રાજીવ કપુરના નિધનથી કેમ દુખી છે પ્રેમ ચોપરા ?

Hiren Buddhdev

|

Updated on: Feb 10, 2021 | 1:01 PM

અભિનેતા રાજીવ કપૂરનું કાર્ડિયક અરેસ્ટને કારણે 58 વર્ષની વયે અવસાન થયું. રાજીવના નિધનથી તેના માસા અને વરિષ્ઠ અભિનેતા પ્રેમ ચોપરાને બહુ આઘાત લાગ્યો છે.

રાજીવ કપુરના નિધનથી કેમ દુખી છે પ્રેમ ચોપરા ?
Rajiv Kapoor prem chopra

અભિનેતા રાજીવ કપૂરનું કાર્ડિયક અરેસ્ટને કારણે 58 વર્ષની વયે અવસાન થયું. તે આપણી વચ્ચે રહ્યા નથી. કપૂર પરિવારમાં શોકનું મોજુ છે. સમાચારો અનુસાર, ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂર છેલ્લા 8-10 મહિનાથી મુંબઇમાં રહેતા હતા. રાજીવ કપૂરના માસા અને વરિષ્ઠ અભિનેતા પ્રેમ ચોપરાએ કહ્યું કે તે લોકડાઉનને કારણે ભાઈ રણધીર સાથે રહેવા આવ્યા હતા.

પ્રેમ ચોપરાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ઉદ્યોગમાં દરેક વ્યક્તિ જાણે છે કે રાજીવ પૂણેમાં રહેતા હતા. તે ફક્ત એક જ કારણસર મુંબઇ આવ્યા હતા. રાજીવ પુનામાં એક નાનો બંગલો ધરાવે છે. જ્યારે કોરોના વાયરસ લોકડાઉન લાગવાનો હતો ત્યારે રાજીવે તેના ભાઈ રણધીર સાથે સમય પસાર કરવાનો નિર્ણય કર્યો હતો. ચેમ્બુરના ઘરે બંને ભાઈઓ સાથે રહેતા હતા. રાજીવ એકદમ ઠીક હતા. અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો. તે ખૂબ દુખદ છે કે તે હવે આપણી સાથે નથી. ”

પ્રેમ ચોપરા કહે છે કે રાજીવ મારા માટે સૌથી પ્રેમાળ ભાણીયો હતો. તે એક મહાન અભિનેતા હતા. તે હોશિયાર છોકરો હતો, તેમણે ફિલ્મ પ્રેમ ગ્રંથનું દિગ્દર્શન કર્યું હતું, જેમાં મુખ્ય ભૂમિકામાં ઋષિ કપૂર અને માધુરી દીક્ષિત હતા. રાજીવના આત્માને શાંતિ મળે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati