા હોવાની માહિતી સામે આવી છે. દુબઈથી દાહોદ આવેલ 3 ઈસમોનો કોરાના રિપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આ ઇસમો અને સંપર્કમાં આવેલા 8 લોકોને ક્વોરન્ટાઇન કરાયા હોવાની માહિતી સામે આવી છે. તો આ તમામના રિપોર્ટ ઓમિક્રોન છે કે નહીં તે નક્કી કરવા માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે ભારત અને બાદમાં ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે વિદેશથી આવતા ઘણા લોકો કોરોનાની ઝપેટમાં આવેલા હોય એવું જોવા મળી રહ્યું છે. સરકારે આ માત્ર નિયત્રણ અને નિયમો લાગુ કર્યા છે. ત્યારે જામનગરમાં સાઉથ આફ્રિકાથી આવેલા વૃદ્ધ ઓમિક્રોન પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં ઓમિક્રૉનની એન્ટ્રી થતાં તંત્ર વધુ સતર્ક બની ગયું છે. જામનગરના મોરકંડાના આધેડ વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે. આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જી.જી.હોસ્પિટલમાં આઇસોલેશન કરાયા છે.

તો આધેડ દર્દીના સંપર્કમાં આવેલા 10 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 87 લોકોને ટ્રેસ કરાયા છે. ગત 28 નવેમ્બરે આધેડ ઝિમ્બાબ્વેથી પરત ફર્યા છે. 29 નવેમ્બરે શરદી-ઉધરસના લક્ષણો હોવાથી ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવતા આધેડને હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ ઓમિક્રોનની શંકાના આધારે સેમ્પલ પુણે મોકલાયા હતા જેમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે.

 

આ પણ વાંચો: અમીરગઢ તાલુકા પંચાયતમાં લાખોનો ભ્રષ્ટાચાર! સરકારી અધિકારી દ્રારા સરકારના જ પૈસાની ઉચાપત, ફરીયાદ દાખલ

આ પણ વાંચો: Rajkot: ભ્રષ્ટાચાર મુદ્દે રાજેન્દ્ર ત્રિવેદીની લાલઆંખ, આડકતરી રીતે અધિકારીઓને આપી આ ચેતવણી

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">