AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જયારે રણબીર કપૂરને તેની એક્સ ગર્લફ્રેન્ડના કારણે પોતાનું ઘર છોડવાનો વખત આવ્યો હતો !

દિવંગત અભિનેતા ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે અને તેની પત્ની નીતુ કપૂરે રણબીરના એક નિર્ણયને ખોટી રીતે લીધો હતો જેના કારણે રણબીર કપૂરને (Ranbir Kapoor) જે-તે સમયે ઘર છોડીને જવું પડ્યું હતું.

જયારે રણબીર કપૂરને તેની એક્સ ગર્લફ્રેન્ડના કારણે પોતાનું ઘર છોડવાનો વખત આવ્યો હતો !
Rishi & Neetu Kapoor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 7:41 PM
Share

બોલિવૂડના મહાન એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor) ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મો દ્વારા તેઓ હંમેશા આપણી વચ્ચે બની રહેશે. રણબીર કપૂર (Ranbir Kapoor) ભલે આજે તેની લોન્ગ ટર્મ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયો છે, પણ એ વાત આજે બિલકુલ અજાણી નથી કે તેના અનેક બૉલીવુડ અભિનેત્રીઓ સાથે ચર્ચાસ્પદ સંબંધો રહી ચુક્યા છે. તાજેતરમાં યોજાયેલા તેમના પુત્ર રણબીર કપૂરના લગ્નમાં બધાએ ઋષિ કપૂરને ખૂબ જ મિસ કર્યા હતા. ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂર સાથે ખૂબ સારા સંબંધો હતા.

View this post on Instagram

A post shared by rishikapoor (@rishi_kapoor_rk)

એક સમયે રણબીરે છોડ્યું હતું ઘર

2015માં એક ઈન્ટરવ્યુમાં ઋષિ કપૂરે કહ્યું હતું કે તેણે અને તેની પત્ની નીતુ કપૂરે રણબીરના એક નિર્ણયને ખોટી રીતે લીધો હતો. જેના પર રણબીર કપૂરને ઘર છોડવું પડ્યું હતું. રણબીરના આમ કરવાથી આખો પરિવાર ખૂબ જ દુઃખી થયો હતો. તે સમયે રણબીરે ઘર છોડીને તેની તે સમયની કથિત ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ સાથે રહેવાનું નક્કી કર્યું હતું.

ગર્લફ્રેન્ડ સાથે રહેવા ગયો હતો રણબીર

ઋષિ કપૂરે કહ્યું હતું કે જ્યારે તેઓ અભિનેત્રી નીતુ સિંહ સાથે લગ્ન કરીને ઘર છોડીને બહાર નીકળ્યા ત્યારે તેમના પિતાએ તેમને સાથ આપ્યો હતો. તેમનું કહેવું હતું કે જ્યારે રણબીરે તેની ગર્લફ્રેન્ડ સાથે રહેવાનું નક્કી કર્યું ત્યારે તેમણે પણ રણબીરને તેની પર્સનલ સ્પેસ આપી હતી.

તેણે આગળ એમ પણ કહ્યું હતું કે તે ઘરમાં તેનો એક રૂમ હતો. હવે તે ખાલી એક રૂમમાં કેવી રીતે રહી શકે? ઋષિ કપૂરના મતે રણબીર કપૂર એ એક ખુબ સારો પુત્ર છે. તે તેની દરેક વાત માનતો હતો. જો કે, તેઓ રણબીરના કરિયરમાં અને તેની અંગત જિંદગીમાં દખલ કરવા માંગતા નથી.

એક વખતે પુત્ર સાથે ખરાબ સંબંધો બની ગયા હતા

ઋષિ કપૂરે વધુમાં કહ્યું હતું કે તેમણે રણબીર કપૂર સાથે પોતાના સંબંધો બગાડ્યા હતા. તેમની પત્ની એટલે કે નીતુ સિંહ પણ તેમને કહેતી કે તેઓ શું કરી રહ્યા છે. તેમની પત્નીએ કહ્યું હતું કે હવે ઘણું મોડું થઈ ગયું છે. ઋષિ કપૂરે કહ્યું કે રણબીર સાથે ન હોવાનો અનુભવ ઘણો ખરાબ રહ્યો છે. ઋષિ કપૂરે જણાવ્યું હતું કે હવે તેઓ એક નવું ઘર બનાવી રહ્યા છે જ્યાં તેમના પરિવાર માટે ઘણી જગ્યા હશે.

વર્ષ 2019માં જ્યારે ઋષિ કપૂર કેન્સરની સારવાર માટે ન્યૂયોર્ક ગયા હતા ત્યારે રણબીરે પોતાના પિતાની સાથે ખૂબ સારો સમય એટલે કે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો. ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર માટેનો નિર્ણય પણ તેમના દિકરા રણબીરનો જ હતો. તે ઘણી વખત આલિયા ભટ્ટ સાથે પોતાના માતા પિતાને ન્યૂયોર્કમાં મળવા જતા હતા.

આ પણ વાંચો – Alia Bhatt Spotted: લગ્ન બાદ પહેલીવાર ઘરની બહાર આવી આલિયા ભટ્ટ, એક્ટ્રેસનો સિમ્પલ લુક ચાહકોના દિલને સ્પર્શી ગયો

Follow Us
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
g clip-path="url(#clip0_868_265)">