VIDEO: નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઐતિહાસિક વધારો, ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 1,22,205 કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેને લઈને હાલ ડેમની સપાટી 133.32 મીટરની ઐતિહાસિક સપાટી પહોંચી છે. જેને કારણે નર્મદા બંધના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી […]
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 1,22,205 કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેને લઈને હાલ ડેમની સપાટી 133.32 મીટરની ઐતિહાસિક સપાટી પહોંચી છે. જેને કારણે નર્મદા બંધના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નર્મદા ડેમમાંથી હાલ 1 22, 579 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. છેલ્લા 6 દિવસ ગોરા બ્રિજ ડૂબી ગયો છે જેને કારણે સ્થાનિક ગામોના અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સાથે નર્મદા બંધ જોવા આવનારા પ્રવાસીઓને પણ મુશ્કેલી પડી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સરદાર સરોવર નર્મદા બંધ સરદાર સરોવર પાણીની આવકને લઈને રીવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટની ક્ષમતા વાળા 6 ટર્બાઈન ધમધમી ઉઠ્યા છે. જોકે તંત્ર દ્વારા એક આશા પણ બંધાઈ છે કે ચાલુ વર્ષે હજુ વરસાદની સીઝન બાકી છે, ત્યારે આ નર્મદા ડેમ જેની પૂર્ણ ક્ષમતા 138.68 મીટર સુધી ભરાશે અને આવનારા 2 વર્ષ સુધી ગુજરાતને પીવા અને સિંચાઈના પાણી ની તંગી નહિ પડે.
[yop_poll id=”1″]