AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોઈ એક્ટર નહીં, પણ એક સામાન્ય માણસ સાથે દયાબેને કેમ કર્યા લગ્ન? જાણો દિશા વાકાણીનો જવાબ

દિશાએ વર્ષ 2015 માં મુંબઇ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેની સ્તુતિ નામની એક દીકરી પણ છે. અભિનેત્રી વર્ષ 2017 માં પ્રસૂતિ રજા પર ગઈ હતી.

કોઈ એક્ટર નહીં, પણ એક સામાન્ય માણસ સાથે દયાબેને કેમ કર્યા લગ્ન? જાણો દિશા વાકાણીનો જવાબ
દિશા વાકાણી અને મયૂર પાડિયા
| Updated on: Jun 09, 2021 | 1:46 PM
Share

જ્યાં એવા ઘણા ટીવી સેલેબ્સ છે જેઓ તેમના સાથી કાલાકારના પ્રેમમાં પડ્યાં અને લગ્ન કરી લીધાં. તે જ સમયે, કેટલાક એવા છે જેમના લાઈફ પાર્ટનર તેમના માતાપિતા અથવા તેમના ભાઇ-ભાઇએ શોધ્યા હોય. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના દયાબેન એટલે કે દિશા વાકાણીની કહાણી અલગ છે. તેઓએ વર્ષો સુધી દયાની ભૂમિકા ભજવી. પરંતુ દિશા વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. દિશા અમદાવાદની છે અને તેણે થિયેટરથી અભિનયની શરૂઆત કરી હતી.

દિશાએ વર્ષ 2015 માં મુંબઇ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેની સ્તુતિ નામની એક દીકરી પણ છે. અભિનેત્રી વર્ષ 2017 માં પ્રસૂતિ રજા પર ગઈ હતી, જેના પછી તેના વિશે કોઈ સમાચાર નથી. માતા બન્યા બાદ દિશા કોઈ પણ શોમાં પરત ફરી નથી.

દિશાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે ‘પહેલીવાર મયુરને મળીને સારું લાગ્યું અને અમે મળતા રહ્યા. આ બાદ અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

જ્યારે દિશાના પતિ મયુર પાડિયાને એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું હતું કે ‘તમે બંને જુદા જુદા વ્યવસાયોથી છો, તો તમે જીવન સાથી બનવાનું કેવી રીતે નક્કી કર્યું?’ તો આ અંગે તેણે કહ્યું, ‘જે દિવસે હું દિશાને મળ્યો હતો, ત્યારે મેં નક્કી કર્યું હતું કે અમે સંબંધોને આગળ વધારવાનો વિચાર કરીશું. શરૂઆતમાં, અમે બંને એકબીજાને જાણતા નહોતા. તેથી જ મેં વિચાર્યું કે અમે પહેલા એક બીજાને થોડો સમય આપીશું અને સમજીશું કે જીવનસાથી બનવા યોગ્ય છે કે નહીં.

દિશાના કહ્યા પ્રમાણે તેનું માનવું હતું કે “લગ્નમાં બેલેન્સ બનાવવા માટે એવા સાથીની જરૂર છે જેની આદતો તમારા સાથે મળતી હોય. બંનેના સંબંધમાં સૌથી સારી વાત એ છે કે બંને એક-બીજાને એવા જ સ્વીકારે જેતા તેઓ છે.” લગ્ન બાદ પણ દિશાએ કામ શરુ રાખ્યું હતું પરંતુ દીકરીના જન્મ બાદ તેઓ પરિવારમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: બાર્બરાએ કહ્યું ચોકસીએ તેને ખોટા દાગીના ભેટ આપ્યા હતા, કથિત ગર્લફ્રેન્ડે કર્યા ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો: એક પછી એક મુશ્કેલીઓમાં ફસાતો ભાગેડુ ચોકસી, નાગરિકતા રદ કરવા એન્ટિગુઆ લઇ રહી છે પગલા

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">