Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આ વખતે 1.5 લાખ કિલો મરચાંના અથાણાનો પ્રસાદ બનાવાશેઃ જાણો, શા માટે બનાવાય છે આવો પ્રસાદ

સામાન્ય રીતે મંદિરમાં આપે શ્રીફળ ,લાડુ ,પેંડા ,મગસ ,બુંદી ,ગાંઠિયાનો પ્રસાદ જોયો હશે ,પણ ખેડા જીલ્લાના સ્વામીનારાયણ ધર્મના સર્વોચ્ચ તીર્થધામ વડતાલમાં મરચાના અથાણાનો પ્રસાદ આપવામાં આવે છે. કેવી રીતે તેયાર થાય છે આથેલા મરચા જુઓ આ અહેવાલમાં

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આ વખતે 1.5 લાખ કિલો મરચાંના અથાણાનો પ્રસાદ બનાવાશેઃ જાણો, શા માટે બનાવાય છે આવો પ્રસાદ
Vadtal Swaminarayan temple
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:46 PM

વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Swaminarayan temple) માં ચાલી આવતી પરંપરા મુજબ લીબુ-મરચાંના અથાણા (chilly pickle) ને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને આપવામાં આવે છે. શિયાળાની સીઝનમાં પાકા કાગદી લીંબુ અને મરચાંને આથવામાં આવે છે. ચાલુ વર્ષે અંદાજે 1.50 લાખ કિલો લીંબુ મરચાંનુ અથાણું તૈયાર કરાયું છે. જે બે માસ પછી મરચાના અથાણાને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને અપાશે.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા (Tradition) મુજબ આજેય હરીભક્તોને આથેલાં મરચાનો પ્રસાદ આપવામાં આવે છે. વડતાલના આથેલા મરચાંનો અનોખો મહિમા પણ છે. મંદિરમાં આવતા ભકતો મંદિરમાં દાન આપે છે અને અથાણાનો પ્રસાદ તરીકે સ્વીકાર કરે છે.

વર્ષો પહેલા વડતાલના કૃષ્ણજીવનદાસજી સ્વામીએ વર્ષો સુધી મરચાંના અથાણા બનાવાની સેવા કરતા હતા. જેથી તેઓ સંપ્રદાયમાં અથાણાવાળા સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા હતા.

પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો

ક્યાંથી લાવવામાં આવે છે મરચા અને કઈ રીતે તેયાર કરવામાં આવે છે

આથેલા મરચાની વાત કરવામાં આવે તો શિયાળાની સીઝનમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સુરત સહિત અનેક સ્થળોએથી લાંબા-લીલા મરચાં લાવવામાં આવે છે. આ મરચાંને પાણીથી ધોયા બાદ પ્રતિ દિવસ 200 ઉપરાંત ભાઈ-બહેનો અને સ્વયંસેવકો ધ્વારા મરચાંને કાણાં પાડી લીંબુ-મીઠું-હળદરમાં ભેળવવામાં આવે છે અને અથાણા માટે તૈયાર કરેલ લાકડાની 100 ઉપરાંત કોઠીઓમાં ભરવામાં આવે છે. જેને બે માસ સુધી અથાવામાં આવે છે. ચાલુ વર્ષે ૯૦ હજાર કિલો મરચાં, ૩૦ હજાર કિલો લીંબુ, ૨૪ હજાર કિલો મીઠું અને ૩ હજાર હળદરનો ઉપયોગ કરીને કુલ ૧ લાખ ૪૭ હજાર કિલો અથાણું બનાવવામાં આવ્યું છે.

મરચાના અથાણાનો પ્રસાદ આપવાની શરૂઆત પાછળનું આ છે કારણ

વડતાલધામમાં અગાઉના સમયમાં શ્રદ્ધાળુ ભક્તો માટે જ્યારે ભોજનની સુવિધા ન હતી ત્યારે દૂરદૂરથી આવતા ભક્તો (Devotees) ધર્મસ્થાનનું નહીં જમવાનું એવી ભાવના રાખતા. આથી પોતાના ઘરેથી જ ઢેબરા સાથે લઈને આવતા. તેથી મંદિરમાંથી તેમને ઢેબરા કે રોટલા સાથે ખાઇ શકાય એવો પ્રસાદ આપવાનું વિચારાયું અને એ વિચારમાંથી જ અહીં મરચાંના અથાણાંના પ્રસાદની પરંપરા શરુ થઇ. આથી હરિભક્તો લીંબુ-મરચાના અથાણાનો પ્રસાદ લઈ ઢેબરાં અને અથાણાથી પેટ ભરીને જમી લેતા હતા.

આ પણ વાંચોઃ Winter 2022: કાતિલ ઠંડીથી ઠુઠવાવા રહેજો તૈયાર, અમદાવાદમાં બે દિવસ કોલ્ડવેવ, કચ્છ-નલિયામાં સિવિયર કોલ્ડવેવ રહેશે

આ પણ વાંચોઃ RBI એ સુરત અને રાજકોટની 3 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, કેન્દ્રીય બેંકના નિર્દેશોનું પાલન ન થતાં લગાવાઈ ફટકાર

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
g clip-path="url(#clip0_868_265)">