સાયરા બાનોના હોવા છતાં દિલીપ કુમારે કેમ કર્યા હતા બીજા લગ્ન? જેને પાછળથી ગણાવી ‘ગંભીર ભૂલ’

દિલીપ કુમારનું 7 જુલાઈએ નિધન થયું. તેમના અંતિમ સમયમાં સાયરા બાનુએ ખુબ સાથ આપ્યો. પરંતુ એક સમય એવો હતો કે સાયરા અને દિલીપ કુમારના સંબંધમાં ખટાસ આવી ગઈ હતી.

સાયરા બાનોના હોવા છતાં દિલીપ કુમારે કેમ કર્યા હતા બીજા લગ્ન? જેને પાછળથી ગણાવી 'ગંભીર ભૂલ'
દિલીપ કુમાર સાયરા બાનો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 10:13 AM

ટ્રેજડી કિંગ દિલીપ કુમારે (Dilip Kumar) 7 જુલાઈએ આપણી વચ્ચેથી વિદાય લીધી. દિલીપ કુમારનું જીવન ખુબ ઉતાર ચડાવવાળું રહ્યું હતું. તેમના જીવનનાં અનેક કિસ્સાઓ આજે પણ લોકો વાગોળે છે. ખાસ તો તેમના લગ્નજીવનની વાત આવે ત્યારે ચર્ચાઓ તેજ બની જાય છે. દિલીપ કુમાર અને સાયરા બાનો (Saira Banu) ના પ્રેમનું ઉદાહરણ આપવામાં આવે છે. સાયરા દિલીપકુમાર કરતા 22 વર્ષ નાના છે. તેમ છતાં આ જોડી હંમેશા સાથે રહી. સાયરાએ દિલીપ કુમારના અંતિમ સમયમાં તેમની ખુબ સેવા કરી.

દિલીપ કુમારના બીજા લગ્ન

પરંતુ દિલીપ કુમારે સાયરા સાયરા સાથેના લગ્નના 16 વર્ષ બાદ એક એવું પગલુ ભર્યું જેનાથી સાયરા બાનોનું દિલ ટુટી ગયું હતું. દિલીપ કુમારે તે સમયે બીજા લગ્ન કરી લીધા હતા. વાત છે 1981 ની. દિલીપ કુમારે આ વર્ષે પાકિસ્તાની યુવતી અસમા રેહમાન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન માત્ર બે વર્ષ જ ટક્યા. પરંતુ તેની ચર્ચાઓ ફિલ્મ જગત અને સામાન્ય લોકોમાં વર્ષો સુધી રહી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દિલીપ કુમારે કહી ‘ગંભીર ભૂલ’

દિલીપ કુમારની મુલાકાત આસમા રેહમાન સાથે એક ક્રિકેટ મેચ દરમિયાન થઇ હતી. હૈદરાબાદમાં મેચ જોતા સમયે તેમની બજેમ ફૌઝિયા અને સઈદા દ્વારા તેમની ઓળખાણ અસમા સાથે કરાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ વિશે દિલીપ કુમારે તેમની આત્મકથામાં ઉલ્લેખ કર્યો. તેમણે આ આત્મકથામાં બીજા લગ્નને ‘ગંભીર ભૂલ’ ગણાવી હતી.

દિલીપ કુમારની આત્મકથામાં લખ્યું છે કે, “તે મારા જીવનનો એક એવો એપિસોડ છે જેને હું ભૂલી જવા માંગુ છું. જેને મેં અને સાયરાએ હંમેશા માટે ગુમનામીમાં ધકેલી દીધો છે. તે એક ‘ગંભીર ભૂલ’ હતી. જે મેં અસમા નામની મહિલા સાથે જોડાવાના ગંભીર દબાણમાં કરી હતી. અસમાને હું હૈદરાબાદમાં એક ક્રિકેટ મેચ દરમિયાન મળ્યો હતો.

કેમ કર્યા હતા બીજા લગ્ન

કહેવાય છે કે એ સમયે સાયરા પોતાની કારકિર્દીની ટોચ પર હતા. અને સમાચાર આવ્યા કે તેઓ ગર્ભવતી થયા છે. દિલીપ કુમાર પણ ખુશ હતા. આવી સ્થિતિમાં તેમણે સાયરા બાનોને કહ્યું કે તેઓ આ દરમિયાન કામના કરે. પરંતુ સાયરા બાનો પાસે ઘણા પ્રોજેક્ટ્સ હતા. તેઓ કામ બાબતે વચનબદ્ધ હતા અને તેમણે દિલીપને વિશ્વાસ અપાવ્યો કે તેઓ તબિયતનું ધ્યાન રાખીને કામ કરશે.

કયા સ્વાર્થ માટે કર્યા હતા લગ્ન?

કહેવાય છે કે નસીબમાં હોય તેથી વિશેષ કંઈ ના મળે. આ દરમિયાન જ ખુબ માઠા સમાચાર આવ્યા. કદાચ દિલીપ-સાયરાના જીવનમાં બાળકનું સુખ લખાયું નહીં હોય. શૂટિંગ દરમિયાન સાયરાની તબિયત લથડી અને તેમના ગર્ભનું મિસકૈરેજ થયું હતું. આ સમય હતો જ્યારે ગર્ભ 8 મહિનાનો હતો. દિલીપ કુમાર અને સાયરાના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો. બંને ખુબ રડ્યા. આ બાદ એવું કહેવામાં આવે છે કે દિલીપ કુમારે બાળકની ખુશી મેળવવા માટે અસમા રેહમાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમ છતાં આ ખુશી મળી નહીં.

આ પણ વાંચો: Photos : જન્નતમાં પ્રતિબંધો હળવા, પ્રવાસીઓ અલૌકિક સુંદરતા પર મોહ્યા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">