AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુલાસો: કેમ થયા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બૈજુ બાવરા’ માંથી બહાર?

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની જોડીને ફેન્સ પસંદ કરે છે. આ બંનેની ફિલ્મોની ચાહકો હંમેશા આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ આગામી ફિલ્મમાંથી બંનેને કાઢી દેવામાં આવ્યા છે.

ખુલાસો: કેમ થયા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બૈજુ બાવરા' માંથી બહાર?
Why did Ranbir Kapoor and Deepika Padukone dropout of Sanjay Leela Bhansali's film 'Baiju Bawra'?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 7:59 AM
Share

ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali) મોસ્ટ અવેટેડ ફિલ્મ બૈજુ બાવરા (Baiju Bawra) ઘણા સમયથી ચર્ચામાં હતી. આ ફિલ્મના કલાકારો માટે ઘણા મોટા કલાકારોના નામ આવ્યા હતા. જેમાં દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની સાથે જોડી હોવાના સમાચારો પુરજોશમાં હતા. પરંતુ સંજયે ફિલ્મમાં રણબીર કપૂર નહીં પણ રણવીર સિંહના (Ranveer Singh) નામ પર મહોર લગાવીને બધાને ચોંકાવી દીધા. તે જ સમયે, દીપિકાને પણ આ ફિલ્મથી દૂર કરવામાં આવી. આવી સ્થિતિમાં, દીપિકા (Deepika Padukone) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ફિલ્મનો ભાગ કેમ ન બન્યા તેના પર અહેવાલ આવ્યા છે. જી હા, હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે SLB ના ડ્રીમ પ્રોજેક્ટને લઈને.

આ કારણોસર રણબીર કપૂર થયો આઉટ અને રણવીર સિંહ થયો ઇન

ખાનગી બોલિવૂડ વેબસાઈટના અહેવાલ મુજબ રણબીર કપૂરને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. પરંતુ કહેવાય છે કે જ્યારે રણબીરે સંજય સાથે ફિલ્મ સાવરિયા કરી હતી. ત્યારેબંને વચ્ચેની કેમેસ્ટ્રી ખાસ નહોતી. આ કારણથી રણબીરે વિચાર્યું હતું કે તે ક્યારેય સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાઇન નહીં કરે. તેમજ જ્યારે તેને ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે કેટલાક સમાચાર મળ્યા ત્યારે તેને તે તેટલી પસંદ આવી નહીં. તેથી તેનો સંજય સાથે કામ ન કરવાનો નિર્ણય મજબુત બન્યો. અહેવાલમાં સુત્રોના હવાલાથી ટાંક્યું છે કે આ કારણે રણબીરે ફિલ્મ નકારી કાઢી.

દીપિકા કેમ થઇ ફિલ્મમાંથી બહાર?

અગાઉ કહેવામાં આવ્યું હતું કે દીપિકા પાદુકોણે ફિલ્મ માટે રણવીર સિંહ જેટલી જ ફી માગી. જેને સંજયને નારાજ થયો હતો અને તેના કારણે દીપિકાને આ ફિલ્મમાંથી બહાર કરવામાં આવી. પરંતુ હવે અહેવાલ કંઇક અલગ આવી રહ્યા છે. સૂત્રો થકી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સિમ્બા, ગલી બોય, પદ્માવતની સફળતા અને 83, રોકી ઔર રાની કિ લવ સ્ટોરી અને શંકરની ફિલ્મ સાથે જબરદસ્ત લાઇન-અપ કર્યા પછી, રણવીરે તેની માર્કેટ વેલ્યુમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

આવા સમયે રણવીર જેટલી સમાન ફી માંગ કરવાનો કોઈ સવાલ જ નથી અને કોઈ પણ નિર્માતા આવી ફી ચૂકવી પણ નહીં શકે. આવી સ્થિતિમાં, તે માત્ર ફીનું કારણ એક અફવા છે. જ્યારે દીપિકાનું સંજય લીલાની ફિલ્મનો ભાગ ન હોવાનું કારણ માત્ર તેનું વ્યસ્ત શિડયુલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભણસાલી આવતા વર્ષે માર્ચમાં બૈજુ બાવરાનું શૂટિંગ શરૂ કરવાનું વિચારી રહ્યા છે પરંતુ તે દરમિયાન દીપિકા હૃતિક સાથે ફાઇટરના શૂટિંગમાં વ્યસ્ત છે. સ્વાભાવિક છે કે દીપિકા પહેલા ફાઈટરનું શૂટિંગ કરશે. આવી સ્થિતિમાં તેને તેના મનપસંદ ડિરેક્ટરને ના કહેવી પડી.

આ ફિલ્મમાં જોવા મળશે દીપવીરની જોડી

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલિયોં કી રાસલીલા – રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં સાથે જોવા મળ્યા છે. આ સિવાય રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં કપિલ દેવની બાયોપિક 83 માં સાથે જોવા મળશે. દીપિકા કપિલ દેવની પત્ની રોમી દેવના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો: Antim: ફિલ્મનું પહેલું ગીત ‘વિઘ્નહર્તા’ થયું રિલીઝ, ગણપતિની ધૂન પર નાચવા માટે આવ્યા સલમાન, આપુષ સાથે વરુણ

આ પણ વાંચો :- ‘Gangubai Kathiawadi’થી લઈને ‘અટેક’ સુધી, થિયેટરોમાં ધમાલ મચાવશે આ ફિલ્મો

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">